વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેરમાં કોરોનાના આજે વધુ 25 પોઝિટિવ કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં કોરોનાના કેસનો કુલ આંક 101,117 ઉપર પહોંચી ગયો છે અને મૃત્યુઆંક 544 થયો છે. આજે વધુ 11 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ અત્યાર સુધીમાં કુલ 100,448 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. વડોદરામાં કોરોનાના એક્ટિવ કેસનો આંક 125 થયો છે.
આ વિસ્તારમાં નવા કેસ નોંધાયા વડોદરા શહેરના બિલ, અટલાદરા, ગોરવા, ઉંડેરા, તાંદલજા, સુભાનપુરા, અકોટા, ગોકુળનગર, ગોત્રી, છાણી, હરણી, મકરપુરા, તરસાલી, માણેજા, માંજલપુર, ગાજરાવાડી, વારસિયા, રામદેવનગર વિસ્તારમાં આજે કોરોનાના નવા 25 કેસ નોંધાયા છે. કુલ 750 સેમ્પલ લેવાયા હતા. જેમાંથી 25 દર્દીના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. એક્ટિવ 125 કેસ પૈકી 115 દર્દી હોમ આઇસોલેશનમાં છે અને 10 દર્દી હોસ્પિટલમાં દાખલ છે. હાલ 2 દર્દી ઓક્સિજન પર અને એક વેન્ટીલેટર પર છે. જ્યારે 84 લોકો હોમ ક્વોરન્ટીન છે.
શરદી-ખાંસીના કેસોમાં વધારો અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસથી વડોદરા સહિત રાજ્યભરમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે જેને લઇને વાયરલ ઇન્ફેક્શનના કેસમાં પણ સતત વધારો થઇ રહ્યો છે. શરદી, ખાંસી અને તાવના કેસમાં વધારો થયો છે. જ્યારે રાજ્યમાં કોરોનાના કેસ પણ ધીમે ધીમે વધતા જાય છે જેથી તંત્ર પણ કામે લાગ્યું છે. શહેરના લગભગ તમામ વિસ્તારોમાં શરદી, ખાંસીના કેસો જોવા મળી રહ્યા છે.
A Nobel prize-winning Russian journalist said on Friday he did not believe that arrested American reporter Evan Gershkovich was a spy, and that he hoped diplomacy could bring about his quick release.
Evan Gershkovich: The Wall Street Journal journalist Evan Gershkovich is shown in this undated photo. (AP)
Dmitry Muratov told Reuters the case against Gershkovich – a Wall Street Journal reporter facing espionage charges that carry up to 20 years in jail – was part of a wider trend to make journalism a “dangerous profession” in Russia.
“I know Gershkovich. I’ve met him two or three times over the last year. I know the practice exists of using journalists as spies, intelligence officers and ‘illegals’ (undeclared spies) – this is not that kind of case,” Muratov said.
“He was no kind of so-called deep-cover operative – using being a journalist and his journalist’s accreditation as a cover for espionage … Gershkovich was not a spy,” said Muratov, a co-winner of the Nobel Peace Prize in 2021 for his efforts to defend press freedom in Russia.
He was speaking outside a closed court hearing in Moscow on Friday in the case of Vladimir Kara-Murza, an opposition politician facing charges including state treason and spreading false information about the armed forces.
Muratov also cited the case of Ivan Safronov, a former journalist sentenced to 22 years in jail for treason last year.
“At every turn, we’re being charged with espionage and treason. It’s a trend – to show that journalism is a dangerous profession … both for Russian and other journalists.”
Muratov was editor-in-chief of the independent newspaper Novaya Gazeta, which has seen several of its reporters killed in the last two decades, and had its registration revoked last year after Russia went to war in Ukraine. More than 260 publications have been closed, blocked or de-registered since then, he said.
“I don’t really understand how, given that trend and the lack of media competition, you can hold the elections that President Vladimir Putin announced for 2024,” he said.
“Does it mean they’ll go ahead without difficult topics, discussions, candidate programmes? I’m starting not to understand how that can work.”
Muratov said he was aware of the “popular theory” that Gershkovich had been seized as a bargaining chip for Moscow to use in a prisoner exchange with the United States, though he did not say if he believed that himself.
He said he very much hoped that “through back-channel diplomacy”, Gershkovich would soon be freed.
મહુવા તાલુકાના વઘનગર, સુંદરનગર તેમજ રામદૂતનગરના રહીશોનો આક્ષેપ છે કે તેમના વિસ્તારમાં આવેલ સરકારી પ્રાથમિક શાળામાં આચાર્ય ખોટી રીતે બિલ રજૂ કરીને ભષ્ટ્રાચાર કરી રહ્યા છે. તે બાબતે સ્થાનિક લોકોએ આચાર્યને અનેકવાર સમજવામાં આવ્યા પરંતુ સ્કૂલના આચાર્ય માનતા જ નહોતા. જેથી સ્થાનિક રહીશોએ આજે બી આર સી ભવનમાં આવીને જવાબદાર અધિકારીને રજૂઆત કરી હતી.
ગામના લોકો ટોળાં સાથે બેનર લઈને બી આર સી ભવનના ગ્રાઉન્ડમાં બેસીને સખત વિરોધ પ્રદર્શન કર્યું હતું. આચાર્યના તાત્કાલિક ધોરણે બદલી કરવા માટેના સૂત્રોચ્ચાર કર્યા હતા. સમગ્ર ઘટનાને લઈ જવાબદાર અધિકારીએ સ્થાનિક લોકોના પ્રશ્ન સભાળીને કાર્યવાહી કરીશ તેવી ચોક્કસ ખાતરી આપીને મામલો થાળે પાડ્યો હતો.
OpenAI recently launched ChatGPT’s successor GPT-4. Since its release, social media is flooded with posts about the AI chatbot. In a recent tweet, a man claimed how it helped save his dog’s life by diagnosing a problem. The Twitter thread explaining the interaction between the chatbot and the man about the dog has gone viral. It has also prompted people to share various reactions.
The image shows the dog whose pet dad claimed GPT-4 saved its life.(Twitter/@peakcooper)
“#GPT4 saved my dog’s life. After my dog got diagnosed with a tick-borne disease, the vet started her on the proper treatment, and despite a serious anemia, her condition seemed to be improving relatively well. After a few days however, things took a turn for the worse,” Twitter user Cooper wrote.
In the next few tweets he explained how the first vet he consulted failed to properly diagnose his dog and the pooch’s health kept getting “worse and worse”. And when the doctor failed to pinpoint the problem, the pet dad decided to try out GPT-4 in an attempt to find a solution.
“In the meantime, it occurred to me that medical diagnostics seemed like the sort of thing GPT4 could potentially be really good at, so I described the situation in great detail. I gave it the actual transcribed blood test results from multiple days, and asked for a diagnosis,” he tweeted.
In the next few tweets, Cooper added that the AI chatbot suggested the potential problems that the dog could have. Taking the list into consideration, Cooper formed a rough idea about the problem his dog could have. Soon, he consulted another vet who listened to Cooper’s suggestion while treating his dog. “We started the dog on the proper treatment, and she’s made almost a full recovery now. Note that both of these diseases are very common. Babesiosis is the #1 tick-borne disease, and IMHA is a common complication of it, especially for this breed,” he added.
Take a look at the Twitter thread:
Here are the tweets where the pet dad shared the screenshots of his interactions with GPT-4.
These tweets show what the AI bot compiled while giving a “I am not a veterinarian…” disclaimer.
The pet dad also shared these tweets to conclude his thread:
Since being shared, the main tweet has been viewed over 9.6 million times and the numbers are only increasing. The post has also accumulated several comments from people.
Here’s how Twitter users reacted:
“What is your dog’s name? I’m glad they are on the mend,” commented a Twitter user. “Impressive! Glad your dog is on the road to recovery. GPT helped diagnose what was wrong with my monstera plant a few weeks ago,” shared another. “Human doctor here and can’t wait for this to be integrated in daily practice. I have to look at long lists with results on a daily basis. AI is going to reduce human error,” posted a third. “This is cool but I just can’t get past handing over medical records to OpenAI with barely any privacy protections. Maybe fine for the dog but I couldn’t send over personal stuff,” argued a fourth. “This is completely amazing! I actually have been dealing with some medical things with my dog as well, and haven’t really gotten full answers from my veterinarian. I was thinking about maybe giving us a try, but I’m trying to understand what you used exactly,” wrote a fifth.
કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા કનૈયા કુમારે ભાજપ પર આકરા પ્રહાર કર્યા
મોદી સરનેમ રાહુલ ગાંધીના વિવાદિત નિવેદનના કેસને લઈ રાજકારણ છેલ્લા ઘણા સમયથી ખૂબ જ ગરમાયેલું રહ્યું છે. ત્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા ડો. કનૈયા કુમાર આજે સુરત આવ્યા હતા, અને પત્રકાર પરિષદ સંબોધી હતી. જેમાં તેમણે રાહુલ ગાંધી સામેની સજાને લઈ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા, અને કહ્યું હતું કે, આ સમગ્ર મામલો ભાજપ દ્વારા લોકોને ગુમરાહ કરવા અને વિપક્ષનો અવાજ દબાવવા ઉભો કરાયેલો મુદ્દો છે. આ મામલો જે રીતે બતાવવામાં આવી રહ્યું છે કે, માનહાનિ નો છે. પરંતુ માનહાની નહીં પરંતુ, સંસદમાં ઉઠવામાં આવતો બેઇમાની સામેનો અવાજ બંધ કરવાનો છે. તો હાર્દિક પટેલનું નામ લીધા વગર કહ્યું કે, તે આગામી દિવસોમાં મંત્રી અને નાયબ મુખ્યમંત્રી પણ બની જશે.
ભાજપપર આકરા પ્રહાર વર્ષ 2019ના ઇલેક્શન દરમિયાન કર્ણાટકમાં રાહુલ ગાંધીએ આપેલા મોદી સરનેમ પરના ભાષણને લઈ તેઓ સામે સુરતમાં કોર્ટમાં કેસ કરવામાં આવ્યો હતો. આ કેસમાં રાહુલ ગાંધી સામે સજાનું ફરમાન થયાનો ચુકાદો આવતા તેમનું સંસદમાંથી સભ્યપદ દૂર કરી દેવામાં આવ્યું છે. ત્યારથી સમગ્ર દેશમાં રાજકારણ ખૂબ જ ગરમાયેલું રહ્યું છે. ત્યારે રાહુલ ગાંધીના કેસના ચુકાદાને લઈ આજે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા ડો. કનૈયા કુમાર સુરત આવ્યા હતા. ભાજપ સામે આકરા પ્રહારો કર્યા હતા. અનેક મુદ્દાઓ અને અનેક પ્રશ્નો ઉઠાવીને સંસદમાં વિપક્ષ તરીકે રાહુલ ગાંધીનો અવાજ બંધ કરી દેવા માટે રચાયેલો આ આખો પ્રી પ્લાન ખેલ ગણાવ્યો છે.
આડકતરી રીતે જજ પર ટકોર કરી કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા કનૈયા કુમાર સુરતમાં આવીને પત્રકાર પરિષદ સંબોધી હતી. જેમાં તેમણે રાહુલ ગાંધી સામે સુરતના જજે સંભળાવેલ સજાને લઈ જજના ચુકાદા સામે આડકતરી ટકોર કરી હતી. આ ચુકાદો કોઈના ઇશારે અગાઉથી નક્કી કરી દેવાયો હોવાનું પ્રસ્થાપિત કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, સુરત કોર્ટના માનનીય જજ હરેશ વર્માજીને ચુકાદો સંભળાવ્યા બાદ પ્રમોશન મળ્યું છે. ત્યારે તેમના પ્રમોશનને લઈ હું તેમને અને તેમના પરિવારને હાર્દિક શુભકામના પાઠવું છું અને જીવનમાં આ જ રીતે આગળ વધવાની શુભેચ્છા આપું છું.
મામલો માનહાનિનો નહિ અવાજ બંધ કરવાનો છે કનૈયા કુમારે વધુમાં જણાવ્યું હતું કે, શરૂઆતથી જ જે રીતે રાહુલ ગાંધી સામેના કેસને માનહાનિના કેસ તરીકે પ્રસ્થાપિત કરાઇ રહ્યો છે. પરંતુ ખરેખર આ મામલો હું માનું છું કે, માનહાનિનો નથી પરંતુ બેઇમાનીનો છે.બેઈમાની ની વાતો લોકો સુધી ન પહોંચે તે માટે આ કરવામાં આવ્યું છે. જે કંપનીની બઈમાનીને લઈ સંસદમાં છેલ્લા ઘણા દિવસોથી રાહુલ ગાંધી દ્વારા અવાજ ઉઠાવવામાં આવી રહ્યો છે અને ચર્ચા કરવામાં આવી રહી છે તે ચર્ચાને જ દૂર કરી દેવાય તે માટે આ પ્રકારનો માનહાનિ ના નામનો મામલો આગળ કરીને ચુકાદો લાવવામાં આવ્યો છે.
અદાણી પર આકરા પ્રહાર કનૈયા કુમારે રાહુલ ગાંધી પર કરવામાં આવેલા કેસ અને સજા સામે અદાણી સામે ઉઠાવવામાં આવેલો અવાજ બંધ કરવાનો પ્રયાસ બતાવ્યો હતો. સંસદમાં વારંવાર અદાણી કંપની ની ગેરરીથી થયું હોવાના આરોપ લગાવીને અવાજ ઉઠાવવામાં આવી રહ્યો છે. તેની સામે કોંગ્રેસ અને વિપક્ષ દ્વારા પ્રધાનમંત્રી ને જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી (JCP) બનાવીને નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરવામાં આવી રહી છે પરંતુ તેમને બચાવવાનો ભાજપ દ્વારા સતત પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. એક ઉદ્યોગપતિ અને એક વ્યક્તિને બચાવવા માટે આજે સમગ્ર ભાજપના નેતાઓ વિપક્ષનો અવાજ બંધ કરાવવા લાગ્યા છે. લોકતંત્રમાં અવાજ દબાવવા માટેનો આ એક હિનન પ્રયાસ કરવામાં આવ્યો છે.
પાટીદાર આરક્ષણ માંગનાર આવતા દિવસોમાં મંત્રી અથવા મુખ્ય મંત્રી બનશે : કનૈયા કુમાર કનૈયા કુમારે ભાજપ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે ભ્રષ્ટાચારમાં ભાજપ કોઈપણ હદ સુધી પ્રયાસો કરી શકે છે. કનૈયા કુમારે આડકતરી રીતે હાર્દિક પટેલનું નામ લીધા વગર ભાજપ પર પ્રહારો કરતાં જણાવ્યું હતું કે મારો એક ખૂબ જ જૂનો દોસ્ત છે. અત્યારે જેમ અન્ય લોકો બેઠા છે તેવી રીતે એ પણ મારી સાથે બાજુમાં બેસતો હતો. મારા એ મિત્રને ભાજપ વાળા દેશદ્રોહી કહેતા હતા. અનેક જુદા જુદા કેસો તેની પર કર્યા હતા. હવે વોશિંગ મશીનમાં જઈને બધું સાફ થઈ ગયું છે. આજે તમામ કેશો તેના દૂર થઈ ગયા છે.ભાજપમાં જઈ તે ધારાસભ્ય બની ગયા છે. અને લાગે છે બધું જ જો બરોબર રીતે સેટ થઈ જશે તો આગામી દિવસોમાં મંત્રી અથવા મુખ્યમંત્રી પણ બની જશે. પાનની દુકાન ઉપર ભાજપના કાર્યકર્તાઓ જેને દેશદ્રોહી બતાવી રહ્યા હતા, પટેલ આરક્ષણ માંગવાને લઈ તેને જાતિવાદી કહેવામાં આવતો હતો, ટુકડે ટુકડે ગેંગનો કહેવામાં આવતો હતો. તે બધું જ સાફ થઈ ગયું, ધોવાઈ ગયું, માફ થઈ ગયું.
સુરત મહાનગરપાલિકાની રખડતા શ્વાન માટે કરવામાં આવતી કામગીરીને લઈ પ્રશ્નો ઉઠી રહ્યા છે. અલથાણ ગામમાં બાળકી પર શ્વાનના હુમલાની ઘટના બાદ તંત્ર દ્વારા દસ જેટલા શ્વાનને ઝડપી પાડ્યા છે. ત્યારે મેયરે શ્વાનની આક્રમકતાને લઈને નિવેદન આપ્યું હતું કે, શ્વાનમાં ડાયબિટિસનું પ્રમાણ વધી રહ્યું છે અને તેના જ કારણે વધુ આક્રમક બની રહ્યા છે.
શ્વાનોને રસીકરણ માટે ભેસ્તાન ખાતે મોકલાયા શ્વાનના હુમલાને લોકોમાં પણ ભયનો માહોલ ઉભો થઈ રહ્યો છે. સ્થાનિક લોકો દ્વારા ફરિયાદ બાદ જાગેલા સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ દોડતા થયા હતા. ખસીકરણ અને રસીકરણની કામગીરી કરતી પાલિકાની ટીમ દ્વારા શ્વાનોને ઝડપી પાડવામાં આવે છે. ત્યારબાદ શ્વાનોને રસીકરણ માટે ભેસ્તાન ખાતે મોકલી આપવામાં આવે છે.
શ્વાન પકડાવાની કેપેસિટી વધારી સુરતના મેયર હેમાલી બોઘાવાલાએ જણાવ્યું હતું કે, જે રીતે ડોગ બાઈટના કિસ્સાઓ વધી રહ્યા છે, તેને જોતા તંત્ર ખૂબ જ એલર્ટ થઈ કામગીરી કરી રહ્યું છે. ડોગ માટેના પાંજરાઓ પણ વધારી દેવામાં આવ્યા છે. શ્વાન પકડાવાની કેપેસિટી વધારી મેડિકલની ટીમમાં પણ વધારો કરવામાં આવ્યો છે. સુરતમાં રખડતા ડોગ માટે એક સ્પેશિયલ ડોક્ટરોની ટીમ પણ બનાવવામાં આવી છે.
બાળકો પર હુમલા દુઃખદ બાબત વધુમાં જણાવ્યું હતું કે, શ્વાનમાં ડાયાબિટીસનું પ્રમાણ પણ વધી રહ્યું છે. શ્વાન વધુ આક્રમક બની રહ્યા છે, તેની પાછળ અન્ય કારણો પણ જવાબદાર છે. જેને લઈ બાળકો પર આ રીતે હુમલો કરી રહ્યા છે જે દુઃખદ બાબત છે. સુરતમાં બાળકો પર શ્વાનના હુમલાની ઘટના ભવિષ્યમાં ન બને તે માટે તંત્ર પ્રયાસ કરી રહ્યું છે.
શ્વાનના હુમલાની ઘટનામાં બે માસૂમ બાળકોએ જીવ ગુમાવ્યો મહત્વનું છે કે, સુરતમાં રખડતા શ્વાનનો આતંક છેલ્લા ઘણા સમયથી જોવા મળી રહ્યો છે. છતાં તંત્ર સ્વાનના આતંકને અટકાવવામાં સદંતર નિષ્ફળ સાબિત થયું છે. શહેરમાં હમણાં સુધી શ્વાનના હુમલાની ઘટનામાં બે માસૂમ બાળકો પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે.
તબીબોની સ્પેશિયલ ટીમ મેદાનમાં શહેરમાં શ્વાનના વધતા હુમલા પાછળ મેયરે ડાયાબિટીઝ સહિતના અન્ય કારણો જવાબદાર ગણાવ્યા છે. ત્યારે પાલિકા તંત્ર દ્વારા હાલ તો શ્વાનના વધુ આક્રમક બનવા પાછળનું કારણ જાણવા તબીબોની સ્પેશિયલ ટિમ મેદાનમાં ઉતારવામાં આવી છે. જે ટીમ દ્વારા શ્વાનના હુમલા પાછળનું કારણ શોધવામાં આવી રહ્યું છે.
Pope Francis will leave hospital on Saturday and could take part in all Easter week celebrations, a top cardinal told Italian news agency Adnkronos on Friday.
Pope Francis(AP)
The pope, 86 and suffering from a number of ailments, was taken to Rome’s Gemelli hospital two days ago after complaining of breathing difficulties.
However, the Vatican said on Thursday he was already much better after beginning treatment with antibiotics and would probably be discharged within a few days.
“According to the information I have, he will leave the Gemelli tomorrow,” the dean of the college of cardinals, Giovanni Battista Re, said on Friday.
“That way, he could preside over all the Holy Week rites,” Re said.
Holy Week, starting with Palm Sunday on April 2, leads to the most important event in the Christian calendar, Easter Sunday on April 9. The week includes a busy schedule of rituals and ceremonies that can be physically exhausting, including a Good Friday nighttime procession by Rome’s Colosseum.
Re said arrangements had been made for Francis to be supported by a cardinal in each of these celebrations, and that the cardinal would take care of altar duties.
Earlier on Friday, a Vatican source said the pope had spent a second peaceful night in hospital, in the latest sign he is recovering well from his bronchitis infection.
The Vatican expects to issue another bulletin on Francis’s progress later on Friday, the source added.
In The Midst Of Increasing Corona Cases, The State Released Important Guidelines, Candidates Who Appeared For The Junior Clerk Exam Will Get Allowance, Who Put Up The Anti Modi Posters?
31 મિનિટ પહેલા
કૉપી લિંક
ગુજરાતના વહીવટી તંત્રમાં ધરખમ ફેરફારો
ગુજરાતના વહીવટી તંત્રમાં ધરખમ ફેરફાર કરાયો છે. 109 જેટલા IAS અધિકારીઓની બદલી કરાઈ છે. મુકેશ પુરી, એ કે રાકેશ, કમલ દયાની ,અરૂણ સોલંકી, મુકેશકુમાર, રમેશચંદ્ર મિના સહિતના અધિકારીઓની બદલી કરાઈ છે.મોહમ્મદ શાહીદ, સંજીવ કુમાર, રૂપવંત સિંગ મનીષાચંદ્રા અને બી એન પાની તેમજ હર્ષદ પટેલ, આલોક પાંડે સહિત અનેક સિનિયર અધિકારીઓની બદલી કરાઈ છે. રમ્યા મોહન અને દિલીપ રાણા સહિતના 10 અધિકારીઓને પ્રમોશન પણ અપાયા છે.
આઈપીએલ 16ની શરુઆત થઈ
અમદાવાદના નરેન્દ્રમોદી સ્ટેડિયમમાં આજથી આઈપીએલ 16મી સિઝનની શરુઆત થઈ.. રંગારંગ કાર્યક્રમની સાથે આઈપીએલની શરુઆત થઈ.. 1.15 લાખ દર્શકોથી સ્ટેડિયમ ખીચોખચ ભરાયુ..સૌપ્રથમ ગુજરાત ટાઇટન્સ અને ચેન્નઇ સુપર કિંગ્સ વચ્ચે ઓપનિંગ મેચ યોજાવાની છે. આજની મેચની તમામ ટિકિટો વેચાઈ ગઈ છે. બપોરે 3:30 વાગ્યાથી લોકોને સ્ટેડિયમમાં પ્રવેશ આપવામાં આવ્યો..બોલિવૂડ એક્ટ્રેસ તમન્ના ભાટિયા, કેટરીના કૈફ અને સિંગર અરિજિતસિંહ ઓપનિંગ સેરેમનીમાં પરફોર્મ કર્યું..ઓપનિંગ સેરેમની દરમિયાન 1500 જેટલા ડ્રોન મારફત આઇપીએલ 2023ના કપની કૃતિ આકાશમાં બનાવાઈ..નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે યોજાનારી આઈપીએલની પ્રથમ મેચ માટે પ્રેક્ષકોને સ્ટેડિયમ પહોંચાડવા અને પાછા લાવવા રાત્રે અઢી વાગ્યા સુધી મેટ્રો દોડાવાશે, જ્યારે બીઆરટીએસની 74 બસ રાત્રે 12 વાગ્યા સુધી અને એએમટીએસની 91 બસ રાત્રે 1:30 વાગ્યા સુધી દોડાવાશે. મેટ્રો દર 12 મિનિટે મળી રહેશે. ગઈકાલે ગુરુવારની સાંજે શહેરમાં વરસાદ પડતાં સ્ટેડિયમના ખૂણે પાણી ભરાયાં હતાં.
રાજ્ય સરકાર ઉમેદવારોને આપશે ટ્રાવેલ અલાઉન્સ
જુનિયર ક્લાર્કની પરીક્ષાને લઇ મહત્વના સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકાર જુનિયર ક્લાર્કની પરીક્ષા ઉમેદવારોને ટ્રાવેલ એલાઉન્સ આપશે. જોકે અહી એ મહત્વનું છે કે, પરીક્ષામાં હાજર રહેનારા ઉમેદવારોના જ ખાતામાં રૂપિયા જમા થશે. માહિતી મુજબ દરેક ઉમેદવારના ખાતામાં 254 રૂપિયા જમા કરાવવામાં આવશે. જેની માટે ઉમેદવારે કોલ લેટર ડાઉનલોડ કર્યા બાદ બેંકની માહિતી આપવી પડશે. ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ જુનિયર ક્લાર્કની પરીક્ષા આપનાર ઉમેદવારોને હવે ટ્રાવેલ એલાઉન્સ આપવાનું નક્કી કરાયુ છે. જે મુજબ કોલલેટર ડાઉનલોડ કર્યા બાદ હવે ઉમેદવારોએ ઓનલાઈન બેંકની માહિતી આપવી પડશે. જે બાદમાં પરીક્ષા પૂર્ણ થયા બાદ 20 એપ્રિલથી 30 એપ્રિલ દરમિયાન ઉમેદવારોના ખાતામાં આ રકમ એટલે કે ટ્રાવેલ એલાઉન્સની ફાળવણી કરવામાં આવશે. જોકે નોંધનીય છે કે, આ માહિતી ઓનલાઈન ભરવાની સમયમર્યાદા 31-03-2023ના બપોરે 01:00 વાગ્યાથી 09-04-2023ના 12:30 વાગ્યા સુધી જ ભરી શકાશે.
આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે તંત્રની ગાઈડલાઈન જાહેર
ગુજરાત સહિત દેશભરમાં સતત કોરોના વાયરસના કેસોની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. જેને લઈ હવે ગુજરાત સરકારના આરોગ્ય વિભાગે ફરી એકવાર કોરોનાની નવી ગાઈડલાઇન જાહેર કરી છે. વાત જાણે એમ છે કે, રાજ્યમાં કોરોના સંક્રમણ રોકવા આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે તંત્ર દ્વારા ગાઈડલાઈન જાહેર કરાઇ છે. જે મુજબ હવે ચીન, સિંગાપોર, હોંગકોંગ, કોરિયા, થાઇલેન્ડ અને જાપાનના મુસાફરોએ RT-PCR બાદ જ ગુજરાતમાં જ પ્રવેશ મળશે. ગુજરાત સરકારના આરોગ્ય વિભાગે અમદાવાદ અને સુરત એરપોર્ટ ડિરેક્ટરને પત્ર લખ્યો છે. આ સાથે આરોગે તંત્ર દ્વારા ગુજરાતમાં ફરી એકવાર કોરોના સંક્રમણ રોકવા ગાઈડલાઇન જાહેર કરાઇ છે. જેમાં એરપોર્ટ પર આવતા આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે કેટલાક નિર્ણયો કરવામાં આવ્યા છે.રાજ્યમાં વધતા કોરોનાના કેસને લઈ તંત્ર અલર્ટ મોડ પર છે ત્યારે આરોગ્ય વિભાગે આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે ગાઈડલાઈન જાહેર કરી છે. જે મુજબ ચીન, સિંગાપોર, હોંગકોંગ, કોરિયા, થાઇલેન્ડ અને જાપાનના મુસાફરોને RT-PCR બાદ પ્રવેશ મળશે. આ સાથે નવી ગાઈડલાઇન મુજબ મુસાફરોએ એર સુવિધા પોર્ટલ પર નેગેટિવ રિપોર્ટ અપલોડ કરવાનો રહેશે. જેને લઈ આરોગ્ય વિભાગે અમદાવાદ અને સુરત એરપોર્ટ ડિરેક્ટરને પત્ર લખ્યો છે.
શાંતિ એશિયાટીક સ્કૂલની દાદાગીરી
અમદાવાદના શેલા વિસ્તારમાં આવેલી શાંતિ એશિયાટિક સ્કૂલનો વિવાદ સામે આવ્યો છે. સ્કૂલમાં ભણતા આશરે 150 જેટલા વિદ્યાર્થીઓના રિઝલ્ટ રોકવામાં આવ્યા હોવાના આક્ષેપ સાથે આજે વાલીઓએ સ્કૂલ પર ભેગા થઈને વિરોધ નોંધાવ્યો હતો. તેઓએ આક્ષેપ કર્યો છે કે, અમારા બાળકોને અમે ખાનગી વાનમાં મોકલીએ છીએ. બસમાં અમારા બાળકો આવતા નથી, જેથી અમારા બાળકોના રિઝલ્ટને રોકી રાખવામાં આવ્યા છે. આજે અમે વાલીઓ ભેગા થઈને સ્કૂલ મેનેજમેન્ટને રજૂઆત કરવા માટે આવ્યા છીએ, પરંતુ અમને મળવા દેવામાં આવ્યા નથી. સ્કૂલ તરફથી જે પેરેન્ટ્સ મિટિંગ રાખવામાં આવે છે, તેમાં પણ બોલાવવામાં આવ્યા નથી.સ્કૂલ વાનનો ચાર્જ 1700 રૂપિયા છે, જ્યારે સ્કૂલ બસનો ચાર્જ 2750 રૂપિયા જેટલો છે. તેમાં પણ સ્કૂલ તરફથી જે પોઇન્ટ નક્કી કરવામાં આવે છે, ત્યાં સુધી મૂકવા જવું પડે છે. આમ ખાનગી વાનમાં જે બાળકો આવે છે, તો હવે સ્કૂલ બસમાં આવે તેવી ફરજ પાડવા માટે થઈને રિઝલ્ટ રોકવામાં આવ્યા છે. આ મામલે આજે હવે જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરવામાં આવશે.
માસુમ બાળકીની હત્યા
રાજકોટ જિલ્લાના જેતપુરમાં સામાકાંઠે આવેલ જનકલ્યાણ વિસ્તારમાં અઢી વર્ષની બાળકીની હત્યા કરાયેલ હાલતમાં લાશ મળી આવતા પોલીસે બાળકીને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડી CCTV ફૂટેજના આધારે શકમંદોની અટકાયત કરી પોલીસે તપાસ હાથ ધરી છે. બાળકીના પિતા અને પરિવારજનોનો આક્ષેપ છે કે દારૂના નશામાં આરોપીએ બાળકીની હત્યા નિપજાવી છે તેને ફાંસીની સજા જ થવી જોઇએ.રાજકોટ જિલ્લાના જેતપુર વિસ્તારમાં સાળીના કારખાનામાં મજૂરી કામ કરતા અને મૂળ બિહારના વતની પંકજ કુમાર (ઉ.વ.33) અને તેમના પત્ની કારખાનામાં કામ કરતા હતા દરમિયાન સાંજના 5 વાગ્યા આસપાસ બાળકી નજીકમાં ભાગ લેવા ગયેલ હતી આ દરમિયાન રાજેશ ચૌહાણ નામના શખ્સની દાનત બગડતા અઢી વર્ષની માસુમ બાળકી રિયાને નજીકમાં અવાવરું જગ્યાએ લઇ ગયો હતો જો કે બાળકી સાથે અડપલાં કરતા સમયે બાળકી બુમાબુમ કરવા લાગતા નરાધમે બાળકીને મોઢે ડૂચો દઇ ગળું દબાવી પથ્થર મારી હત્યા નિપજાવી હતી બાદમાં બાળકીની લાશને કોથળામાં વીંટી અવાવરું સ્થળે ફેંકી દીધી હતી.
પોસ્ટર્સ લાગ્યાંની જાણ થતાં પોલીસ એક્ટિવ બની
અમદાવાદ શહેરમાં ગત 30 માર્ચને ગુરુવારની મોડી રાતે ઠેર-ઠેર ‘મોદી હટાવો, દેશ બચાવો’નાં પોસ્ટર્સ લાગ્યાં હતાં. પોસ્ટર્સ લાગ્યાંની જાણ થતાં તાબડતોબ પોલીસ સક્રિય બની હતી. અલગ અલગ વિસ્તારો સર્ચ હાથ ધરીને પોસ્ટર્સ હટાવાયાં હતાં અને ગણતરીના કલાકોમાં આરોપીઓને ઝડપી પડ્યા હતા. પકડાયેલા આરોપીઓ AAPના કાર્યકરો છે અને હાલ તેમની પૂછપરછ હાથ ધરવામાં આવી છે.અમદાવાદ શહેરમાં ગત ગુરુવારની મોડી રાતે અચાનક વિવાદ શરૂ થયો હોય એમ શહેરના અલગ અલગ વિસ્તારોમાં મોદી હટાવો દેશ બચાવો જેવા સ્લોગન સાથેનાં પોસ્ટર્સ લાગ્યાં હતાં. આ વાતની જાણ થતાં અલગ અલગ વિસ્તારોમાં પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ સક્રિય બની હતી અને તાત્કાલિક પ્રધાનમંત્રી વિરુદ્ધ આવાં પોસ્ટરો કોણે લગાવ્યાં એની તપાસ હાથ ધરી હતી. બીજી તરફ આ વિવાદને કારણે પોલીસે આ પોસ્ટર લગાડનારને પકડવા માટે અલગ અલગ ટીમ બનાવી હતી.
All audit work across India will become paperless and will only be carried out digitally from April 1, the Comptroller and Auditor General of India (CAG) announced on Friday.
(File Photo)
The historic development will ensure that CAG’s 130-odd offices will not have to go through hundreds and thousands of files physically and records can be maintained for eternity.
“…. from tomorrow onwards, all new audit work in our institution will take place only through OIOS (One IAAD One System) and physical paper-based workflow must cease. From tomorrow onwards, the digitization process would be irreversible,” CAG Girish Chandra Murmu said on Friday.
The OIOS rollout process, Murmu said, involved work relating to master data, audit design, audit execution, legacy data migration, knowledge management system, quality assurance, quality control, audit products, communication and follow-up.
“The institution of the CAG has always been one of the first government organizations to adopt new technology in its working model. Be it digitizing the accounting and entitlement process, adopting IT (Information Technology) enabled audit, using data analytics in facilitating audit, or workflow automation, OIOS is a step in that direction which strengthens our audit officers to continue to provide independent and credible assurance on public resources and be a global leader in public sector auditing,” the federal auditor said in a statement quoting Murmu.
Envisaged in late 2019-early 2020, OIOS is a web-enabled solution with support for multiple languages with offline functionality and a mobile app. It is the primary system of record (single source of truth) for the entire chain of audit activities, from audit planning and design through audit execution to issue and follow-up of inspection reports to processing and finalization of the CAG’s audit reports and follow-up. It covers all types of audit – compliance, financial and performance.
Generally, close to 90 audit reports are prepared through CAG’s 130 offices across India and approved every year for submission to Parliament, state legislature or union territory legislature, containing findings on government business transacted during the preceding financial year (or earlier years). Digitisation will mean that no physical documents need to be studied by the auditors.
According to a CAG official, the historic step will not only ensure accountability but also accuracy.
“This will tremendously change how the audits are done. Even communication will take place through this system. Nobody can remove any document or data and say an audit was not carried out. The system will ensure full responsibility, transparency and complete documentation. Besides, there will be a permanent record of everything and a lot of paper will be saved,” said the official who did not wish to be named.
The official said all audit offices across India have been connected in the system and the ministries/departments– the auditees– will be connected in the next stage.
According to a person familiar with the initiative, reports tabled in parliament will also be digitized. Already, as a pilot project, a few reports have been prepared digitally, he said.
Murmu emphasized that to audit, the technology used by the government in delivering services as well as ensuring equity, efficiency, effectiveness, and ethics in such delivery, the auditors need to be one step ahead of the government.
“Government of India has forged ahead with the Digital India programme through which it has used technology extensively in every sector of economy and governance. Extensive use of Artificial Intelligence (AI) in all fields is an inevitable outcome of government policies. IAAD (Indian Audit and Accounts Department) is working towards building infrastructure and processes for artificial intelligence and machine learning and harnessing the potential of these technologies for delivering audit products more effectively,” Murmu added, according to the statement by the CAG office.
અડગ મનના માનવીને પહાડ પણ નથી નડતો આ વાક્યને શાર્થક કરી બતાવ્યું છે સુરતના ડેન્ટિસ્ટ ડો. હેતલ તમાકુવાલાએ. મલેશિયામાં આયોજિત આયર્નમેન ટ્રાઈથ્લોન સ્પર્ધા પૂર્ણ કરી 10મુ સ્થાન મેળવ્યું છે. આ સાથે જ હેતલ તમાકુવાલા આ સ્પર્ધા પૂર્ણ કરનાર પ્રથમ ડેન્ટિસ્ટ છે અને ગુજરાતના બીજા મહિલા બની ગયા છે. અત્રે ઉલ્લેખનિય છે કે ટ્રાઈથ્લોનની પ્રેક્ટિસ દરમિયાન પાંચ ફ્રેક્ચર થયા હતા પણ તાલીમ ચાલુ રાખી હતી.
ગુજરાતના બીજા એથ્લીટ બન્યા ડાયમંડ અને ટેક્સટાઇલ સિટી તરીકે વિશ્વભરમાં જાણીતું સુરત શહેર હવે સ્પોર્ટ્સ ક્ષેત્રે પણ કાઠું કાઢી રહ્યું છે. શહેરની એવી અનેક સ્પોર્ટ્સ પર્સનાલિટી છે કે જેઓ પોતાના દમદાર પ્રદર્શન થકી સુરત, ગુજરાત અને દેશનું નામ આંતરરાષ્ટ્રીય સ્તરે રોશન કરી ચૂક્યા છે. ત્યારે આવી પર્સનાલિટીમાં શહેરના ડેન્ટિસ્ટ ડો. હેતલ તમાકુવાલા પણ હવે સામેલ છે. 45 વર્ષીય ડો. હેતલે મલેશિયા ખાતે યોજાયેલી અતિ કઠીન ગણાતી ફૂલ આયરનમેન ટ્રાઇથ્લોને સફળતા પૂર્વક પૂર્ણ કરી આંતરરાષ્ટ્રીય સ્તરે 10મો રેન્ક મેળવી સુરત, ગુજરાત અને દેશનું નામ આંતરરાષ્ટ્રીય સ્તરે રોશન કર્યું છે. ડો. હેતલ ફૂલ આયરન મેન ટ્રાઈથ્લોન પૂર્ણ કરનારા ભારતના નવમા મહિલા એથ્લીટ અને ગુજરાતના બીજા એથ્લીટ છે અને દેશના પહેલા મહિલા ડેન્ટિસ્ટ છે.
ફૂલ આયરનમેન ટ્રાઇથ્લોને સફળતા પૂર્વક પૂર્ણ કરી આંતરરાષ્ટ્રીય સ્તરે 10મો રેન્ક મેળવ્યો.
બે કિમીની દોડમાં સિલ્વર મેડલ બાદ પ્રેરણા મળી આયર્ન મેન ડો. હેતલ તમાકુવાલા એ જણાવ્યું હતું કે દસ વર્ષ પહેલાં તમને સ્વપ્નેય ખ્યાલ ન હતો કે તેઓ એક દિવસ અતિ કઠીન ગણાતી ફૂલ આયર્ન મેન ટ્રાઇથ્લોન સફળતા પૂર્વક પૂર્ણ કરશે. આ ક્ષેત્રમાં આગળ વધવાની સફર વિશે ડો.હેતલ કહે છે કે દસ વર્ષ પહેલા સુરતમાં યોજાયેલી બે કિમીની દોડમાં ભાગ લીધો અને તેમાં સિલ્વર મેડલ જીત્યો આ સફળતાએ મારામાં એથ્લેટિક બનવાના બીજ રોપ્યાં. ત્યારથી તબીબી વ્યવસાય સાથે જ એથ્લેટિક બનવાના લક્ષ્ય સાથે આકરી પ્રેક્ટિસ શરૂ કરી.
સાત કલાકની જ ઊંધ લેતા હતા ડો. હેતલે “રૂલ ઓફ – 7” સૂત્ર અપનાવ્યું હતું. એટલે કે ક્લિનિક્લ પ્રેક્ટિસના 7 કલાક, સ્પર્ધા માટે તાલીમના 7 કલાક અને દિવસમાં 7 કલાકની ઊંઘ. ફૂલ આયર્ન મેન ટ્રાઇથ્લોનમાં દરિયામાં સ્વિમિંગ કરવાનું હોવાથી સ્વિમિંગની પ્રેક્ટિસ SDCA લાલભાઈ સ્વિમિંગ પુલ સાથે જ તાપી નદી અને કોઝવેમાં કરી, જ્યારે સાયકલિંગની પ્રેક્ટિસ માટે સુરતથી સાપુતારા અને સુરતથી ડાંગનો રૂટ અને સુરત શહેરના માર્ગો પસંદ કર્યા હતા. રનિંગ અને જીમમાં પણ સતત પરસેવો વહાવ્યો અને આ આકરી પ્રેક્ટિસનું જ પરિણામ છે કે હું મલેશિયા ખાતે યોજાયેલી ફૂલ આયર્ન મેન ટ્રાઇથ્લોન સફળતા પૂર્વક પૂર્ણ કરી આંતરરાષ્ટ્રીય સ્તરે 10મો રેન્ક મેળવી આયરન મેનનું ટાઇટલ મેળવી શકી.
તાપી નદી અને કોઝવેમાં સ્વિમિંગની પ્રેક્ટિસ કરી.
ટ્રાઈથ્લોન 15 કલાક અને 40 મિનિટમાં પૂર્ણ કરી વધુમાં ડો.હેતલ કહે છે કે આ બધું કરવું અને મેળવવું પરિવારનો સપોર્ટ અને કોચના માર્ગદર્શન વગર શક્ય ન હતું. મને શરૂઆતથી જ મારા પતિ ડો.દીપક તમાકુવાલા, પુત્રો ડો. ધ્રુવ અને દેવાંશનો મોરલ સપોર્ટ રહ્યો છે તો સ્વિમિંગ કોચ જીજ્ઞેશ અને સાયકલિંગ કોચ તારક દ્વારા મહત્વપૂર્ણ માર્ગદર્શન મળ્યું છે. મલેશિયા ખાતે યોજાયેલી ફૂલ આયર્ન મેન ટ્રાઇથ્લોનમાં 3.8 કિમી દરિયામાં સ્વિમિંગ ત્યારબાદ 180 કિમી સાયકલિંગ અને ત્યારબાદ 42 કિમી રનિંગ 16 ક્લાકમાં પૂરી કરવાની હતી, આ ત્રણેય ટાસ્ક મે 15 કલાક અને 40 મિનિટમાં સફળતા પૂર્વક પૂર્ણ કર્યાં. જોકે, આ સ્પર્ધામાં સાયકલિંગ દરમિયાન ધોધમાર વરસાદના કારણે રસ્તાઓ પર પાણી વચ્ચે જોખમ ખેડ્યું હતું. રસ્તાની બાજુમાં આવેલી ખીણમાં પડી જવાનો ડર હતો. જ્યારે સ્વિમિંગમાં જેલીફીશના કરડવાથી પણ તકલીફો થઈ હતી. ત્યારબાદ વરસાદના કારણે કાદવમાં રનિંગ કરવાના કારણે વોમિટીંગ પણ થઈ હતી.
ઇટાલીની કંપનીની કસ્ટમાઈઝ સાઇકલનો ઉપયોગ આ સફળતામાં પરિવાર અને કોચની સાથે જ વિશાલ સાઇકલ એજન્સીનો પણ મહત્ત્વનો રોલ રહ્યો છે. જેમણે આ માટે ઇટાલીની કંપની દ્વારા કસ્ટમાઈઝ કરાયેલ વિશિષ્ઠ એવી સાત કિલોની કાર્બન ફાઇબરની સાઇકલ મારા માટે ઓર્ડર કરવા સાથે હેલ્મેટ, શૂઝ સહિત જયારે પણ કોઈ પણ ઇકવપમેન્ટની જરૂર પડી તે પૂરા પાડયા. આ સાથે સુરત મહાનગર પાલિકા અને પોલીસ વિભાગે પણ પૂરતો સપોર્ટ કર્યો હતો.
રોજ સાયકિંગ કરતા હતા.
પાંચ મહિનામાં પાંચ ઇવેન્ટ પૂર્ણ કરી ડો. હેતલે મલેશિયા ખાને ફૂલ આયર્ન મેન ટ્રાઇથ્લોન સફળતા પૂર્વક પૂર્ણ કરવા સાથે જ પાંચ મહિનામાં પાંચ ઇવેન્ટ પણ સફળતા પૂર્વક પૂર્ણ કરી છે અને આવું કરનારા સુરતમાં અત્યાર સુધી કોઈ મહિલા કે પુરુષ એથ્લીટ નથી. ડો.હેતલે 5 નવેમ્બર, 2022ના રોજ મલેશિયા ખાતે ફૂલ આયર્ન મેન ટ્રાઇથ્લોન સફળતા પૂર્વક પૂર્ણ કરવા ઉપરાંત તે પહેલાં 2 ઓક્ટોબર, 2022ના રોજ કોલ્હાપુર ખાતે હાફ આયર્ન મેન ટ્રાઇલોન પૂર્ણ કરી બીજું ઈનામ મેળવ્યું હતું. ત્યારબાદ 13 નવેમ્બરના રોજ ગોવા ખાતે હાફ આયર્ન મેન ટ્રાઇથ્લોન પૂર્ણ કરી હતી જેમાં બીજો ક્રમ મેળવ્યો હતો. ત્યારબાદ 1 જાન્યુઆરી, 2023 ના રોજ ગુરૂશીખર ચેલેન્જમાં ભાગ લઈ મહેસાણાથી માઉન્ટ આબુ થઈ ગુરુ શિખર સુધી 183 કિમી સાયકલિંગ કરી. આ ચેલેન્જ પૂર્ણ કરવા સાથે પ્રથમ ક્રમ મેળવ્યો હતો. ત્યારબાદ 25 ફેબ્રુઆરીના રોજ કોણાર્ક ખાતે ફૂલ આયર્ન મેન ટ્રાઇથ્લોન પૂર્ણ કરી હતી, એટલું જ નહીં પણ આ ઇવેન્ટ પૂર્ણ કરનાર એક માત્ર એથ્લેટિક ડો. હેતલ હતા.
તાલીમમાં ઘણી વાર હાડકાઓમાં ફ્રેકચર થયા.
પાંચ વખત ફ્રેકચર બાદ પણ જારી રાખી પ્રેક્ટિસ કોઈ પણ એથ્લીટ માટે પ્રેક્ટિસ એ ખૂબ જરૂરી પાસુ હોય છે. ત્યારે આ વાતને બખૂબી સમજતા ડો.હેતલ તમાકુવાલા પ્રેક્ટિસ દરમિયાન તેમને એક બે નહીં પણ પાંચ વખત અકસ્માત નડ્યા અને તેમાં તેમના હાડકાઓમાં ફ્રેકચર પણ થયું. છતાં સાજા થઇને તેમણે ફરી પ્રેક્ટિસ જારી રાખી અને હિંમત હાર્યા વગર તેઓ લક્ષ્યને પામવા માટે આગળ વધતા રહ્યા.
A Total Of 663 Development Works Worth Rs 10 Crore 75 Lakh Have Been Sanctioned; Unveiling Of District Sustainable Development Goal 2.0 Book
પંચમહાલ (ગોધરા)25 મિનિટ પહેલા
કૉપી લિંક
પંચમહાલ જિલ્લાના પ્રભારીમંત્રી અને આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણમંત્રી કુબેર ડિંડોરના અધ્યક્ષસ્થાને ગોધરા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા આયોજન મંડળની બેઠક પદાધિકારીઓ અને અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાઇ હતી.
આ બેઠકમાં 15% વિવેકાધીન અને 5% પ્રોત્સાહક જોગવાઈ (તાલુકા કક્ષા અને નગરપાલિકા કક્ષા)ના તાલુકાવાર અને નગરપાલિકાવાર રજૂ થયેલા આયોજન વંચાણે લઈ રજૂ કરેલા કુલ 10 કરોડ 75 લાખ 25 હજારના 663 વિકાસકામોને સરકારની ગાઇડલાઈનને ધ્યાનમાં રાખી મંજૂર કરવામાં આવ્યા હતા.
સદર બેઠકમાં સંસદસભ્ય અને ધારાસભ્યની ગ્રાન્ટના કામોની પણ સમીક્ષા તેમજ કામોને સમયાંતરે પૂર્ણ કરવા સૂચના આપવામાં આવેલી હતી. પ્રભારીમંત્રીએ અધિકારીઓને વિકાસલક્ષી કામો સમયસર શરૂ કરી દેવા અને અગાઉના વર્ષના બાકી કામો સમય મર્યાદામાં પૂર્ણ થાય તે માટે પણ માર્ગદર્શન આપ્યું હતું. તેમણે ક્રમ વાઇઝ કામોને અગ્રતા આપવા અનુરોધ કર્યો હતો. આ સાથે તેમણે આરોગ્યને લગતા વિકાસના કાર્યોને ત્વરિત પૂર્ણ કરવા જણાવ્યું હતું.
ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે નવીન સિટી સ્કેન મશીનની માગણી, નવીન હેડ પંપ, હેડ પંપ રિપેર, બોરવેલ, સીસી રોડ, બ્લોક, પંચાયત, શિક્ષણ અને એટીવીટીના કાર્યો પૂર્ણ કરી જીઓ ટેગ કરવા સૂચના આપી હતી. તેમણે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં પંચમહાલ જિલ્લામાં શ્રેષ્ઠ કામગીરી થઇ રહી છે તથા જિલ્લામાં તાજેતરમાં શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયેલી પરીક્ષાઓ બાબતે જિલ્લા વહીવટી તંત્રને અભિનંદન પાઠવ્યા હતા.
બેઠકમાં મંત્રીના હસ્તે જિલ્લા આયોજન કચેરી દ્વારા તૈયાર કરાયેલા પંચમહાલ જિલ્લાના ડિસ્ટ્રિક્ટ સસ્ટેનેબલ ડેવલોપમેન્ટ ગોલ 2.0 બુકનું અનાવરણ કરાયું હતું. આ પ્રસંગે જિલ્લા આયોજન અધિકારી આર.આર ભાભોર દ્વારા વિવિધ વિકાસના કાર્યોની માહિતી અને આભારવિધિ રજૂ કરાઈ હતી.
મંત્રીના અધ્યક્ષસ્થાને સભાખંડમાં યોજાયેલા જિલ્લા આયોજન મંડળની બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ કામિની સોલંકી, જિલ્લા સાંસદ રતનસિંહ રાઠોડ, ધારાસભ્ય સી.કે. રાઉલજી, નિમિષા સુથાર, જયદ્રથસિંહ પરમાર, ફતેહસિંહ ચૌહાણ, જિલ્લા કલેક્ટર સુજલ મયાત્રા, જિલ્લા વિકાસ અધિકારી ડી.કે. બારિયા, પ્રાયોજના વહીવટદાર ડી.આર. પટેલ, જિલ્લા આયોજન અધિકારી ભાભોર, પ્રાંત અધિકારીઓ, જિલ્લા અને તાલુકા પંચાયતના પ્રમુખ, સભ્યઓ અને વિવિધ વિભાગોના અધિકારીઓ/પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Anand Amul Dairy Increased The Purchase Price Of Milk By Rs.20, The Sabhasad Herdsmen Were Also Given The Benefit Of 2 Lakh Accident Planes
આણંદ10 મિનિટ પહેલા
કૉપી લિંક
આણંદ અમૂલ ડેરી દ્વારા સવા વરસમાં સતત પાંચમી વખત દૂધ ખરીદીમાં રૂ.20નો વધારો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત દૂધ ભરતા તમામ સભાસદોને રૂ.2 લાખનો અકસ્માત વિમો પણ આપવામાં આવશે. જેનું પ્રિમિયમ અમૂલ ડેરી દ્વારા ભરવામાં આવશે. આ નિર્ણયની અમલવારી 1લી એપ્રિલ,23ના રોજથી કરવામાં આવશે.
આણંદ અમૂલ ડેરીના ચેરમેન વિપુલભાઈ પટેલે જણાવ્યું હતું કે, ડેરી દ્વારા 1લી એપ્રિલ,23 સવારથી દૂધ ઉત્પાદકોને ચૂકવવામાં આવતા દૂધના ખરીદ ભાવમાં પ્રતિકિલો ફેટે રૂપિયા 20નો વધારો કરવામાં આવશે. આમ, દૂધના ખરીદ ભાવમાં પ્રતિકિલો ફેટે રૂ.800થી વધારી 820 આપવામાં આવશે. આ નિર્ણયને લીધે અમૂલ ડેરી સાથે સંકળાયેલા આણંદ, ખેડા અને મહિસાગર જિલ્લાના ચાર લાખથી વધુ પશુપાલકોને ફાયદો થશે.અમૂલ નિયામક મંડળના આ નિર્ણયથી પશુપાલક સભાસદોમાં ખુશીઓ મ્હેકી ઉઠી હતી.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, લીલા – સૂકા ઘાસચારામાં થયેલા ભાવ વધારાથી પશુપાલકોને ખૂબ જ મુશ્કેલી ઉભી થઇ છે. જેને ધ્યાનમાં લઇ અમૂલ ડેરી દ્વારા દૂધના ખરીદ ભાવમાં પ્રતિકિલો ફેટે રૂ.20નો વધારો કરવાનો નિર્ણય કર્યો છે. જે મુજબ ભેંસના રૂ.1.24થી 1.44 રૂપિયા પ્રતિ લીટર તેમજ ગાય દૂધમાં 0.84થી 0.90 રૂપિયા પ્રતિ લીટરનો વધારો થયો છે.
જોકે, સૌથી મહત્વપૂર્ણ નિર્ણય સભાસદોના અકસ્માત વિમાને લઇ જાહેર કરવામાં આવ્યો હતો. એપ્રિલ-2023થી તમામ કાર્યરત દૂધ ભરનારા સભાસદને રૂ.2 લાખનો અકસ્માતથી થતાં મૃત્યુ સામે વિમો આપવામાં આવશે. જેનું સો ટકા પ્રિમિયમ અમૂલ ડેરી દ્વારા ભરવામાં આવશે. આ યોજના અંતર્ગત સભાસદની કાયમી અપંગતાને પણ આવરી લેવામાં આવી છે. જે સભાસદનું અકસ્માતમાં મૃત્યુ થાય તો 2 લાખ રૂપિયા સાથે તેમના બે બાળકો સુધી પ્રતિ બાળક રૂ.દસ હજાર ચુકવવામાં આવશે. આમ, આ યોજના અંતર્ગત દૂધ ભરનારા સભાસદના પરિવારને અંદાજીત રૂ.2 લાખ 20 હજાર સુધીની આર્થિક સહાય કરવામાં આવશે. જો સભાસદને કાયમી અપંગતા સર્જાય તો પણ રૂા. બે લાખની આર્થીક સહાય કરવામાં આવશે. આ યોજના થકી હાલમાં અંદાજીત 4.26 લાખથી વધુ કાર્યરત દૂધ ભરતા સભાસદોને આવરી લેવામાં આવશે.
US President Joe Biden said that he has “no comment” on the indictment of former President Donald Trump. Donald Trump was indicted by a Manhattan grand jury after a years-long investigation by the Manhattan District Attorney’s Office. Fox News reported that when Joe Biden was asked whether he thinks the charges against Donald Trump were politically motivated, he said, “I have no comment on Trump.”
Donald Trump Indictment: US President Joe Biden speaks.
The White House also declined to comment on the unprecedented charges against Trump. The Manhattan District court which has been investigating Donald Trump for hush money payments made ahead of the 2016 presidential election, made charges against the former US President. This includes the $130,000 payment made to adult film star Stormy Daniels.
“This evening we contacted Mr. Trump’s attorney to coordinate his surrender to the Manhattan D.A.’s Office for arraignment on a Supreme Court indictment, which remains under seal,” a spokesperson for the Manhattan District Attorney’s Office said.
Reacting to the indictment Donald Trump said, “This is Political Persecution and Election Interference at the highest level in history. From the time I came down the golden escalator at Trump Tower, and even before I was sworn in as your President of the United States, the Radical Left Democrats – the enemy of the hard-working men and women of this Country – have been engaged in a Witch-Hunt to destroy the Make America Great Again movement.”
ABOUT THE AUTHOR
When not reading, this ex-literature student can be found searching for an answer to the question, “What is the purpose of journalism in society?” …view detail
રાજકોટમાં રામવન પાસે આવેલ RMCના પમ્પિંગ સ્ટેશનમાં પાણીનો વાલ્વ ખોલવા જતા કોન્ટ્રાકટ કર્મચારી 35 ફૂટ ઉંડા ટાંકામાં ખાબક્યો હતો અને ડૂબી જતા તેનું મોત નીપજ્યું હતું. સમગ્ર મામલે મૃતકના પરિવારજનો અને અનુસૂચિત જાતિ સમાજના આગેવાનોની ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરવાની માંગ કરી છે.
સેફટીના સાધનોના અભાવે મોત થયાનો આક્ષેપ આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર સિગલ ઇન્ફ્રાકોમ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીનો કોન્ટ્રાકટ કર્મચારી મુકેશ રાઠોડ આજે રામવન પાસે આવેલ RMCના પમ્પિંગ સ્ટેશનમાં કામગીરી કરવા ગયો હતો. જ્યાં મુકેશ રાઠોડ પાણીનો વાલ્વ ખોલવા જતા તેનો પગ લપસી ગયો હતો અને તે 35 ફૂટ ઉંડા ટાંકામાં ખાબક્યો હતો. 35 ફૂટ ઉંડા પાણીની ઇનલેટ ચેનલમાં અને પાણીનો ફોર્સ વધુ હોવાથી ડૂબી જતા તેનું મોત થયું હતું. આ મામલે મૃતકના પરિવારજનો અને અનુસૂચિત જાતિ સમાજના આગેવાનોની ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરવાની માંગ કરી છે. આ દુર્ઘટનાને પગલે તેમણે સેફટીના સાધનો ન હોવાથી અકસ્માત થયો હોવાના આક્ષેપ કર્યો હતો.
માતાએ મોબાઈલ ખરીદવાની મનાઈ કરતા યુવકે આપઘાતનો પ્રયાસ કર્યો રાજકોટ શહેરના રામનાથપરા-14 માં રહેતાં યુવાને સાંજે રૂમમાં લોખંડના એંગલમાં ટૂવાલ બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો. પરંતુ ગાંઠ છુટી જતાં પોતે પટકાયો હતો અને ઇજા થઇ હતી. સાથે રહેતો અન્ય બંગાળી યુવાન આવી જતાં તેણે હોસ્પિટલે ખસેડતાં હોસ્પિટલ ચોકીના સાતફે એ-ડિવીઝન પોલીસને જાણ કરી હતી.યુવક બે બહેન અને એક ભાઇમાં નાનો છે. તે રાજકોટ રહી સોની કામ કરે છે. તેને સિત્તેર હજારવાળો મોબાઇલ લેવો હતો પરંતુ તેની માતા સાથે ફોન પર વાત કરતાં આટલો મોંઘો ફોન લેવાને બદલે વાહન અથવા ગોલ્ડ ખરીદી લેવા અને સસ્તો ફોન ખરીદવાનું કહેતાં તેને માઠુ લાગતાં આ પગલુ ભર્યાનું જણાવાયું હતું. હાલ પોલીસે નિવેદન નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
જેતપુરમાં ગમખ્વાર અકસ્માતમાં પિતા બાદ પુત્રનું પણ મોત રાજકોટ જિલ્લાના જેતપુર મેવાસા પ્લોટમાં રહેતા ચનાભાઈ કરશનભાઈ સરવૈયા (ઉ.વ.60) અને તેમનો પુત્ર મહીપત ઉર્ફે મહેશ ચનાભાઈ સરવૈયા (ઉ.વ.38) સવારે બારેક વાગ્યાના અરસામાં વાડીએથી બાઈક પર ઘરે જવા નિકળ્યા હતા ત્યારે મેવાસા ગામના પાદરમાં સામેથી પૂરઝડપે આવતા બાઈક ચાલકે હડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો. પિતા-પુત્રને ગંભીર ઈજા પહોંચતા બેભાન હાલતમાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં ચનાભાઈનું સારવાર મળે તે પહેલા જ મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે પિતાના મોત બાદ સારવાર હેઠળ રહેલ પુત્ર મહિપત ઉર્ફે મહેશ સરવૈયાએ પણ હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડી દેતા પરિવારમાં અરેરાટી સાથે કરુણ કલ્પાંત સર્જાયો હતો. આ અંગે રાજકોટ સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે જેતપુર પોલીસને જાણ કરતા જેતપુર પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો. બનાવ અંગે પોલીસે બીપીન ઉર્ફે દીપો ચનાભાઈ સરવૈયાની ફરિયાદ પરથી ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
નવાગામમાં મહિલાએ ગળાફાંસો ખાઇ આપઘાત કર્યો રાજકોટ શહેરના નવાગામ છપ્પનીયા કવાર્ટરમાં રહેતી કાજલ ગીરીશભાઇ ઠાકોર (ઉ.વ.30) એ પોતાના ઘરે પંખા સાથે દોરી બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો. પાડોશી પરિણીતાને લટકતી જોઇ દેકારો મચાવતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. બાદ 108 માં જાણ કરતા 108ની ટીમે સ્થળ પર પહોંચી તપાસ કરતા તેણીનું મૃત્યુ નિપજયું હોવાનું જણાતા પોલીસને જાણ કરવામાં આવી હતી. જાણ થતા બી ડીવીઝન પોલીસ મથકના PSI એ.વી.બકુત્રા સહિતે સ્થળ પર પહોંચી ગયા હતા. તેણીએ કયા કારણોસર આ પગલુંભર્યું તે અંગેનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.
ચોરાઉ એકસેસ સાથે બે સગીર ઝડપાયા માલવીયાનગર પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતા ત્યારે મળેલ ચોકકસ બાતમીના આધારે ગોંડલ રોડ પર સ્વામી વિવેકાનંદ ઓવરબ્રીજ નીચેથી બે ચોરાઉ એકસેસ મોપેડ સાથે બે સગીરને દબોચી તેની પાસેથી રૂ.1.63 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બન્ને સગીર આરોપીઓએ એક બાઇક તા.22 માર્ચના સોરઠીયાવાડી સર્કલ, કોઠારીયા કોલોની પાસેથી અને બીજુ બાઇક તા.16 માર્ચના મેઘાણી રંગભવન પાછળ વૃજ ભૂમિ સ્કુલના પાર્કિંગમાંથી ચોરી કર્યાની કબૂલાત આપી હતી.
ચાંગાસ્થિત વિખ્યાત ચારુસેટ યુનિવર્સિટીમાં ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી- સંસદસભ્ય, સામાજિક અગ્રણી, દાતા દિનશા પટેલ દ્વારા દાનની સરવાણી વહેવડાવવાનો અભિગમ યથાવત રાખતા રૂ. 1.51 કરોડના માતબર દાનનો સંકલ્પ કરવામાં આવ્યો છે. ચારુસેટ યુનિવર્સિટીમાં સૂચિત ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની સ્થાપના કરવા માટે દિનશા પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ નડિયાદ દ્વારા રૂ. 1.51 કરોડના સંકલ્પ દાનમાંથી રૂ. 25 લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. ચારુસેટ કેમ્પસમાં 31મી માર્ચે, શુક્રવારે એક બેઠક દરમિયાન આ ચેક દિનશા પટેલના હસ્તે માતૃસંસ્થા-CHRFના પ્રમુખ નગીનભાઇ પટેલ, કેળવણી મંડળના ઉપપ્રમુખ સી. એ. પટેલ અને માતૃસંસ્થા-કેળવણી મંડળ-CHRFના માનદ મંત્રી ડો. એમ. સી. પટેલને અર્પણ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે કેળવણી મંડળના સહમંત્રી મધુબેન પટેલ, ઇન્ટરનલ ઓડિટર બિપિનભાઈ પટેલ, માતૃસંસ્થાના ટ્રસ્ટી પ્રિ. આર. વી. પટેલ, ચારુસેટના પ્રોવોસ્ટ ડો. આર. વી. ઉપાધ્યાય, રજીસ્ટ્રાર ડો. અતુલ પટેલ, માતૃસંસ્થાના પદાધિકારીઓ, વિવિધ કોલેજોના પ્રિન્સિપાલો તેમજ દિનશા પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ નડિયાદ તરફથી ઘનશ્યામભાઈ પટેલ, વિનયભાઈ પટેલ, હાર્દિક ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા.
દિનશા પટેલે કેળવણી મંડળના ઉપપ્રમુખ સી. એ. પટેલ,એન. એમ. પટેલ, એસ્ટેટ વિભાગની ઈજનેરી ટીમ સાથે સૂચિત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના સ્થળની રૂબરૂ મુલાકાત લીધી હતી અને સલાહસૂચનો કર્યા હતા. સૂચિત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ 12 માસમાં પૂર્ણ થવાની શક્યતા છે. આ વિષે દિનશા પટેલે જણાવ્યુ હતું કે ચારુસેટ કેમ્પસમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની સુવિધા ઊભી કરવા માટે સી. એ. પટેલ દ્વારા મને માહિતી આપવામાં આવી હતી યુનિવર્સિટી કેમ્પસમાં વિદ્યાર્થીઓ માટે વિવિધ રમત ગમતની સુવિધા સ્થપાય તે વાત જાણી મને આનંદ થયો. રૂબરૂ ચર્ચા દરમિયાન જરૂરી રમતગમતની સુવિધા ઊભી કરવા અને નવનિર્મિત ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના નામકરણ અંગે રૂ. 1.51 કરોડનું દાનની જાહેરાત કરી છે. જેના અનુસંધાનમાં દિનશા પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ નડિયાદ તરફથી આજે રૂ. 25 લાખનો ચેક એનાયત કરવામાં આવ્યો છે. 2 વર્ષમાં આ સંકલ્પ પરિપૂર્ણ કરવામાં આવશે.
3 માળના અદ્યતન સુસજ્જ ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ગ્રાઉન્ડ ફ્લોર પર બેડમિન્ટન, ટેબલ ટેનિસ, જીમ્નેસ્ટીક્સ, કબડ્ડી, બાસ્કેટબોલ, વોલીબોલ જેવી રમતો રમી શકાશે તેવો મલ્ટી પર્પઝ હોલ, ફર્સ્ટ ફ્લોર પર જીમ્નેશીયમ, એરોબીક્સ એકસરસાઈઝ માટે સેન્ટર, સેકન્ડ ફ્લોર પર યોગા એન્ડ મેડીટેશન સેન્ટર, એડમીન ઓફીસ, લોકર રૂમ, સ્ટોર રૂમ, ફિઝીયોથેરાપી ટ્રીટમેન્ટ કલીનીક, રીફ્રેસમેન્ટ સ્ટોલની સુવિધા ઉપલબ્ધ થશે.
સ્પોર્ટ્સ પ્રત્યે પહેલેથી જ લગાવ ધરાવતા દિનશા પટેલ વર્ષોથી નડિયાદમાં સ્પોર્ટ્સ એસોસિએશન સાથે સંકળાયેલા છે. નડિયાદમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને ક્રિકેટ સ્ટેડિયમની સુવિધા ઊભી કરનાર દિનશા પટેલ માને છે કે યુવા પેઢી સદા સ્પોર્ટ્સ સાથે જોડાયેલી રહે અને દેશદુનિયામાં ચરોતરનું નામ રોશન કરે. નડિયાદના અક્ષર પટેલે ક્રિકેટમાં દુનિયામાં નામ ગુંજતું કર્યું છે. અત્યારે યુવાનોની સાથે યુવતીઓ પણ વિવિધ સ્પોર્ટ્સમાં સતત અગ્રેસર છે. ત્યારે ચારુસેટમાંથી વિદ્યાર્થીઓ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનો લાભ લઈ દેશદુનિયામાં નામ રોશન કરે તેવી અભિલાષા તેમણે વ્યક્ત કરી હતી. નોંધનીય છે કે ચારુસેટનો વિદ્યાર્થી રિપલ પટેલ અત્યારે IPL સુધી પહોંચ્યો છે.
ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ દિનશા પટેલ દ્વારા ચારુસેટ કેમ્પસને 1.32 કરોડનું માતબર દાન આપવામાં આવ્યું છે. જેમાં ચારુસેટ યુનિવર્સિટીમાં CSPIT કોલેજમાં શ્રીમતી કુંદનબેન દિનશા પટેલ ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી, ચારુસેટ હોસ્પિટલ માટે દિનશા પટેલ જનરલ વોર્ડ, પેશન્ટ વેલ્ફેર ફંડ, ગોલ્ડ મેડલ એન્ડોવમેન્ટ ફંડનો સમાવેશ થાય છે. જેનું ઋણ અદા કરવા શ્રી ચરોતર મોટી સત્તાવીસ પાટીદાર કેળવણી મંડળ દ્વારા દાતા દિનશા પટેલને 22મી જાન્યુઆરી 2022ના રોજ ચારૂસેટમાં દાનભાસ્કર એવોર્ડ એનાયત કરાયો હતો.
રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ સુનિલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર લખનૌ ડિવિઝનમાં ડબલ ટ્રેકના કામને લીધે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી ચાર ટ્રેનો આંશિક રીતે ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે.
આ ટ્રેન નહીં જાય જેમાં ટ્રેન નંબર 15636 ગુવાહાટી-ઓખા એક્સપ્રેસ 03.04.2023 ના રોજ અને ટ્રેન નંબર 15635 ઓખા-ગુવાહાટી એક્સપ્રેસ 07.04.2023 ના રોજ વાયા વારાણસી-પરતાપગઢ-લખનૌ થઈને આંશિક રીતે ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે. જે સ્ટેશનો પર આ ટ્રેન નહીં જાય તેમાં અકબરપુર અને અયોધ્યા કેન્ટનો સમાવેશ થાય છે.
આંશિક રીતે ડાયવર્ટ કરાયેલા રૂટ આ ઉપરાંત ટ્રેન નંબર 15668 કામાખ્યા-ગાંધીધામ એક્સપ્રેસ 05.04.2023 ના રોજ અને ટ્રેન નંબર 15667 ગાંધીધામ-કામાખ્યા એક્સપ્રેસ 08.04.2023 ના રોજ વાયા વારાણસી-લખનૌ થઈને આંશિક રીતે ડાયવર્ટ કરાયેલા રૂટ દ્વારા ચાલશે. જે સ્ટેશનો પર આ ટ્રેન નહીં જાય તેમાં અયોધ્યા કેન્ટનો સમાવેશ થાય છે.
નવસારી જિલ્લાના પાડોશી જિલ્લા સુરતમાં કોરોના કેસની સંખ્યા વધતી રહી છે. તેની સાથે નવસારી જિલ્લામાં પણ કોરોના કેસ એકલદોકલ સંખ્યામાં વધી રહ્યા છે. આજે પણ જિલ્લામાં 4 પોઝિટિવ કેસ નોંધાતા એક્ટિવ કેસની સંખ્યા 13 પર પહોંચી છે.
વાંસદા અને ખેરગામમાં તાલુકામાં 1 -1 કેસ,ગણદેવીમાં 2 કેસ નોંધાયા છે.આરોગ્ય વિભાગ દ્વારા 522 જેટલા લોકોના સેમ્પલ લેવામાં આવ્યા. જેમાંથી 4 પોઝિટિવ દર્દી નોંધાયા છે. કોરોના સમયમાં RT-PCR ટેસ્ટની સંખ્યા પ્રતિદિન હજાર પર પહોંચી હતી. ત્યારે હાલમાં કેસની સંખ્યા ધીરે ધીરે વધતા ટેસ્ટની પ્રતિદિન સંખ્યા વધારી છે.
હાલમાં નવસારી જિલ્લામાં બેવડા વાતાવરણનો અનુભવ લોકો કરી રહ્યા છે. ઠંડી અને ગરમીનું મિશ્રણ થતા શરદી ખાંસી સહિત વાયરલ ફીવર જેવા કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. જેને કારણે કોરોના ફરી માથું ઊંચકી રહ્યો હોય તેમ આંકડા પરથી તારણ કાઢી શકાય છે.
The opening ceremony of Indian Premier League (IPL) 2023 started a few minutes ago and it has already created a buzz among tweeple. Reason? Arijit Singh kickstarted the event by singing the amazing song Kesariya in his soulful voice. And now, people can’t keep calm as they are taking to Twitter to showcase their reactions. Many are sharing their posts using the hashtag #IPL2023OpeningCeremony – so much so that it is now trending on Twitter.
IPL 2023 Opening Ceremony: Besides Kesariya, Arijit Singh also mesmerised people by singing Kabira.(Screengrab)
Here are some posts shared by people where they expressed how they felt about the singer starting the opening ceremony of the 16th chapter of Indian Premier League.
“He is such a mood @arijitsingh,” posted a Twitter user. “Class ke last mein baith kar arijit singh ki performance dekh raha hu… And it’s worth it,” shared another. “Arijit Singh performing in front of 100k+ spectators is a total vibe,” expressed a third. “Arijit Singh killing it like always. Paisa Vasool even before the match,” wrote a fourth.
The official Twitter handle of IPL also shared a video showing Arijit Singh singing Kesariya.
After Kesariya, the singer also mesmerised the fans by singing Kabira from Yeh Jawaani Hai Deewani.
The first match of IPL 2023 is set to start at 7:30 pm at the Narendra Modi Stadium in Ahmedabad. The match will be played between Gujarat Titans (GT) and Chennai Super Kings (CSK).
સુરેન્દ્રનગર જિલ્લાના લખતર ગ્રામ પંચાયતની કચરાની ગાડીઓ 6 મહિનાથી ‘કચરામાં’ હોવાની સાથે લખતરના અનેક વિસ્તારોમાં કચરો જેમનો તેમ પડી રહ્યો છે. લખતર પંચાયતની ઘરે ઘરે કચરો લેવા જતી ગાડીઓ પણ હાલમાં કચરામાં જ પડી હોય તેવો ઘાટ લખતર સ્થાનિક પંચાયતના પરિસરમાં જોવા મળે છે. જેના કારણે શહેરના અનેક વિસ્તારોમાં કચરો જેમનો તેમ જ છે.
લખતર શહેરમાં ઘરે ઘરે કચરો લેવા જતા બે વાહનોની ખરીદી કરેલી છે. ગત પંચાયતની બોડી દ્વારા ઘરે ઘરે કચરો લેવા વાન શરૂ કરી હતી. પરંતુ હવે તે કોઈ કારણોસર લખતર ગ્રામપંચાયતમાં કચરામાં પડી હોય એટલે કે, બંધ પડી હોય તેમ જોવા મળે છે.
છેલ્લા છ એક મહિનાથી કચરાની ગાડીઓ બંધ હાલતમાં છે. આ ગાડીઓ હાલમાં કચરો લેવા ઘરે ઘરે ન જતી હોવાથી શહેરીજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તો લખતર શહેરના મોટા ભાગના વિસ્તારોમાં રોડ ઉપર જ મોટા પ્રમાણમાં કચરો ફેલાયેલો છે. તો સ્થાનિક તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.
The arrest of journalist Evan Gershkovich has sparked tensions between U.S. and Russia. Washington appears to be planning a strong response to Russia’s action.