Sunday, January 1, 2023

'સરકાર 3 મુદ્દાનું જ સમાધાન લાવી હજુ 16 મુદ્દા સ્વીકાર્યા નથી, અડપલાં કરનાર દુષ્ટો સામે કડક કાર્યવાહી કરો' | Jainacharya Ratna Sundarji Said- Government has settled only 3 issues and has not yet accepted 16 issues, take strict action against the miscreants

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Jainacharya Ratna Sundarji Said Government Has Settled Only 3 Issues And Has Not Yet Accepted 16 Issues, Take Strict Action Against The Miscreants

અમદાવાદ20 મિનિટ પહેલાલેખક: આનંદ મોદી

હજુ અલ્પવિરામ છે અમે પૂર્ણ વિરામ ઇચ્છીએ છીએ.અમે આક્રમક નથી પરંતુ તેનો મતલબ એવો પણ નહીં કે એટલો વિલંબ થઈ ના થઇ જાય કે જે વસ્તુ માટે વિલંબ કરી રહ્યા છે તે જ ખતમ થઈ જાય.અમારા ઘરમાં ઘૂસીને કોઈ ચોરી કરે તો અમને રક્ષણ આપવાની જવાબદારી સરકારની છે. દુષ્ટ સામે જે કાર્યવાહી કરવાની થતી હોય તે સરકાર કરે.અમારે કોઈનું કઈ લેવું નથી પરંતુ અમારું જે છે તે અમને પરત આપો,આ શબ્દો છે જૈન સમાજના જૈનાચાર્ય રત્ન સુંદર સુરીજીના. શત્રુંજય પર્વત પર જે મુદ્દે જૈન સમાજમાં રોષ છે તે મુદ્દાને લઈને સમાજના મોટા જૈનાચાર્યએ દિવ્યભાસ્કર સાથે વાતચીત કરી હતી.

રત્ન સુંદર સુરીજી જૈન સમાજના જૈનાચાર્ય છે.ખૂબ જ નાની ઉંમરમાં તેમને દીક્ષા લઇ લીધી હતી. યુવાઓમાં મોટિવેશનલ સ્પીકર તરીકે પણ તેઓ ઓળખ્યા છે. અત્યાર સુધીમાં 400 જેટલી બુક તેમને લખી છે. દેશભરમાં તેઓ અનેક જગ્યાએ વ્યાખ્યાન આપી ચૂક્યા છે. રત્ન સુંદર સુરીજીને કેન્દ્ર સરકારનું પદ્મશ્રી સન્માન પણ મળી ચૂક્યું છે. રાજકીય નેતાઓ પણ તેમના આશીર્વાદ મેળવવા માટે આવતા હોય છે. દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જૈનાચાર્ય રત્નસુંદર સુરીજીએ કેટલાક સવાલના જવાબ આપ્યા હતા.

સવાલ- ક્યાં મુદ્દાઓને લઈને સમાજમાં રોષ છે?
જવાબ-
નાના મોટા 19 મુદ્દાઓ છે જેને લઈને સરકારને રજૂઆત કરવામાં આવી છે, પરંતુ શત્રુંજય પર્વતના દેરાસરના એક ભાગમાં ભગવાનના પગલાં સાથે કોઈએ ચેડાં કર્યા છે. જેની તસવીર સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ છે તે મુખ્ય મુદ્દો છે. આ મુદ્દાને લઈને જૈન ધર્મ આક્રમક થયું નથી. પરંતુ તમારા ઘરમાં કોઈ ચોરી કરે તો પોલીસે રક્ષણ કરવાની જવાબદારી છે, જેથી જૈન સમજે તે માટે સરકાર પાસે માંગણી કરી છે.

સવાલ- શત્રુંજય તીર્થધામ જૈન ધર્મ માટે કેટલુ પવિત્ર છે?
જવાબ-
શત્રુંજય પર્વત કરોડો વર્ષ જૂનો છે. કોઈ પણ વસ્તુ કે ભાવ સાથે તેનું સંતુલન થાય તેમ નથી. જૈન સમાજની શ્રદ્ધા, વિશ્વાસ,પવિત્રતા અને પ્રેમનું કેન્દ્ર છે. અબજો રૂપિયા તથા અબજો દિવસોનું બલિદાન ભગવાનના ચરણોમાં લોકોએ આપ્યું છે. શત્રુંજય માટે તપ અને ત્યાગ પણ કરવામાં આવ્યા છે. શત્રુંજય પર પગ મુક્તાં પાવન થઈ જવાય છે. વ્યક્તિના પાપ દૂર થઈ જાય છે, તો તેવા તીર્થમાં કોઈ પાપી અડપલું કર્યું છે તેનાથી દિલ દુઃખે છે. સરકારને ખબર પડે તે માટે જ રેલી યોજવામાં આવી હતી. સરકારે વચન પણ આપ્યું છે પરંતુ 19 મુદ્દામાંથી 3 મુદ્દાઓ પર સમાધાન થયું છે, હજુ 16 બાકી છે. હજુ અલ્પ વિરામ છે અમે પૂર્ણ વિરામ ઇચ્છીએ છીએ.

સવાલ- અલ્પવિરામ શા માટે અને પૂર્ણ વિરામ ક્યારે કહેવાય?
જવાબ-
અલ્પવિરામ એટલે 3 મુદ્દાઓ પર સરકારે માગ પૂરી કરી છે, જેનો અમને આનંદ છે. હજુ 16 મુદ્દા સ્વીકાર્ય નથી. અમને સરકારથી આશા છે કે સરકાર અમારા મુદ્દા સ્વીકારશે.

સવાલ- જે લોકોએ કૃત્ય કર્યું છે તેમની સામે પગલાં લેવા જોઈએ કે નહીં?
જવાબ-
કોઈ પણ વ્યક્તિને સજા આપવાનું કામ અમારું નથી. સરકાર અને કાયદો સજા આપવાનું કામ કરશે. અમે એમ નથી કહેતા કે કોઈને ફાંસીએ ચઢાવી દો. અમને અમારું ઘર સુરક્ષિત આપો. જે દુષ્ટ દ્વારા અડપલાં કરવામાં આવ્યા છે, તેની સામે કાયદેસરની જે કાર્યવાહી કરવાની થતી હોય તે કરે. સરકારનું કામ દંડ આપવાનું છે, તે દંડ કરે. ભવિષ્યમાં ફરીથી કોઈ અડપલાં ના થાય તેની અમને સરકાર ખાતરી આપે.

સવાલ- ખનન થાય છે તો તે રોકવું જોઈએ કે નહીં?
જવાબ-
ખનન અંગે અમારા ધ્યાને આવ્યું છે. કોઈએ ખોદકામ કરીને નીચે રિસોર્ટ બનાવ્યું છે, તે એક મુદ્દો છે. 3 મુદ્દાઓ પર સમાધાન થયું છે. ભૂપેન્દ્રભાઈ અને નરેન્દ્રભાઈ પર અમને વિશ્વાસ છે અને ખનન મુદ્દે પણ સ્વીકારીને સમાધાન કરવામાં આવશે.

સવાલ- જૈન સમાજ શા માટે ઉગ્ર થયો અને એકતા બતાવી?
જવાબ-
જ્યારે કોઈ કટોકટીનો સમય આવે ત્યારે ઘરના ભેગા થાય જ છે. અમારી આક્રમકતા નથી, અમારે માત્ર ન્યાય જોઈએ છે. સરકાર સામે આશા છે મેં સાચનું રક્ષણ કરવામાં આવશે. જૈન સંઘ શાંત છે આક્રમકતામાં માનતું નથી, જેથી રેલી યોજીને જૈન સંઘે સરકાર સુધી વાત પહોંચાડી છે.

સવાલ- જૈન સમાજની માંગણીઓ નહીં પૂરી કરાય તો શું કરશો?
જવાબ-
અમારી માંગણીઓ જરૂરથી પૂરી કરવામાં આવશે.સરકાર કરશે પરંતુ તાત્કાલિક સરકાર કોઈ નિર્ણય ના કરે. તપાસ કરીને સરકાર દ્વારા પ્રક્રિયા કરવામાં આવશે. આક્રમકતા નથી પરંતુ વિલંબ એવો ના થવો જોઈએ કે જેના કારણે અમે વિલંબ ઇચ્છીએ તે જ ખતમ થઈ જાય. ડીલ ઇઝ ડેન્જર. રોગ કાબૂમાં આવવો જોઈએ. પરંતુ ડોકટર એમ કહે કે 6 વર્ષ થશે, તો દર્દી મરી જાય. પરંતુ અમારે તો દર્દી જીવે. તંદુરસ્ત રહે તથા રોગ કાબુમાં આવે તેવું જોઈએ છે.

અન્ય સમાચારો પણ છે…

ભાજપની યુવા મોરચા ટીમ પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સના સમગ્ર મેનેજમેન્ટનો અભ્યાસ કરશે

અમદાવાદઃ ઓગણજમાં યોજાઈ રહેલા શતાબ્દી મહોત્સવમાં દરરોજ સેલેબ્સ સહિત અનેક રાજકીય આગેવાનો મુલાકાત લેવા માટે આવે છે. ત્યારે ભાજપ યુવા મોરચના રાષ્ટ્રીય અધ્યક્ષ તેજસ્વી સૂર્યા પણ પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવની મુલાકાત માટે અમદાવાદ આવી રહ્યા છે. ભાજપ યુવા મોરચાની ટીમ અમદાવાદમાં રોકાણ કરશે અને મહોત્સવમાં થઈ રહેલા અદભૂત મેનેજમેન્ટનો અભ્યાસ કરશે.

BAPS દ્વારા માઇક્રો લેવલનું પ્લાનિંગ

આગામી 15 જાન્યુઆરી સુધી ચાલનારા પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવમાં દરરોજ લાખો લોકો મુલાકાત લઈ રહ્યા છે. તેમને કોઈ અગવડ ન પડે તે માટેનું માઈક્રો લેવલનું પ્લાનિંગ બીએપીએસ સંસ્થાએ કર્યું છે. આમ તો, પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવમાં થઈ રહેલા આ અદભૂત મેનેજમેન્ટના વખાણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહથી માંડીને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ કરી ચૂક્યા છે. તેટલું જ નહીં, અહીં દરરોજ જે કોન્ફરન્સ યોજાય છે તે કોન્ફરન્સમાં આવતા મહાનુભાવો પણ પ્રમુખ સ્વામી નગરમાં ઉભી કરવામાં આવેલી સ્વચ્છતાની વ્યવસ્થા, સેનિટેશનની વ્યવસ્થા, ટ્રાફિક મેનેજમેન્ટની વ્યવસ્થા, સેફ્ટીની વ્યવસ્થા, ક્રાઉડ મેનેજમેન્ટની વ્યવસ્થા, જમણવારની વ્યવસ્થા, રહેવાની વ્યવસ્થા આ તમામ મેનેજમેન્ટ જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે.આ પણ વાંચોઃ 1987ના દુષ્કાળમાં પ્રમુખ સ્વામી મહારાજે આવી રીતે કરી હતી પશુઓની સેવા

ભાજપ યુવા મોરચાની ટીમ આવશે

હવે ભારતીય જનતા પાર્ટીની યુવા મોરચાની ટીમ ગુજરાત આવી રહી છે. ભાજપ યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ તેજસ્વી સૂર્યા શતાબ્દી મહોત્સવમાં ઉપસ્થિત રહેશે. તેઓ પ્રમુખ સ્વામી મહારાજની પુષ્પાંજલિ અર્પણ કરી નગરની રચનાને નિહાળશે. ત્યારબાદ તેઓ સભાને સંબોધન પણ કરશે. જો કે, 2 જાન્યુઆરીથી 6 જાન્યુઆરી સુધી ભાજપ યુવા મોરચાની ટીમ પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવમાં રહેશે અને મહોત્સવમાં માઈક્રો મેનેજમેન્ટનો અભ્યાસ કરશે.

મહત્વનું છે કે, ભાજપ યુવા મોરચા દ્વારા રાજ્યમાં અલગ અલગ જગ્યાએ સુશાસન યાત્રા પણ યોજવાનું આયોજન છે. ત્યારે તે પહેલા અમદાવાદના શતાબ્દી મહોત્સવમાં યુવા મોરચાની ટીમ ઉપસ્થિત રહેશે અને પ્રમુખ સ્વામી નગરની મુલાકાત લઈ નગરના વિવિધ પાસાઓનો અભ્યાસ કરશે.

તમારા શહેરમાંથી (અમદાવાદ)

Published by:Vivek Chudasma

First published:

Tags: Ahmedabad news, BAPS, BAPS Article, Pramukh Swami Maharaj Shatabdi Mahotsav

Foreign Minister S. Jaishankar gave a stern message to China Pakistan

નવી દિલ્હી: વિદેશ મંત્રી એસ જયશંકરે (External affairs minister S. Jaishankar) શુક્રવારે સાયપ્રસમાં ભારતીય સમુદાય (Indian community in Cyprus.) સાથે વાતચીત કરતા પાકિસ્તાન અને ચીનને કડક સંદેશ (Strong Massage to Pakistan And China) આપ્યો છે. વિદેશ પ્રધાને પાકિસ્તાનનું નામ લીધા વિના કહ્યું હતું કે, ભારત દરેક સાથે સારા પાડોશી સંબંધો ઇચ્છે છે, પરંતુ તેનો અર્થ આતંકવાદને “માફી” આપવાનો નથી. ચીન સાથેની સરહદના વિવાદિત મુદ્દાઓ પર જયશંકરે કહ્યું હતું કે, ભારત વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC)ને એકતરફી રીતે બદલવાના કોઈપણ પ્રયાસ માટે ક્યારેય સંમત નહીં થાય.

9 ડિસેમ્બરે અરુણાચલ પ્રદેશના તવાંગ સેક્ટરમાં ભારત અને ચીની સૈનિકો વચ્ચે અથડામણ (Indian and the Chinese troops clashed in the Tawang) થયાના કેટલાક દિવસો પછી આ નિવેદનો સામે આવ્યા છે. સરકારે કહ્યું કે, ભારતીય સૈનિકોને કોઈ જાનહાનિ થઈ નથી, આપણા જવાનોએ ચીની સૈનિકોને જડબાતોડ જવાબ આપ્યો હતો. બીજી બાજુ, આતંકવાદના મુદ્દા પર તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્રમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે આકરી તકરાર જોવા મળી હતી.

જયશંકરે સાયપ્રસમાં કહ્યું કે, કોઈ પણ દેશે એટલો આતંકવાદ સહન નથી કર્યો જેટલો ભારતે કર્યો છે અને અમે તે બાબતે ખૂબ જ સ્પષ્ટ છીએ કે અમે આતંકવાદને ક્યારેય સ્વીકારીશું નહીં. અમે ક્યારેય આતંકવાદને અમને ટેબલ પર વાતચીત કરવા માટે દબાણ કરવા દઈશું નહીં. અમે દરેકની સાથે સારા પાડોશી સંબંધો ઇચ્છીએ છીએ પરંતુ તેનો અર્થ એ નથી કે આતંકવાદને નજરઅંદાજ કરવો અથવા તેને ટાળવો કે તેને તર્કસંગત બનાવવો. આ અંગે અમે ખૂબ જ સ્પષ્ટ છીએ.

આ પણ વાંચો: શું ઋષભ પંત નશામાં કાર ચલાવતો હતો, કેટલી હતી સ્પીડ? ઉત્તરાખંડ પોલીસે જણાવી હકીકત

જયશંકરે વધુમાં ઉમેર્યું કે, બીજું, તે સત્ય છે કે આપણી સરહદો છે. કોવિડ-19 સમયગાળા દરમિયાન પડકારો વધુ તીવ્ર બન્યા હતા. અને તમે બધા જાણો છો કે ચીન સાથેના અમારા સંબંધોની સ્થિતિ સામાન્ય નથી કારણ કે અમે વાસ્તવિક નિયંત્રણ રેખાને એકતરફી રીતે બદલવાના કોઈપણ પ્રયાસ માટે ક્યારેય સંમત નહીં થઈએ.

રાષ્ટ્રીય સુરક્ષા અંગે જયશંકરે કહ્યું કે, ભારત તરફથી જે સંદેશ જાય છે તે દ્રઢતાનો છે. ડિપ્લોમેસી પર, હું કહી શકું છું કે આ સમયે ભારત પાસેથી ઘણી અપેક્ષાઓ છે કારણ કે ભારતને આજે મજબૂત અર્થતંત્ર તરીકે જોવામાં આવી રહ્યું છે અને તેવું રાષ્ટ્ર જે સમસ્યાઓના સમાધાનમાં હંમેશા તત્પર રહેશે. ભારતને એક એવા દેશ તરીકે પણ જોવામાં આવે છે જે સ્વતંત્ર છે અને હિંમત સાથે ઉભો રહી શકે છે.

First published:

Tags: India china border tension, S Jaishankar

લૂંટના કેસમાં પોલીસે બે આરોપીની ધરપકડ કરી

સુરત: સુરતના મહિધરપુરા વિસ્તારમાં પુનાથી આવેલા એક વેપારીનું રિક્ષામાં અપહરણ કર્યા બાદ તેના મોબાઈલ સહિત એકાઉન્ટમાંથી રૂપિયા લૂંટી લેવાની ઘટના સામે આવી હતી. જો કે પોલીસે આ બાબતે ગુનો દાખલ કરી બે આરોપીની ધરપકડ કરી લીધી છે. મૂળ મહારાષ્ટ્રના આ વેપારીનું પૈસા લેતી દેતીમાં અપહરણ કર્યાની બાબત સામે આવી છે. મળતી વિગતો પ્રમાણે ભૂતકાળ રૂપિયા નહીં આપતા આ ઘટના અંજામ આપવામા આવ્યો છે.

વેપારીનું એપહરણ કરી 4,00,000ની લૂંટી લીધા

થોડા દિવસ પહેલા સુરતના મહિધરપુરા વિસ્તારમાં પુનાજી સ્પેરપાર્ટમાં વેપાર કરતો વેપારી સુરત આવ્યો હતો. તેને સુરત રેલવે સ્ટેશનથી રિક્ષામાં બેસાડીને લઈ ગયા બાદ આંખે પટ્ટા બાંધી એક રૂમમાં રાખી તેને માર મારી તેના એકાઉન્ટમાંથી 4,00,000ની લૂંટ કરી હોવાની ઘટના સામે આવી હતી. આ બાદ આ મામલે સુરતની મહિધરપુરા પોલીસે આ મામલે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી. જોકે પોલીસે આ મામલે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરતાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી હતી. મળતી માહિતી પ્રમાણે ફરિયાદી મૂળ પુનાનો રહેવાસી હોવાનું સામે આવ્યું હતું અને તે સ્પેરપાર્ટનો ધંધો કરતો હતો.આ પણ વાંચો: 2022ના અંતિમ દિવસે સુરતમાં વધુ એક અંગદાન કિરણ હોસ્પિટલથી કરાવ્યું

આરોપીઓ અને ફરિયાદી સાથે સ્પેરપાર્ટનો ધંધો કરતા હતા

આ ઘટનાને અંજામ આપનારા આરોપીઓ પણ નાના હતા. જેઓ ભૂતકાળમાં 2019માં આ ફરિયાદી સાથે સ્પેરપાર્ટનો ધંધો કરતા હતા. જેમાં ફરિયાદી દ્વારા પૈસા ન આપી 3.50 લાખ રૂપિયા માટે ગલ્લા તલ્લા કરવામાં આવતા હતા. આથી પોતાના રૂપિયા મેળવવા માટે સીધી રીતે પૈસા માંગતા ફરિયાદીએ પૈસા આપવાની ના પાડતા આ લોકોએ સુરત સેન્ટર પસંદ કર્યું હતું અને ત્યાંથી એક સીમકાર્ડ ખરીદી આ વેપારી સાથે પૈસા મેળવવા માટે આર્થિક બે-ત્રણ મહિના આગળ પ્લાન કરી વેપારી સાથે વેપાર ધંધો કરવા માટેનું ચેટિંગ શરૂ કર્યું હતું અને વેપારીને સુરત બોલાવ્યો હતો.

આ પણ વાંચો: ચીનમાં આવશે કોરોનાની સુનામી, દરરોજ 9,000 લોકોના મોત થવાની સંભાવના

પૈસીની જૂની લેતી દેતીમાં કર્યું હતું અપહરણ

ઉલ્લેખનીય છે કે, સુરત આવતાની સાથે જ આ વેપારીનું અપહરણ કર્યા બાદ તેની સાથે પટ્ટા બાંધી તેને ભાડે રાખેલા મકાનમાં લઈ ગયા હતા અને ત્યાં તેની આંખમાં મરચાની ભૂકી નાખી તેના એકાઉન્ટ માંથી ચાર લાખ રૂપિયા જેટલું ટ્રાન્જેક્શન કર્યું હતું. પોલીસે આ મામલે એક આરોપીની ધરપકડ કર્યા બાદ તેની મદદગીરી કરનાર સીમકાર્ડ અને મકાનના આપનાર વ્યક્તિ એમ કુલ મળી બે લોકોની ધરપકડ કરી હતી. ધંધામાં પૈસાની જૂની લેતી દેતીની વિગતો સામે આવતા પોલીસ પણ ચોકી ઉઠી હતી. હાલ પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ શરૂ કરી છે.

તમારા શહેરમાંથી (સુરત)

Published by:Vimal Prajapati

First published:

Tags: Robbery case, Surat crime news, Surat Robbery, ગુજરાત

પાવી જેતપુરમાં જૈન સમાજ દ્વારા ગીરીરાજ બચાવો માટે મહારેલીનું આયોજન; પવિત્ર તીર્થને ન્યાય મળે તે માટે સરકારને રજૂઆત | Maharalli organized by Jain Samaj to save Giriraj in Pavi Jetpur; Submission to Govt to get justice for holy shrine

છોટા ઉદેપુર2 મિનિટ પહેલા

  • કૉપી લિંક

શ્રી શત્રુંજય મહાતીર્થ તેમજ સમેતશિખરજી તીર્થ ભારતના નહીં, પરંતુ સમગ્ર વિશ્વના જૈનોના આરાધનાનું કેન્દ્ર છે. જૈન સમાજ માટે આ તીર્થનું અવર્ણનીય મહત્વ છે, પરંતુ છેલ્લા કેટલા સમયથી અસામાજિક તત્વો દ્વારા આ પરમ પવિત્ર તીર્થની ગરીમાને ખંડિત કરે તેવી નીંદનીય પ્રવૃતિઓ થઈ રહી છે. આ પ્રવૃત્તિઓથી જૈન સમાજની ધાર્મિક આસ્થાને ઘણીજ ઠેસ પહોંચી છે. જૈનો એક શાંતિપ્રિય પ્રજા છે અને તેઓ સમાજના ઉત્કર્ષમાં પણ સતત યોગદાન આપતા રહે છે. શ્રી શેત્રુંજય મહાતીર્થ પર થયેલી આવી પ્રવૃત્તિઓને અમે વખોડીએ છીએ અને ભવિષ્યમાં આવી કોઈ દુષ્ટવૃત્તિ ન થાય તેની તકેદારી રાખવા સરકારને અનુરોધ કરી સરકાર દ્વારા ઘટતું કરે અને પવિત્ર તીર્થને ન્યાય મળે અને પર્યટન સ્થળમાં ઘોષિત ના થાય એ બાબતની નમ્ર વિનંતી સાથે જૈન સમાજ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે…

સુરતની કિરણ હોસ્પિટલમાં વધુ એક અંગદાન

સુરત: ડોનેટ લાઈફ દ્વારા વર્ષ 2022ના અંતિમ દિવસે સુરતથી 43માં હૃદયનું દાન કરાવવામાં આવ્યું છે. ૬/૯, SMC ક્વાટર્સ, સુભાષ ગાર્ડન પાસે, ડોક્ટર પાર્કની બાજુમાં, મોરાભાગળ, રાંદેર રોડ, સુરત મુકામે રહેતો હિરલ 29 ડિસેમ્બરના રોજ સવારે ઘરેથી એલ.પી.સવાણી રોડ, મધુવન સર્કલ પાસે આવેલ પ્રો-બાબર સલુનમાં કામ પર જઈ રહ્યો હતો. સવારે 10:30 કલાકે રામ નગર સર્કલ પાસે બી.આર.ટી.એસ બસ સ્ટેન્ડની પાસે તેની મોટર સાઇકલ સ્લીપ થઇ જતા હિરલ બાઈક પરથી પડી જતા માથામાં ગંભીર ઈજાઓ થવાથી બેભાન થઇ ગયો હતો. તેથી તેને તાત્કાલિક નજીકમાં આવેલ લાઈફલાઈન હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યો. નિદાન માટે CT સ્કેન કરાવતા બ્રેઈન હેમરેજ થયું હોવાનું નિદાન થયું હતું.

હિરલ બાઈક પરથી પડી જતા ગંભીર ઈજાઓ થઈ

પરિવારજનોએ વધુ સારવાર માટે તેને કિરણ હોસ્પીટલમાં ન્યુરોસર્જન ડૉ. ભૌમીક ઠાકોરની સારવાર હેઠળ દાખલ કર્યો. 30 ડિસેમ્બરના રોજ ન્યુરોસર્જન ડૉ. ભૌમીક ઠાકોર, ડૉ. ધીરેન હાડા, ન્યુરોફીઝીશયન ડૉ. હીના ફળદુ, ઇન્ટેન્ટસીવીસ્ટ ડૉ. દર્શન ત્રિવેદી, મેડીકલ ડાયરેક્ટર ડૉ. મેહુલ પંચાલે હિરલને બ્રેઈનડેડ જાહેર કર્યો. ઇન્દોરમાં ઓર્ગન ડોનેશન માટે કાર્ય કરતી સંસ્થા મુસ્કાનના જીતુભાઈ બેગાનીએ ડોનેટ લાઈફના સ્થાપક નિલેશ માંડલેવાલાનો ટેલીફોનીક સંપર્ક કરી હિરલના બ્રેઈનડેડ અંગેની જાણકારી આપી. ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી મેડીકલ ડાયરેક્ટર ડૉ. મેહુલ પંચાલની સાથે રહી હિરલના પિતા વિજયભાઈ, માતા અલ્કાબેન, બેન રીયા, જીજાજી સુનીલ ભારૂડકર, ગજાનંદ ઈંગલે અને તેમના પરિવારના અન્ય સભ્યોને અંગદાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી હતી.

લિવર સુરતની કિરણ હોસ્પીટલને ફાળવવામાં આવ્યા

હિરલના માતા-પિતા અલ્કાબેન અને વિજયભાઈએ જણાવ્યું કે, અમે ખુબ સામાન્ય પરિવારના છીએ. જીવનમાં કોઈ ચીજવસ્તુનું દાન કરી શકીએ તેમ નથી, અમારો દીકરો બ્રેઈનડેડ છે અને તેનું મૃત્યુ નિશ્ચિત જ છે, શરીર બળીને રાખ જ થઇ જવાનું છે, ત્યારે તેના અંગોના દાન થકી ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવજીવન આપવા માટે આપ આગળ વધો. હિરલના પિતા સ્મીમેર હોસ્પિટલમાં સફાઈ કામદાર તરીકે ફરજ બજાવે છે.
પરિવારજનો તરફથી અંગદાનની સંમતી મળતા SOTTO નો સંપર્ક કરવામાં આવ્યો. SOTTO દ્વારા હૃદય સુરતની મહાવીર હોસ્પીટલને, કિડની અને લિવર સુરતની કિરણ હોસ્પીટલને ફાળવવામાં આવ્યા હતા.

17 વર્ષીય યુવકમાં હ્રદયનું ટ્રાન્સપ્લાન્ટ કરાયું

સુરતની મહાવીર  હોસ્પીટલના ડો. નિરજ કુમાર, ડૉ. સંદીપ સિંહા, ડૉ. જસવંત પટેલ અને તેમની ટીમે આવી હૃદયનું દાન સ્વીકાર્યું, લિવર અને કિડનીનું દાન કિરણ હોસ્પીટલના ડો. ધર્મેશ ધાનાણી, ડૉ. સુનીલ કુમાર સિંગ, ડૉ. અનુરાગ શ્રીમાલ, ડૉ. ગૌરવ પટેલ, ડૉ. મિતુલ શાહ, ડૉ. પ્રશાંત રાવ, ડૉ.કલ્પેશ ગોહિલ, ડૉ. ધર્મેશ નમા, ડૉ.જીગ્નેશ ઘેવરીયા, ડો.પ્રમોદ પટેલ, ડો.મુકેશ આહીર અને તેમની ટીમે સ્વીકાર્યું. ચક્ષુઓનું દાન ડૉ.સંકીત શાહે સ્વીકાર્યું. દાનમાં મેળવવામાં આવેલ હ્રદયનું ટ્રાન્સપ્લાન્ટ અંક્લેશ્વરના 17 વર્ષીય યુવકમાં સુરતની મહાવીર હોસ્પીટલમા ડો. અન્વય મુલે, ડૉ. જગદીશ માંગે અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે.

કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ સુરતના 49 વર્ષીય વ્યક્તિમાં થયું

દાનમાં મેળવવામાં આવેલા લિવરનું ટ્રાન્સપ્લાન્ટ ભરૂચના રહેવાસી 34 વર્ષીય વ્યક્તિમાં, કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ સુરતના રહેવાસી 49 વર્ષીય વ્યક્તિમાં, બીજી કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ સુરતના રહેવાસી 61 વર્ષીય મહિલામાં સુરતની કિરણ હોસ્પીટલમાં કરવામાં આવ્યું છે. દાનમાં મેળવવામાં આવેલા ચક્ષુઓનું ટ્રાન્સપ્લાન્ટ બે જરૂરિયાતમંદ દર્દીમાં સુરતની કિરણ હોસ્પિટલમાં ડૉ. સંકિત શાહ દ્વારા કરવામાં આવશે. કિરણ હોસ્પિટલથી મહાવીર હોસ્પિટલ હ્રદય સમયસર પહોંચાડવા માટે સુરત શહેર પોલીસના સહકારથી ગ્રીનકોરીડોર બનાવામાં આવ્યો હતો. ઉલેખ્ખનીય છે કે કિડની, લિવર, હ્રદય, ફેફસા, હાથ જેવા મહત્વના અંગો દેશના જુદા જુદા શહેરોમાં સમયસર પહોંચાડવા માટે સુરત પોલીસ દ્વારા અત્યાર સુધી 85 ગ્રીનકોરીડોર બનાવામાં આવ્યા છે.

સુરત હવે ઓર્ગન ડોનર શહેર તરીકે ખ્યાતી પામી રહ્યું છે.

સુરતથી ડોનેટ લાઈફ દ્વારા ત્રેતાળીસમાં હૃદયનું દાન કરાવવામાં આવ્યુ છે. સુરતથી દાનમાં મેળવવામાં આવેલા હૃદય દેશના જુદા જુદા શહેરો જેવા કે દિલ્હી, મુંબઈ, ચેન્નઈ, ઇન્દોર અને અમદાવાદ જેવા શહેરોમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા છે. તદ્દઉપરાંત અંગદાનના ક્ષેત્રમાં સુરતે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ પોતાની અલગ ઓળખ ઉભી કરી છે. સુરતથી દાનમાં મેળવવામાં આવેલા હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ યુક્રેન, યુએઈ અને રશિયાના નાગરિકોમાં મુંબઈ અને ચેન્નઈની હોસ્પીટલમાં કરવામાં આવ્યા હતા. ટેક્ષટાઇલ અને ડાયમંડ સીટી તરીકે ઓળખાતું સુરત હવે ઓર્ગન ડોનર શહેર તરીકે ખ્યાતી પામી રહ્યું છે. સુરત અને દક્ષિણ ગુજરાતમાંથી ડોનેટ લાઈફ દ્વારા કુલ 1061 અંગો અને ટીસ્યુઓનું દાન કરાવવામાં આવ્યું છે જેમાં 446 કિડની, 190 લિવર, 8 પેન્ક્રીઆસ, 43 હૃદય, 26 ફેફસાં, 4 હાથ અને 344 ચક્ષુઓના દાનથી કુલ 974 વ્યક્તિઓને નવુજીવન અને નવી દ્રષ્ટી બક્ષવામાં સફળતા મળી છે.

તમારા શહેરમાંથી (સુરત)

Published by:Vimal Prajapati

First published:

Tags: Donate Life, Donate Life Surat, Surat news, ગુજરાત

પોરબંદર LCB દ્વારા ખાસ જેલનું ચેકીંગ હાથ ધરાયું, કોઇ ગેરકાયદેસર ચીજ-વસ્તુઓ ના મળી | Porbandar LCB conducts special jail checking, no illegal items found

પોરબંદર14 મિનિટ પહેલા

  • કૉપી લિંક

પોરબંદર ખાસ જેલનું સરપ્રાઇઝ ચેકીંગ હાથ ધરવામા આવ્યુ હતું. જેમાં પોરબંદર એલસીબી પીઆઈ એચ.કે.શ્રીમાળી તથા એલસીબી સ્ટાફ તથા કમલાબાગ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પીઆઈ કે.એન.ઠાકરીયા તથા પીએસઆઈ વી.ડી.વાઘેલા તથા કમલાબાગ ડી.સ્ટાફ અને બીડીડીએસ સ્ટાફ દ્રારા પોરબંદર ખાસ જેલનું સરપ્રાઇઝ ચેકીંગ કરવામાં આવ્યું હતુ.

ચેકીંગ દરમિયાન ખાસ જેલની બેરેકોમાં બીડીડીએસના ઉપકરણો દ્વારા તપાસ હાથ ધરવામા આવી હતી. અને ચેકીંગ દરમિયાન જેલમાં રહેલા મિલ્કત સંબંધી તથા ગંભીર ગુન્‍હાઓના આરોપીઓની પુછપરછ પણ કરવામાં આવી હતી. જોકે જેલ ચેકીંગ દરમ્યાન કોઇ ગેરકાયદેસર કે વાંધાજનક ચીજ વસ્તુઓ મળી આવેલી ન હતી.

આ કામગીરીમાં પોરબંદર એલસીબી પીઆઈ એચ.કે.શ્રીમાળી, કમલાબાગ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પીઆઈ કે.એન.ઠાકરીયા તથા પીએસઆઈ વી.ડી.વાઘેલા તથા એલસીબી સ્ટાફ તથા કમલાબાગ ડી.સ્ટાફ તથા બીડીડીએસ સ્ટાફ રોકાયેલ હતા.

અન્ય સમાચારો પણ છે…

Rajkot Class 11 paper leak, paper went viral on social media

રાજકોટ: રાજ્યમાં નવા વર્ષની શરૂઆત સાથે જ પેપર ફૂટ્યું હોવાના સમાચાર સામે આવ્યા છે. રાજકોટમાં આવેલી એક ખાનગી શાળાનું પેપર ફૂટ્યું હોવાનું સામે આવ્યું છે. શ્રદ્ધા વિદ્યાલયનું પેપર સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે. આ વાયરલ પેપર ધોરણ 11નું હોવાનું જાણવા મળી રહ્યું છે. આગામી 3 અને 4 જાન્યુઆરીએ પરીક્ષા યોજાવાની હતી, તે અગાઉ જ પેપર વાયરલ થતાં ખળભળાટ મચ્યો છે. આ મામલે શાળાના સંચાલકો દ્વારા ફરિયાદ કરવામાં આવી શકે છે.

આગામી 3 અને 4 તારીખે પરીક્ષા યોજાવવાની હતી

રાજકોટની શ્રદ્ધા વિદ્યાલયના ધોરણ 11નું પેપર સોશિયલ મીડિયામાં ફરતું થયું છે. આગામી તારીખ 3 અને 4 રોજ પરીક્ષા યોજાવવાની હતી, પરંતુ તે પહેલા જ પરીક્ષાનું પેપર સોશિયલ મીડિયામાં ફરતું થતાં ભારે ચકચાર મચી છે. આ પેપર બી.એ વિષયનું હોવાનું જાણવા મળી રહ્યું છે. આમ, નવા વર્ષની શરૂઆતમાં જ પેપર ફૂટ્યું હોવાના સમાચાર સામે આવતાં ફરી એક વાર ચર્ચાનો વિષય બન્યો છે. હવે સવાલ એ થાય છે કે, આ પેપર સોશિયલ મીડિયામાં કેવી રીતે ફરતું થયું?

આ પણ વાંચો: નવા વર્ષે અંબાલાલની મોટી આગાહી: ઠંડીની સાથે પડી શકે છે કમોસમી વરસાદ

જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા કરવામાં આવી શકે છે તપાસ

સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા પેપરને લઇને ખાનગી શાળાના સંચાલકો પણ એક્શનમાં આવ્યા છે. સ્કૂલના સંચાલકો દ્વારા આ સમગ્ર મામલે ફરિયાદ કરવામાં આવી શકે છે. સાથે જ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા પણ તપાસ કરવામાં આવી શકે છે. કોઈ અજાણ્યા વ્યક્તિઓ દ્વારા પેપર વાયરલ કરવામાં આવ્યું હોવાનું મનાય છે. આ સાથે જ સવાલ ઉભા થઇ રહ્યા છે કે, આખરે કોણે આ પેપર વાયરલ કર્યું અને કેવી રીતે સોશિયલ મીડિયામાં ફરતું થયું?

તમારા શહેરમાંથી (રાજકોટ)

Published by:Azhar Patangwala

First published:

Tags: Gujarat News, Paper leak, Rajkot News

કેવડિયાની હોટેલોમાં ડાન્સ ડિનર પાર્ટીનું ખાસ આયોજન, પ્રવાસીઓ મન મુકીને નાચ્યાં | A dance dinner party was specially organized in the hotels of Kevadia, tourists danced their hearts out

નર્મદા (રાજપીપળા)16 મિનિટ પહેલા

31 ડિસેમ્બર વર્ષનો છેલ્લો દિવસ અને 12 વાગ્યે નવા વર્ષના વધામણાં કરવા હોટેલો અને ટેન્ટ સિટીઓમાં ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રવાસીઓએ રાત્રીના 12 વાગ્યે ફટાકડા ફોડી આતીસબાજી કરી નવા વર્ષ 2023 ના વધામણાં કર્યા હતા.

મોટી સંખ્યામાં પ્રવાસીઓ અને સ્થાનિક લોકો જોડાયા
ડીજે ડાન્સ કરી કરી પ્રવાસીઓ એ મોઝ કરી નવા વર્ષના વધામણાં કરી શાનદાર ઉજવણી કરી હતી. કેવડિયા એકતાનાગરમાં રમાડા એનકોર હોટેલમાં ગાલા ડિનર ડાન્સ પાર્ટીનું ખાસ આયોજન મેનેજર મનોજ મહારાજ અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.

સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યાં પછી હવે પ્રવાસીઓનું ફરવા માટેનું પહેલું પસંદગીનું પ્રવાસન સ્થળ કેવડીયા બન્યું છે. ત્યારે નવવર્ષની ઉજવણી કરવા કેવડિયા વિસ્તામાં 50 હજાર જેટલા પ્રવાસીઓ ટેન્ટ સીટી, ગેસ્ટહાઉસ, હોમ સ્ટે, હોટલોમાં રાત્રી રોકાણ કર્યું હતું. કોઈ જગ્યાએ કેમ્પ ફાયર તો કોઈ જગ્યાએ ડાન્સ પાર્ટીઓ યોજાઈ હતી. જેમાં પ્રવાસીઓ ડાન્સ કરી ઉજવણી કરી પોતે ખૂબ મજા માણી રહ્યા છે. ડાન્સ સાથે કેટલીક ગેમ પણ રમાડવામાં આવી હતી. અને વિજેતા પ્રવાસીઓને ગિફ્ટ આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે…

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટે ગુજરાતની આ ખાસ જગ્યાએ સેલિબ્રેટ કર્યુ ન્યૂ યર, જ્હાન્વી અને બોની કપૂર પણ હતાં સાથે

જામનગર : બિઝનેસ ટાયકૂન મુકેશ અને નીતા અંબાણીના નાના દીકરા અનંત અંબાણીની સગાઇ થઇ ચુકી છે અને જલ્દી જ તે લગ્નના બંધનમાં બંધાઇ જશે. તેવામાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ નવા વર્ષની ઉજવણી કરવા જામનગર પહોંચ્યા હતા.

જામનગર એરપોર્ટ પર બંનેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતુ. સગાઈના બંધનમાં બંધાયા પછી અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટે નવા વર્ષની ઉજવણી રિલાયન્સ ટાઉનશીપ ખાતે કરી હતી.

આ પણ વાંચો :  રાજકોટમાં થર્ટી ફર્સ્ટની ઉજવણી દરમિયાન લાગી આગ, અફરાતફરી મચી

જામનગર એરપોર્ટ પર મુકેશ અને નીતા અંબાણીના દીકરા અનંત અંબાણી અને રાધિકા સાથે બોલીવુડ સ્ટાર જાનવી કપૂર અને બોની કપૂર પણ ઉપસ્થિત રહ્યા હતા. સગાઇ કર્યા બાદ આ ન્યૂ કપલ પહેલીવાર રિલાયંસ ટાઉનશિપ પહોંચ્યું હતું.

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના આગમનની ખુશીમાં રિલાયન્સ ટાઉનશિપને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું હતુ. તે બાદ જામનગરની રિલાયન્સ ટાઉનશિપમાં ગ્રાન્ડ ન્યૂ યર સેલિબ્રેશન કરવામાં આવ્યું હતુ.

આ પણ વાંચો :  આણંદ: ત્રિપલ અકસ્માત બાદ કારમાં લાગી આગ, 1નું મોત, 4 ઘાયલ

ખાસ વાત એ છે કે અંબાણી પરિવારમાં હાલ જશ્નનો માહોલ ચાલી રહ્યો છે. થોડા દિવસ પહેલા જ મુકેશ અંબાણીની દીકરી ઇશા અંબાણી પોતાના જોડિયા બાળકો સાથે ભારત પહોંચી હતી અને અંબાણી પરિવારે ઇશા અને તેના બાળકોનું સ્વાગત ધામધૂમથી કર્યુ હતુ. બિઝનેસ ટાઇકૂન મુકેશ અને નીતા અંબાણીના નાના દીકરા અનંત અંબાણીની સગાઇ થઇ ચુકી છે અને જલ્દી જ અંબાણી પરિવારમાં શરણાઇના સૂર વાગશે. જણાવી દઇએ કે તેમની સગાઇ રાજસ્થાનના શ્રીનાથજી મંદિરમાં કરવામાં આવી હતી.

જો કે અનંતના લગ્ન ક્યારે થશે તેના વિશે કોઇ જાણકારી નથી. અનંત અને રાધિકા એકબીજાને પાછલા ઘણા સમયથી ઓળખે છે. રાધિકાને અંબાણી પરિવારના દરેક ફેમિલી ફંક્શનમાં જોવામાં આવી હતી. હવે જલ્દી જ તે અંબાણી પરિવારની નાની વહુ બનશે.

કોણ છે રાધિકા મર્ચન્ટ

તમને જણાવી દઇએ કે રાધિકા વીરેન મર્ચન્ટની દીકરી છે. વીરેન મર્ચન્ટ એક હેલ્થકેર ફર્મના સીઇઓ છે અને રાધિકાએ પોલિટિક્સ અને ઇકોનોમિક્સમાં ગ્રેજ્યુએશન કર્યુ છે. આ ઉપરાંત 2017માં તે ઇસ્પ્રાવા ટીમમાં સેલ્સ એક્ઝીક્યૂટીવ તરીકે સામેલ થઇ. રાધિકા અને અનંત એકબીજાના નાનપણથી જાણે છે. વર્ષ 2018માં બંનેનો સાથે ફોટો વાયરલ થયો હતો જે બાદ તેમના રિલેશનશિપની અટકળોએ જોર પકડ્યુ હતુ.

તમારા શહેરમાંથી (જામનગર)

Published by:Bansari Gohel

First published:

Tags: Anant Ambani, Jamnagar City, Radhika Merchant, Reliance Industries

થર્ટીફર્સ્ટની નાઈટે અમદાવાદના યુવકને લાકડીથી ઢોર માર માર્યો અને સવારે લાશ મળી, ઘટના CCTVમાં કેદ | Dead body of youth found in bush near Hebatpur gate of Thaltej, seen on CCTV after being beaten and taken away by 3 persons

અમદાવાદ6 મિનિટ પહેલા

અમદાવાદના થલતેજ વિસ્તારમાં હેબતપુર ફાટક નજીક આવેલી ઝાડીઓમાંથી આજે સવારે એક યુવકની લાશ મળી આવી હતી. આ મામલે પોલીસને જાણ કરવામાં આવતા સોલા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. યુવકને અન્ય જગ્યાએ માર મારી અને ઝાડીઓમાં ફેંકી દેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. તો બીજી તરફ યુવકના ઘરની નજીક તેને બેથી ત્રણ લોકો માર મારતા હોવાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. જેથી હાલમાં સોલા પોલીસે હત્યાની આશંકાના આધારે તપાસ શરૂ કરી છે.

સીસીટીવી ફૂટેજમાં શું દેખાય છે?
1.52 મિનિટના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જેમાં બાઈક પર એક યુવકને લાવવામાં આવ્યો છે. જ્યાં એક વ્યક્તિ તેને પકડી રાખે છે. જ્યારે અન્ય યુવક તેને લાકડીથી ફટકારી રહ્યો છે. આ ઘટનાક્રમ સીસીટીવીમાં રેકોર્ડ થયો છે. લાકડીથી યુવકને બરહેમીથી ફટકારવામાં આવ્યો હતો.

પોલીસ હત્યા કરાઈ છે કે કેમ તેની તપાસમાં
સોલા પોલીસ સ્ટેશનના પીઆઇ જે. બી. અગ્રાવતે જણાવ્યું હતું કે, હાલમાં યુવકની લાશ મળી આવી છે. યુવકની હત્યા કરવામાં આવી છે કે કેમ તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. ગણતરીના કલાકોમાં સમગ્ર મામલે તપાસ કરી અને કાર્યવાહી કરવામાં આવશે.

નવા વર્ષની સવારે યુવકની લાશ મળતાં પોલીસ દોડી ગઈ
મળતી માહિતી મુજબ આજે સવારે સોલા પોલીસને જાણ થઈ હતી કે, થલતેજ વિસ્તારમાં હેબતપુર ફાટક પાસે રેલવે ટ્રેક નજીક પેલી ઝાડીઓમાં એક યુવકની લાશ મળી છે. જેથી પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે, મૃતકનું નામ રાજેન્દ્ર કાનારમ નવલ (ઉ.વ.25 ) છે. ચાણકયપૂરી વિસ્તારમાં ડમરુ સર્કલ સેકટર 3 વિસ્તારમાં રહે છે. મૃતક યુવક છોટાહાથી ચલાવતો હતો.

પરિવારનો આક્ષેપ હત્યા કરીને લાશને ફેંકી દેવાઈ
ગઈકાલે રાત્રે 31મી ડિસેમ્બર હતી અને તે રાત્રે ઘરની બહાર ગયો હતો. ત્યારે ઘર નજીક કેટલાક લોકોએ તેને માર માર્યો હોવાનું સામે આવ્યું છે. માર મારતા હોવાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. પરિવારજનોનો આક્ષેપ છે કે યુવકને માર મારી અને હત્યા કરી લાશને રેલવે ટ્રેક પાસે ફેંકી દેવામાં આવી હતી. સોલા પોલીસે આ સીસીટીવી ફૂટેજ કબજે કરી અને હાલમાં તપાસ શરૂ કરી દીધી છે.

અન્ય સમાચારો પણ છે…