Sunday, January 1, 2023

ચૌઘરી સમાજનો સ્નેહ મિલન સમારંભ યોજાયો

ગાંધીનગર: આંજણા (ચૌઘરી) સેવા મંડળ, ગાંધીનગરનો સ્નેહ મિલન સમારંભ ગુજરાત વિઘાનસભાના અધ્યક્ષ શંકર ચૌઘરીના અધ્યક્ષ સ્થાને ગાંધીનગરના શાહપુર ખાતે યોજાયો હતો. આ પ્રસંગે અખિલ આંજણા કેળવણી મંડળના પ્રમુખ હરિ ચૌઘરી, માણસાના પૂર્વ ઘારાસભ્ય અમિત ચૌઘરી, વિજાપુર એપીએમસીના વાયસ ચેરમેન અને પ્રમુખ ગ્રૃપના કનુ ચૌઘરી, ગાંધીનગર જિલ્લા પંચાયતના સદસ્ય શનાભાઇ ચૌઘરી, અર્બુદા બચત મંડળના પ્રમુખ જીતુ ચૌઘરી ઉપસ્થિત રહ્યા હતા.

શંકર ચૌઘરીના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો

આ સ્નેહમિલન સમારંભમાં સમાજના વર્ષ-2019થી 2022ના તેજસ્વી વિઘાર્થીઓ, વર્ગ-1ના અધિકારીઓ ર્ડાકટરો અને ખાસ એવોર્ડ વિજેતાઓનું સન્માન વિઘાનસભાના અઘ્યક્ષ શંકર ચૌઘરી સહિત મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું. સમાજના ભાઇ-બહેનો એકબીજાને મળે તે ખૂબ આનંદની વાત છે, તેવું કહી ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે, ‘સમય અનુસાર સમાજમાં પરિવર્તન આવું ખૂબ જરૂરી છે.’ તેમણે ઉમેર્યું હતું કે, ‘આવનારો સમય સોફ પાવરનો છે, આ સોફપાવર રાજકીય, ધાર્મિક, સામાજિક જેવી અનેક ક્ષત્રોમાં અગ્રેસર બનશે.આ પણ વાંચો: ઇન્કમટેક્ષની બોગસ નોટીશો અને ચલણો દ્વારા છેતરપિંડી આચતો એકાઉન્ટન્ટ ઝડપાયો

તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું

તેમણે આગળ જણાવ્યું કે, ‘સોફ પાવર એટલે કે, આપણે એકબીજાને હસતા હસતા મળીએ, પોતાના નજીકના માણસોને મળીએ ત્યારે તેનું માન સન્માન કરીએ, કર્મચારીઓ સાથે પણ હસતા હસતા મળીએ ત્યારે આપની તાકાતમાં અને સન્માનમાં વધારો થશે. આજે સોફપાવર થકી જ આપણે સમાજને આગળ લઈ જઈ શકીશું.’ સમાજનું અહિત થાય તેવું કાર્ય સમાજના કોઈપણ બંધુએ ના કરવું જોઈએ, તેવું કહી તેમણે ઉમેર્યું હતું કે, સમાજની એકતા અને સંગઠન મજબૂત હોવું જેટલું જરૂરી છે, તેટલું જ મહત્વનું સમાજમાં શિક્ષણ સહિત અનેક બાબતોનો વિકાસ કરી શકાય તેવી બાબતોને પ્રાઘાન્ય આપવું પણ જરૂરી છે.

આ પણ વાંચો: નડાબેટ સીમા દર્શન પ્રોજેક્ટ પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર

શંકર ચૌધરીએ વિદ્યાર્થીઓનું મનોબળ મજબૂત કર્યું

ધોરણ 01થી 12મા સારા માર્ક મેળવીને સમાજનું સન્માન મેળવનાર સર્વે વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી પદ્મશ્રી અને જાણીતા લેખક દેવેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, જે વિદ્યાર્થીઓને આજે અહીં ઇનામ મળ્યું નથી. તેમણે નિરાશ થવાની જરૂર નથી, કારણ કે, 40% મેળવનાર વ્યક્તિ 90 ટકા મેળવનાર વ્યક્તિને નોકરી રાખી શકે છે. તેમણે ઉમેર્યું હતું કે, ગાંધીજીએ પણ એસ.એસ.સી.માં 40 ટકા મેળવ્યા હતા, તો પણ દેશના રાષ્ટ્રપિતાનું સન્માન મેળવ્યું છે. અમિતાભ બચ્ચન આજે પોતાના અવાજથી જે રીતે ખ્યાતિ મેળવી શક્યા છે, તેમનો આ અવાજ પણ એક સમયે નાપાસ થયો હતો, આવા અનેક વ્યક્તિઓના દષ્ટાંત આપી ઇનામ ન મેળવનાર વિદ્યાર્થીઓનું મનોબળ મજબૂત કર્યું હતું.

તમારા શહેરમાંથી (ગાંધીનગર)

Published by:Vimal Prajapati

First published:

Tags: Gandhinagar News, Shankar Chaudhary, ગુજરાત

મોરબીની માળિયા વનાળીયા ગ્રામ પંચાયત કચેરી નજીક તોડફોડ કરવામાં આવી; પોલીસ યોગ્ય તપાસ કરે તેવી માંગ | Maliya Vanalia of Morbi was vandalized near Gram Panchayat office; Demand that the police conduct a proper investigation

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Morbi
  • Maliya Vanalia Of Morbi Was Vandalized Near Gram Panchayat Office; Demand That The Police Conduct A Proper Investigation

મોરબી14 મિનિટ પહેલા

  • કૉપી લિંક

મોરબીના સામાંકાંઠે આવેલી અને હમણાં નવીન બનેલી માળીયા વનાળીયા ગ્રામ પંચાયતમાં રાત્રે કેટલાક તત્વો માળીયા વનાળીયા ગ્રામ પંચાયત બહાર મૂકેલા પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાના નામવાળા સિમેન્ટના બાંકડા તોડી નાખ્યા હતા. તેમજ આસપાસના વિસ્તારોમાં તોડફોડ કરી હતી. જેથી પોલીસ મથકે સ્થાનિકોએ જાણ કરી છે. પોલીસે અરજી અંગે તપાસ શરુ કરી છે.

અરજી આવી હશે તો તપાસ કરવામાં આવશે: જમાદાર
બનાવની મળતી વિગત મુજબ માળીયા વનાળીયા ગ્રામ પંચાયતે બી-ડિવિઝન પોલીસને લેખિતમાં રજૂઆત કરી છે. અગાઉ બ્રિજેશ મેરજા ધારાસભ્ય હતા ત્યારે તેમની ગ્રાન્ટમાંથી માળીયા વનાળીયા ગ્રામ પંચાયતની ઓફિસની બહાર લોકોને બેસવા માટે બ્રિજેશ મેરજાના નામવાળા 6 સિમેન્ટના બાંકડા મુકવામાં આવ્યા હતા. દરમિયાન રાત્રેના કેટલાક તત્વોએ 6 બાંકડા તોડી નાખ્યા હતા. આ વિસ્તારના અગ્રણી સ્થાનિકોએ જણાવ્યું હતું કે, કેટલાક તત્વોએ બાંકડા તોડી નાખવાની સાથે પાણીની નાંદ તેમજ બાજુમાં આવેલા રામદેવનગરમાં બગીચા અને ઉમિયાનગરમાં પણ બગીચામાં તોડફોડ કરી હતી. અમારા વિસ્તારમાં અગાઉ પણ તોડફોડ થઈ હોય ત્રાસ હોવાથી આ હરકત પણ કરી હોવાની શંકા હતી. પોલીસ યોગ્ય તપાસ કરે તેવી માંગ ઉઠવા પામી છે. આ અંગે બી-ડીવીઝન પોલીસ મથકના બીટ જમાદારનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે, આ અંગે અરજી આવી હશે તો તપાસ કરવામાં આવશે તેવું તેમણે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે…

પાટડીન‍ા વિસનગરમાં જુગાર રમતા 27 શખ્સો રૂ. 30.77 લાખના મુદામાલ સાથે ઝડપાયા | 27 persons gambling in Visanagar of Patdina, Rs. 30.77 lakhs were caught with the valuables

સુરેન્દ્રનગર29 મિનિટ પહેલા

  • કૉપી લિંક

સુરેન્દ્રનગર એલસીબીએ બાતમીના આધારે સ્ટાફ સાથે દરોડો પાડી પાટડીના વિસનગરમાં જુગાર રમતા 27 નબીરાઓને રૂ. 30.77 લાખના મુદામાલ સાથે ઝડપી પાડતા ચકચાર મચી જવા પામી છે. સુરેન્દ્રનગર એલસીબીએ રોકડ રૂ. 3,56,900, મોબાઇલ નંગ- 23, ફોર વ્હીલ ગાડી- 8 મળી કુલ રૂ. 30,77,900નો મુદામાલ ઝબ્બે કરી કાર્યવાહી હાથ ધરી છે.

સુરેન્દ્રનગર એલસીબીના પીઆઇ વી.વી.ત્રિવેદી સહિતના પોલીસ સ્ટાફે બાતમીના આધારે પાટડી તાલુકાના વિસનગર ગામે રહેતા મનુભ‍ા ઉદુભા ઝાલા વિસનગર ગામની સીમમાં નવા તળાવ નામની સીમ વિસ્તારમાં આવેલી પોતાના ખેતરમાં ઓરડીના રૂમમાં બહારથી માણસો બોલાવી ગંજીપાના વતી પૈસાની હારજીતનો તીનપત્તીનો જુગાર અખાડો રમાડતો હોવાની બાતમીના આધારે અચાનક દરોડો પાડી 27 જેટલા નબીરાઓને રોકડા રૂ. 3,56,900, મોબાઇલ નંગ- 23, કિંમત રૂ. 1,21,000, ગાદલા નંગ- 7, ફોર વ્હિલ નંગ- 8, કિંમત રૂ. 26,00,000 મળી કુલ રૂ. 30,77,900ના મુદામાલ સાથે ઝબ્બે કરી ઝીંઝુવાડા પોલીસ મથક ખાતે જુગાર અંગેનો ગુન્હો દાખલ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ કેસની વધુ તપાસ ઝીંઝુવાડા પીએસઆઇ ચલાવી રહ્યાં છે. સુરેન્દ્રનગર એલસીબીના આ જુગારના દરોડામાં પી.આઇ.- વી.વી.ત્રિવેદી, પી.એસ.આઇ.- વી.આર.જાડેજા, એન.ડી.ચુડાસમા, હિતેશભાઇ, જયેન્દ્રસિંહ, ચમનભાઇ અને ગોવિંદભાઇ સહિતનો એલસીબીનો સ્ટાફ સાથે હાજર હતો.

આ જુગારધામમાં પકડાયેલા 27 જુગારીઓના નામ

1) મનુભા ઉદુભા ઝાલા- વિસનગર

2) નરેશજી જુલાજી મુલાડીયા (ઠાકોર)- મોરબી

3) ગભાભાઇ અમરશીભાઇ ઠાકોર- સચાણા

4) નરેન્દ્રસિંહ જયેન્દ્રસિંહ ઝાલા- વિસનગર

5) હર્ષદકુમાર ઉર્ફે શૈલેષ લક્ષ્મણભાઇ સાધુ- અમદાવાદ

6) નિતીનકુમાર હસમુખભાઇ ઠક્કર- વારાહી

7) અજીતભાઇ ભગાભાઇ ઠાકોર- નવાગામ

8) મંગાભાઇ ધરમશીભાઇ ઠાકોર- સચાણા

9) દીનેશભાઇ અમરાભાઇ રાઠોડ- વડગામ

10) નરશીભાઇ મલુભાઇ સિંધવ- ટુવડ

11) રફીક અબ્દુલભાઇ રાજા- મોરબી

12) હિતેશભાઇ પ્રવિણચંદ્ર ઠક્કર- હારીજ

13) સવશીભાઇ મફાભાઇ યોગી રાવળ- ખરચરીયા

14) મુકેશભાઇ ચંદુભાઇ ઠાકોર- પથવાશ

15) નવીનભાઇ કરશનભાઇ પટેલ- પાટણ

16) પ્રફુલભાઇ હસુભાઇ ઠક્કર- વારાહી

17) વિષ્ણુભાઇ ઉર્ફે વાસુભાઇ કમાભાઇ રાઠોડ- વડગામ

18) રમેશચંદ્ર છગનલાલ ઠક્કર- રાધનપુર

19) કીરીટભાઇ બચુભાઇ પંચાલ- વિરમગામ

20) હિતેન્દ્રભાઇ મોહનભાઇ મારવાડીયા- સનાળા

21) કરશનભાઇ ભગવાનભાઇ રથવી- આદરીયાણા

22) હિતેશકુમાર શાંતિલાલ ઠક્કર- હારીજ

23) મનુભાઇ વિરજીભાઇ ઠાકોર- વિસનગર

24) મનુભાઇ રતુભાઇ ડોડીયા- કડવાસણ

25) જીતુદાન શંકરદાન ગઢવી- પાટડી

26) મોહનભાઇ વાલાભાઇ ડોડીયા- વિસાવડી અને

27) જીતુભાઇ પ્રતાપભાઇ બાડુવા- કરકથલ

અન્ય સમાચારો પણ છે…

સુરતમાં છેતરપિંડી આચતો એકાઉન્ટન્ટ ઝડપાયો

સુરત: ગુજરાત રાજ્યમાં સુરત શહેર ઝડપી વિકાસ પામતુ અને મેગા સીટી બનવા જઇ રહેલ શહેરની યાદીઓમાં અગ્રેસર છે. આ સાથે આર્થિક દષ્ટિએ સુરત શહેરમાં કાપડ માર્કેટ, હીરા બજાર જેવા નાના મોટા વિવિધ ઉધોગો પણ કાર્યરત છે. જેમાં મોટા પ્રમાણમાં પેઢીઓ/ફર્મો પોત પોતાના સી.એ./એકાઉન્ટન્ટ રાખતા હોય છે અને તેઓ દ્વારા પેઢી/ફર્મના વ્યવહારો સરકારશ્રીની અધીક્રુત કરની જગ્યાએ જરૂરી ચુકવણી અને તે અંગેના હિસાબો રજુ કરવામાં આવતા હોય છે. પરંતુ એક એકાઉન્ટન્ટ દ્વારા પોતાનો આર્થિક ફાયદો મેળવવા ઇન્કમટેક્ષનાં પેનલ્ટીની બોગસ નોટીશો અને બોગસ ચલણો મોકલી તેના દ્વારા પેઢી/ફર્મના માલિક પાસેથી લાખોમાં નાણા મેળવી છેતરપિંડી કરી હોવાની રાવ ઉઠવા પામી હતી.

છેતરપિંડી આચરતા એકાઉન્ટન્ટ ઝડપાયો

પોલીસે ભોગ બનનારાઓની રજુઆત અને માહિતી મેળવી તેઓ પાસેથી આરોપીએ આપેલ ઇન્કમટેક્ષનાં પેનલ્ટી અંગેના બોગસ લેટરો અને બેંકના બોગસ ચલણો સંલગ્ન કચરીઓમાં ખરાઇ અર્થે મોકલી છે. જેમાં ભોગ બનનારને વોટ્સઅપ અને ઇ-મેઇલ દ્વારા આરોપીએ મોકલેલ ઇન્કમટેક્ષના પેનલ્ટી અંગેના બંન્ને લેટરો અને ICICI બેંકનાં ઇન્કમટેક્ષ ભર્યા અંગેના ચલણો પણ બોગસ હોવાનું પ્રાથમિક રીતે જણાતાં પોલીસે ગુનો રજીસ્ટર કર્યો હતો. ગુનાની તપાસ દરમિયાન ગુનો કરનાર આરોપીને લોકેટ કરવા હ્યુમન રીસોર્સના મદદથી માહિતી એકત્રીત કરી આરોપીના રહેઠાણના સરનામા પર તેઓની હાજરીના સમયની ખાત્રી કરી સ્ટાફના માણસો સાથે રેડ કરી ઉપરી અધિકારીઓની સુચના અને માર્ગદર્શન મુજબ બી/1002, નોવા ગેલેક્ષી, પાલ કેનાલ રોડ, અડાજણ, સુરત ખાતેથી આરોપી અક્ષય અશ્વીનકુમાર સુમવાલાની ધરપકડ કરવામાં આવી છે.આ પણ વાંચો:  તાળા-ચાવી બનાવનાર પાસે દાંતનું ચોકઠું ફીટ કરાવ્યું 

પોલીસે આ મામલે તપાસ હાથ ધરી

આ સાથે આરોપીની પૂછપરછ કરી અન્ય કોઇ વેપારી સાથે છેતરપિંડી આચરેલ છે કે કેમ? તે બાબતે તપાસ કાર્યવાહી ચાલુ કરવામાં આવી  છે. આરોપીની પૂછપરછ અને તપાસમાં આરોપીએ ફરિયાદી સિવાય અન્ય લોકો સાથે પણ અલગ અલગ રીતે છેતરપિંડી કરેલ હોવાનું જાણવા મળ્યું છે. આરોપીએ અલગ અલગ ભોગ બનનાર વેપારીઓના એકાઉન્ટન્ટ તરીકે કામ કરતો હતો. તેઓ પાસેથી એલ.આઇ.સી પ્રીમિયમના નાણા મેળવી પ્રીમિયમ ભરેલ નથી, તેમજ ઇન્કમટેક્ષ અને જી.એસ.ટી. વિભાગના નામે તેઓ પાસેથી પણ ખોટી રીતે નાણા મેળવેલ હોવાનું ધ્યાનમાં આવ્યું છે.

આ પણ વાંચો: નડાબેટ સીમા દર્શન પ્રોજેક્ટ પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર

સુરત ઇકો સેલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ

આરોપી દ્વારા આ રીતે ભોગ બનનાર વ્યક્તીઓનો સંપર્ક કરી તેઓને ઇકો સેલનો સંપર્ક કરવા અને આરોપીએ કરેલ ગુનાહીત ક્રુત્યો બહાર લાવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવે અને તે દિશામાં તપાસ ચાલુ કરવામાં આવી છે પોલીસ જાહેર જનતા જોગ અપીલ કરી છે. આવી કોઈ ઓપરેન્ડીથી કોઇ એકાઉન્ટન્ટ કે સી.એ. (ચાર્ટડ એકાઉન્ટન્ટ) દ્વારા અથવા આરોપી અક્ષય સુમવાલા દ્વારા આ પ્રકારની છેતરપિંડી કરવામાં આવેલ હોય તો આર્થિક ગુના નિવારણ શાખા ક્રાઇમ બ્રાન્ચ સુરત શહેરનો સંપર્ક કરવા જણાવાયું છે.

તમારા શહેરમાંથી (સુરત)

Published by:Vimal Prajapati

First published:

Tags: Crime news, Surat crime news, ગુજરાત

પ્રાંતિજના અનવરપુરા પાસે જીપડાલાની અડફેટે ઊંટલારીમાં સવાર શખ્સનું મોત; ચાલકને ગંભીર ઈજાઓ | Man on camel killed in collision with Jipdala near Anwarpura in Prantij; Serious injuries to the driver

સાબરકાંઠા (હિંમતનગર)24 મિનિટ પહેલા

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના અનવરપુરા પાસે જીપ ડાલા ચાલકે ઊંટલારીને ટક્કર મારતા ઊંટલારીમાં સવાર શખ્સનું મોત નિપજયુ હતુ. તો ઊંટલારી ચાલકને જીવલેણ ઈજાઓ પહોંચતા સારવાર અર્થે પ્રાંતિજ અને ત્યારબાદ હિંમતનગર સિવિલમાં ખસેડવામા આવ્યો હતો. આ અંગે પ્રાંતિજ પોલીસને જાણ થતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રાંતિજના સીતવાડામાં રહેતા ઊંટલારી માલિક જગદીશભાઇ ઈશ્વરભાઇ રાવળ કે જેવો પોતાની લારી લઈને કુંટુંબી ભાઇ ચતુરભાઇ કચરાભાઇ રાવળ સાથે પ્રાંતિજ ખાતે સામાનનો ફેરો ખાલી કરવા માટે આવ્યા હતા. સામાન ખાલી કરીને પરત સીતવાડા ખાતે જઇ રહ્યા તે દરમ્યાન અનવરપુરા બાજુથી એક ચાલક પોતાના કબજાનું જીપ ડાલુ હંકારી લાવીને સામેથી આવી રહેલા ઊંટલારીને ટક્કર મારતા ઊંટલારીનું અકસ્માતમાં કચરઘાણ નિકળી ગયું હતુ. અકસ્માત બાદ સેન્ટીગ ભરેલ ડાલુ પણ પલ્ટીખાઇ ગયુ હતુ. તો ઊંટલારીમાં બેઠેલા ચતુરભાઇ કચરાભાઇ રાવળનુ ગંભીર ઈજાને કારણે ધટનાસ્થળે જ કમકમાટી ભર્યુ મોત નિપજયુ હતુ. અકસ્માત થતા આજુબાજુમાંથી લોકો દોડી આવ્યા હતા. તો અનવરપુરા ખાતે રહેતા તાલુકા સદસ્ય રાજ પટેલ પણ ધટનાસ્થળે દોડી આવી 108ને ફોન કર્યો હતો અને ઈજાગ્રસ્ત લારી ચાલક જગદીશ ઈશ્વરભાઈ રાવળને શરીરે જીવલેણ ઈજાઓ પહોચતા 108 મારફતે પહેલા પ્રાંતિજ અને વધુ સારવાર અર્થે હિંમતનગર સિવિલ ખાતે ખસેડવામા આવ્યા હતા.

અકસ્માત અંગે પ્રાંતિજ પોલીસને જાણ થતા તેઓ પણ ઘટનાસ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અકસ્માતમાં મૃત્યુ પામેલા ચતુરભાઇ કચરાભાઇ રાવળને ચાર બાળકો છે. જેમા બે દીકરા અને બે દીકરીઓ છે. તો અકસ્માતમાં પિતાનુ મૃત્યુ થતા ચારેય બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવાર નોધારો બન્યો છે.

અન્ય સમાચારો પણ છે…

જામનગરમાં આર્યુવેદ-સાઈન્ટિફિકલ સમન્વયથી સારા બાળકની પ્રાપ્તિ અંગે ‘સુપ્રજા 2023’ નેશનલ સેમિનારનું આયોજન

કિંજલ કારસરીયા, જામનગર: 1 જાન્યુઆરી, 2023ના કુંવરબાઈ જૈન ધર્મશાળામાં ગ્રભોપનિષદ ફાઉન્ડેશન દ્વારા ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, આર્યુવેદ વ્યાસપીઠ અને ગુજરાત આર્યુવેદ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે ‘સુપ્રજા -2023’ દ્વિતીય રાષ્ટ્રીય સેમિનાર યોજાયો હતો. આર્યુવેદના કાશી ગણાતા જામનગરના આંગણે ‘સુપ્રજા -2023’ રાષ્ટ્રીય કક્ષાના સેમિનારમાં બે સેશનમાં જુદા જુદા 170 જેટલા આયુર્વેદના સ્નાતકો, અનુસ્નાતકો, પ્રેક્ટિસનર્સ અને તબીબી ક્ષેત્રે આર્યુવેદનું અધ્યયન કરતાં લોકો જોડાયા હતા.

કોણ કોણ હાજર રહ્યુ હતું?

‘સુપ્રજા -2023’ સેમિનારનું જામનગરના મેયર બીનાબેન કોઠારી, આઈ.ટી.આર.એ.ના ડાયરેક્ટર ડો. અનુપ ઠાકર, આયુર્વેદ વ્યાસપીઠ નાગપુરના વૈદ્ય મૃણાલ નામદાર, ગ્રભોપનિષદ ફાઉન્ડેશનના ડો.હિતેશ જાની, જાણીતા બાળરોગ નિષ્ણાંત ડો. દીપક પાંડે, આયુર્વેદ વ્યાસપીઠ ગુજરાતના વૈદ્ય પ્રજ્ઞાબેન, વૈદ્ય ભાર્ગવભાઈ, આયુર્વેદ વ્યાસપીઠ સૌરાષ્ટ્રના વૈદ્ય મેહુલ જોષી, વૈદ્ય મિલન ભટ્ટ, વૈદ્ય વિજય તેલંગ, વૈદ્ય મિત ફળદુ, ‘સુપ્રજા -2023’ના ચેરમેન ડો. દર્શનાબેન પંડ્યા, ગ્રભોપનિષદ ફાઉન્ડેશનના ડો. કરિશ્માબેન નારવાણી સહિતના મહાનુભાવો એ દીપ પ્રાગટ્ય વડે પ્રારંભ કરાવ્યો હતો.આ પણ વાંચોઃ હવે રાજકોટ સુધી એશિયાઈ સિંહની ડણક સંભળાશે

વિવિધ રિસર્ચ પેપર રજૂ કર્યા

આ પ્રસંગે મેયર બીનાબેન કોઠારીએ આર્યુવેદથી ઉચ્ચકોટીના સંતાનો કેવી રીતે પ્રાપ્ત થાય તે માટે આ પ્રકારના સેમિનારો હવે લોકજાગૃતિ માટે આવશ્યક બન્યા છે. તેવું જણાવી આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા. ‘સુપ્રજા -2023’ સેમિનારમાં જામનગર ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યોમાંથી 170 જેટલા ફેકલ્ટીઓ રિસર્ચ પેપર સાથે આવ્યા હતા અને પોતાના મંતવ્યો પણ રજૂ કર્યા હતા.

આ પણ વાંચોઃ રાજકોટની એક ખાનગી શાળાની પરીક્ષાનું પેપર ફૂટ્યું

‘સુપ્રજા -2023’ એટલે 9 ટીમોની મહેનત

સેમિનાર દરમિયાન મુખ્ય વક્તા સાઇન્ટિસ્ટ વૈદ્ય ગીરીશજી ટીલુ દ્વારા સાયન્ટિફિક અને આર્યુવેદના સમનવ્યથી સારી પ્રજાતિના બાળકો કેવી રીતે આવી શકે તે માટે રિસર્ચ અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ‘સુપ્રજા -2023’ સેમિનારના આયોજન માટે છેલ્લા એક મહિનાથી 9 જેટલી ટીમો દ્વારા 50 અગ્રણીઓ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.

તમારા શહેરમાંથી (જામનગર)

Published by:Vivek Chudasma

First published:

Tags: Jamnagar City, Jamnagar News

રાજકોટની એક ખાનગી શાળાની પરીક્ષાનું પેપર ફૂટ્યું, સોશિયલ મીડિયામાં ફોટા વાયરલ

રાજકોટઃ ગુજરાતમાં અવારનવાર પેપર ફૂટવાની ઘટના બનતી હોય છે. ત્યારે ફરી એકવાર રાજકોટની શાળાનું પેપર સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે. એક ખાનગી શાળાના યુનિટ ટેસ્ટનું પેપર ફરતું થયું હતું. ત્યારે આ ઘટના બાદ શિક્ષણતંત્ર સહિત શાળા સંચાલકો દોડતા થઈ ગયા હતા.

ધોરણ 11નું પેપર સોશિયલ મીડિયામાં વાયરલ

મળતી માહિતી પ્રમાણે, રાજકોટના સ્વામિનારાયણ ચોક મેઈન રોડ પર આવેલી શ્રદ્ધા સ્કૂલનું પેપર સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે. વાયરલ થયેલા પેપરમાં શ્રદ્ધા સ્કૂલનું નામ પણ લખેલું છે. આ પેપર આગામી ત્રણથી ચાર તારીખે લેવાનારી પરીક્ષાનું હોવાની વિગતો સામે આવી હતી. વાયરલ થયેલું પેપર ધોરણ 11ની આર્ટ્સ સ્ટ્રીમનું છે. 11મા ધોરણના વાણિજ્ય વ્યવસ્થા નામના વિષયનું આ પેપર છે. આ પેપર વાયરલ થતાં જ ફરી એકવાર શિક્ષણ તંત્ર પર સવાલો ઉઠ્યાં છે.આ પણ વાંચોઃ તાળા-ચાવી બનાવનારે દાંતનું ચોકઠું ફીટ કર્યુ!

શાળા સંચાલકોએ શું કહ્યુ?

આ સ્કૂલના સંચાલકોએ ન્યૂઝ 18ની ટીમ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ‘આ પેપર અમારી સ્કૂલનું છે જ નહીં. અમારી સ્કૂલના પેપર હજુ છપાયાં જ નથી.’ આ સમગ્ર ઘટના મામલે તેમણે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીને પણ જાણ કરી છે. કોઈએ તેમની સ્કૂલને બદનામ કરવા માટે આ રીતે ખોટું પેપર વાયરલ કર્યું હોવાનું જણાવ્યું હતું. સ્કૂલ સંચાલક દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીને સમગ્ર બાબતથી વાકેફ કરાયા હોવાની વાત પણ તેમણે કરી હતી. સ્કૂલ સંચાલકોએ વધુમાં જણાવ્યું હતું કે, પહેલાં તો તેમના દ્વારા જાણવાનો પ્રયાસ કરાશે કે, આ પેપર કોણે વાયરલ કર્યું છે અને ત્યારબાદ તેમની સ્કૂલને બદનામ કરનારા સામે જરૂરી કાર્યવાહી પણ કરવામાં આવશે

તમારા શહેરમાંથી (રાજકોટ)

Published by:Vivek Chudasma

First published:

Tags: Paper leak, Rajkot News, Social Media Viral

દહેગામના હીલોલમાં ઘરની કાચી દીવાલ ધસી પડતા દટાઈ જવાથી બે સગી બહેનોના મોત | Two cousins died after the mud wall of the house collapsed and buried them in Hilol of Dehgam.

ગાંધીનગર16 મિનિટ પહેલા

  • કૉપી લિંક

દહેગામ તાલુકાના હીલોલમાં આજે સાંજના સમયે ઘરમાં બાંધવામાં આવેલા સાડીના હીચકા ઉપર ઝુલતી વખતે એક બાજુની કાચી દિવાલ ધસી પડતાં કિશોરવયની બે સગી બહેનોનું કાટમાળ નીચે દટાઈ જવાથી કરૃણ મોત નીપજ્યું છે. આ મામલે દહેગામ પોલીસે સ્થળ પર પહોંચીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દહેગામ તાલુકાના હીલોલમાં આજે સાંજના સમયે કરુણાંતિકા સર્જાતા એક જ પરિવારની બે સગી બહેનોનાં અકાળે મોતથી વાઘેલા પરિવાર પર આભ તૂટી પડયું હતું. અત્રે રહેતાં અશ્વિનભાઈ વાઘેલા (ઠાકોર) ની બે દીકરીઓ આરુષિ (ઉં. 12)અને જાહ્નવી (ઉ. 4) આજે સાંજના સમયે ઘરમાં બાંધવામાં આવેલા સાડીના હીચકાએ રોજની માફક હીચકા ખાઈ રહી હતી. પરંતુ આજે અચાનક જ એક બાજુની કાચી દિવાલ ધસી પડી હતી. જેનાં કારણે હીચકો તૂટી ગયો હતો. બંને બહેનો જમીન પર પડી હતી.

એ દરમ્યાન દીવાલની સાથો સાથ ઘરનો કાટમાળ પણ બંને બહેનો ઉપર પડ્યો હતો. આ બનાવના પગલે પરિવારજનો દોડી ગયાં હતાં. અને કાટમાળ નીચેથી બંને બહેનોને ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં બહાર કાઢી દહેગામ સીએચસી સેન્ટર લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે બંને બહેનોને તપાસીને મૃત જાહેર કરી હતી.

ત્યારે નવા વર્ષ – 2023 ના પહેલા દિવસે જ બંને દીકરીઓનું અકાળે અવસાન થતાં વાઘેલા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. બનાવની જાણ થતાં દહેગામ પોલીસ પણ દોડી ગઈ હતી. અને જરૂરી કાનૂની કાર્યવાહી કરી બંન્ને બહેનોનાં મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો હતો. ત્યારે અચાનક દિવાલ ધસી પડવાથી બે માસુમ બાળાનાં અવસાનના સમાચાર પ્રસરી જતાં ગામમાં પણ ગમગીની છવાઇ જવા પામી હતી.

અન્ય સમાચારો પણ છે…

નકલી ડોક્ટર પાસે દાંતનું ચોકઠું ફીટ કરાવ્યું

રાજકોટ: રાજકોટ શહેરમાં એક ચોંકાવનારો અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. તાળાની ડુપ્લીકેટ ચાવી બનાવનારો દાંતનો ડોક્ટર બની ગયો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. આ સમગ્ર મામલે ભોગ બનનાર દ્વારા નકલી દાંતના ડોક્ટર વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે જગનસિંહ ખીચીની ધરપકડ કરી લીધી છે. રાજકોટ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં શામજીભાઈ જીવાભાઇ રાઠોડ નામના વ્યક્તિએ જગ્ગન સિંગ પરસોતમ સિંગ ખીંચી વિરુદ્ધ આઈપીસીની કલમ 336, 419 તેમજ ધી ગુજરાત મેડિકલ પ્રેક્ટિસ 1963 ની કલમ 30 મુજબ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

નકલી દાંતના ડોક્ટર વિરુદ્ધ ફરિયાદ

ઉલ્લ્ખનીય છે કે, ફરિયાદીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, ‘હું નવા થોરાળા શેરી નંબર 3મા રહું છું. તેમજ છેલ્લા 30 વર્ષથી ખીજડા વાળી શેરીની બાજુમાં સરલ ફેક્ટરી ખાતે મજૂરી કામ કરું છું. સંતાનમાં મારે બે દીકરાને બે દીકરીઓ છે. જેમાં દીકરીઓના લગ્ન થઈ ચૂક્યા છે. જ્યારે મારા બાકીના બે દીકરાઓ મજૂરી કામ કરી ઘરનું ગુજરાન ચલાવે છે. ગત 20 મી ડિસેમ્બર ના રોજ હું 80 ફૂટ રોડ ઉપર આવેલા ચાવડાની દુકાન પાસે ઉભો હતો. ત્યારે એક ભાઈ જે મારી સાથે ચા પીવા આવતા હતા તેમની સાથે મેં વાતચીત કરી હતી કે મારે જમણા જડબામના નીચેના દાંત પડી ગયા છે તેથી મારે નવું ચોખઠું બેસાડવું છે. ’આ પણ વાંચો: સુરતના પાંડેસરા વિસ્તારમાંથી ઝડપાયો રીઢો ચોર, પૂછપરછ કરતા છ જેટલા ગુનાઓ ડિટેક્ટ થયા

પોલીસે કરી નકલી દાંતના ડોક્ટરની ધરપકડ

વધુમાં જણાવ્યું કે, ‘મારી સાથે વાત કરનાર ભાઈએ કહ્યું હતું કે, કેનાલ રોડ પર આવેલ ફુટ પાડી ઉપર નાગરિક બેંક સામે પદ્મકુવરબા હોસ્પિટલની દિવાલની બાજુમાં મેં અગાઉ ચોખઠું ફીટ કરાવ્યું હતું. તેનું કામ સારું છે. જેથી ગત 20મી ડિસેમ્બરના રોજ બપોરના એક વાગ્યા આસપાસ મારી ધર્મપત્ની જશુબેન રાઠોડ સાથે ત્યાં ગયો હતો. ત્યાં જગનસિંગ ખીચીએ અમને જણાવ્યું હતું કે, હું તમારા દાંત ફિટ કરી દઈશ. અમે ઘણા માણસોના દાંત તેમજ ચોખઠા તેમજ સડેલા દાંત કાઢી નવા ફીટ કરી આપ્યા છે. જગનસિંગ ખીચીએ મારા નીચેના ઝાડબાનું માપ લઈ લીધું હતું. તેમજ રોકડા 3300 લઈ મને જણાવ્યું હતું કે તમે પાંચ દિવસ પછી આવજો હું તમારા ચોખઠા ફીટ કરી આપીશ. ’

તાળા-ચાવી બનાવનાર પાસે દાંતનું ચોકઠું ફીટ કરાવ્યું

ફરિયાદ પ્રમાણે આરોપીએ કહ્યું કે, ‘26 તારીખના રોજ મારા ચોખઠા ફિટ કરી આપવામાં આવતા મને દુખાવો થવા લાગ્યો હતો. તેમજ જે જગ્યાએ ચોખઠા ફીટ કરવામાં આવ્યા હતા તે જગ્યાએ મને ચાંદા પણ પડી ગયા હતા. જેના કારણે હું 27મી તારીખના રોજ ફરી પાછો જગનસિંગ ખીચી પાસે ગયો હતો અને મને પડી રહેલી તકલીફ વિશે મેં તેને જણાવ્યું હતું. ત્યારે તેણે મને કહ્યું હતું કે દાંત તેમજ ચોખઠા બરાબર છે. તમને બરાબર થતાં દસ દિવસ જેટલો સમય લાગશે. જે દરમિયાન અમે બીજા ડોક્ટરને ત્યાં ગયેલા અને તેને મને જણાવ્યું કે, ચોખઠા ફીટ કરવાના કારણે તમને દુખાવો થયો છે તેમજ ચાંદા પડ્યા છે.’

આ પણ વાંચો: ભારત પાક બોર્ડર પાસે આવેલ નડાબેટ સીમા દર્શન પ્રોજેક્ટ પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર

નકલી ડોક્ટર લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હતો

ઉલ્લેખનીય છે કે, કોઈપણ જાતની ડોક્ટરની ડિગ્રી વગર જગનસિંગ ખીચી નામઠા વગરનું દવાખાનુ ચલાવે છે. તેમજ લોકોના આરોગ્ય સાથે ચેડા પણ કરે છે. જગનસિંગ ખીચી લોકોના દાંત ફીટીંગ તેમજ તાળા ચાવીનું કામ પણ કરે છે. મળતી માહિતી મુજબ ફરિયાદીના પત્ની રાજકોટ શહેરની ખાનગી હોસ્પિટલમાં નોકરી કરે છે. તેમજ જાણવા મળતી વિગતો અનુસાર અન્ય ડેન્ટિસ્ટની હોસ્પિટલમાં ખર્ચ વધુ થતો હોવાના કારણે ઓછા પૈસામાં પોતાનું કામ નીકળી જશે તે માટે ફરિયાદી અને તેના પરિવારજનોએ જગનસિંગ ખીચી પાસે ચોખઠા તેમજ દાંત ફીટ કરાવવાનું નક્કી કર્યું હતું.’

તમારા શહેરમાંથી (રાજકોટ)

Published by:Vimal Prajapati

First published:

Tags: Fake doctor, Rajkot News, ગુજરાત

પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવમાં 1500 સ્વયંસેવકો માટે હેર કટિંગ અને શેવિંગની અદ્ભુત વ્યવસ્થા

અમદાવાદઃ અમદાવાદના આંગણે પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. જ્યાં 80 હજારથી વધુ સ્વયંસેવકો છેલ્લા ત્રણ ચાર મહિનાથી સેવા આપી રહ્યા છે. ત્યારે શતાબ્દી મહોત્સવમાં માઈક્રો મેનેજમેન્ટનું વધુ એક અદ્ભુત ઉદાહરણ સામે આવ્યું છે. અહીં મહોત્સવમાં સેવા આપી રહેલા સ્વયંસેવકોની જરુરિયાતને ધ્યાનમાં રાખી ત્રણ અલગ અલગ સલૂન ઉભા કરવામાં આવ્યાં છે. જ્યાં રોજના 1500થી વધુ સ્વયંસેવકો હેર કટિંગ અને શેવિંગ કરાવે છે. અહીં આયોજન પણ એવું અદ્ભુત છે કે, હેરકટિંગ માટે કે શેવિંગ માટે લાઇન લાગતી નથી. આ માઈક્રોમેનેજમેન્ટ જાઈને તમે પણ આશ્ચર્યચક્તિ થઈ જશો.

પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવની ઉજવણી માટે શહેરમાં 600 એકર જગ્યામાં પ્રમુખ સ્વામી નગર ઉભું કરવામાં આવ્યું છે. આમ તો, નગરમાં એકેએક વસ્તુ જુઓ તો તમને બધું જોરદાર જ લાગશે અને આખાય નગરની રચનાના પ્લાનિંગની વાત કરવામાં આવે તો તે પ્લાનિંગથી માંડી અને સતત એક મહિનો ઉત્સવનું મેનેજમેન્ટ પણ અદ્ભુત છે. અહીં ટ્રાફિકની વાત હોય કે સ્વચ્છતાની બધું જ મેનેજમેન્ટ ફૂલ પ્રૂફ પ્લાનિંગથી થાય છે. એટલું જ નહીં, બીએપીએસના માઈક્રો પ્લાનિંગની વાત કરવામાં આવે તો અહીં છેલ્લા ત્રણ-ચાર મહિનાથી સતત 80 હજારથી વધુ સ્વયંસેવકો પોતાની સેવા આપી રહ્યાં છે. ત્યારે આ સ્વંયસેવકોને જો દાઢી ઉગી ગઈ હોય કે માથાના વાળ ઉગી ગયા હોય તો હેર કટિંગ માટે કે પછી શેવિંગ માટે ક્યાંય જવાની જરુર નથી. કારણ કે, તે માટેની વ્યવસ્થા પણ શતાબ્દી મહોત્સવમાં કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ ભાજપ યુવા મોરચા ટીમ શતાબ્દી મહોત્સના મેનેજમેન્ટનો અભ્યાસ કરશે

અહીં ત્રણ અલગ અલગ જગ્યાએ સલૂન ઉભા કરવામાં આવ્યા છે. જેમાં ચાર નંબરના ગેટ પાસે એક સલૂન 40 ખુરશીઓ સાથેનું, જ્યારે સાત નંબરના ગેટ પાસે એક સલૂન 40 ખુરશીઓ સાથે, અન્ય એક સલૂન 20 ખુરશી સાથે એમ કુલ 100 બેઠક સાથેના સલૂન ઊભા કરવામાં આવ્યાં છે. તમને જાણીને નવાઈ લાગશે કે, અહીં રોજે રોજ 1500થી વધુ સ્વયંસેવકો હેર કટિંગ અને શેવિંગ કરાવે છે.

અહીં સેવા આપી રહેલા કિશોરભાઈ રાઠોડ જણાવે છે કે, તેઓ વર્ષોથી બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા સાથે જોડાયેલા છે અને અહીં ત્રણ અલગ અલગ જગ્યાએ સલૂન બનાવવામાં આવ્યા છે. એક સલૂનમાં 700થી 800, જ્યારે કુલ 1500 જેટલા સ્વયંસેવકો રોજે રોજ શેવિંગ અને હેરકટિંગ માટે આવે છે. તેમના સેવિંગ કે હેરકટિંગ માટે બધું જ બ્રાન્ડેડ વસ્તુઓ જ વાપરવામાં આવે છે. તેમની પાસેથી માત્ર 10 રુપિયા જેટલો ચાર્જ લઈએ છીએ એટલે કે હેર કટિંગ કરવું હોય તો 10 રુપિયા જ્યારે સેવિંગ કરવું હોય તો 10 રુપિયા જેટલો ચાર્જ લઈએ છીએ. અહીં હેરકટિંગ માટે 150 જેટલા સ્વયંસેવકો સેવા આપી રહ્યાં છે અને તમામ લોકો પ્રોફેશનલ છે. દરેક સલૂનની દુકાન ધરાવે છે. અહીં શતાબ્દી મહોત્સવમાં સેવા આપવા માટે પહોંચ્યા છે. સવારે 9 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી સલૂનમાં સેવા આપીએ છીએ. માત્ર હેર કટિંગ અને શેવિંગ જ નહીં જે સ્વયંસેવકના નખ વધી ગયા હોય તો તેઓને નેલ કટીંગ પણ અહીં કરવામાં આવે છે.

તમારા શહેરમાંથી (અમદાવાદ)

Published by:Vivek Chudasma

First published:

Tags: BAPS, BAPS Article, Baps pramukh swamis maharaj, Pramukh Swami Maharaj Shatabdi Mahotsav

raju theth murder case gujarat ats arrested lawrence bishnoi gang sharpshooter vijay crime that shakes rajasthan sb – News18 Gujarati

અમદાવાદ: રાજસ્થાનના ગેંગસ્ટર રાજુ ઠેહટની હત્યા કેસમાં ગુજરાત ATSને મોટી સફળતા મળી છે. તેણે ઠેહટની હત્યા કરીને સનસનાટી મચાવનાર લોરેન્સ બિશ્નોઈ ગેંગના સુત્રધાર વિજય બિશ્નોઈને પકડી લીધો છે. જણાવી દઈએ કે, રોહિત ગોદારાએ રાજુ ઠેહટની ગોળી મારીને હત્યા કરી હતી. રાજસ્થાન પોલીસના જણાવ્યા અનુસાર આ હથિયાર રોહિતને વિજય બિશ્નોઈએ આપ્યું હતું.

આ બાદ વિજય ગુજરાત ભાગી આવ્યો હતો. રાજસ્થાન પોલીસે ગુજરાત ATSને વિજયની જાણ કરી હતી. તેને માહિતી મળી કે, આરોપી ટ્રકમાં છુપાઈને બીકાનેર જવા રવાના થયો છે. આ પછી તેણે જાળ ફેલાવી વિજયને મહેસાણા નજીકથી પકડી લીધો હતો. ઉલ્લેખનીય છે કે, ગેંગસ્ટર રાજુ ઠેહટની હત્યાનું કાવતરું નવ મહિના પહેલા એપ્રિલમાં લોરેન્સ ગેંગના ગેંગસ્ટર રોહિત ગોદારા દ્વારા ઘડવામાં આવ્યું હતું. તેણે બિકાનેરના લુંકરનસરમાં આ હત્યાકાંડનું કાવતરું ઘડ્યું હતું.

આ પણ વાંચો: ગેંગસ્ટર આનંદપાલનો બદલો છે રાજૂ ઠેહટની હત્યા? NIA કરશે લોરેન્સ બિશ્નોઈની પૂછપરછ

રોહિતે શૂટર્સને સૂચના આપી

આ માટે રોહિતે 10 એપ્રિલે શૂટર્સને લુંકરનસર બોલાવ્યા હતા. જે બાદ શૂટરોને સીકર મોકલવામાં આવ્યા હતા. તેણે શૂટર્સને કહ્યું હતું કે, તેનું લક્ષ્ય એક મોટા ગુનેગારને મારવાનું હતું. આ શૂટરોમાં હરિયાણાના સતીશ મેઘવાલ અને જતીન કુમ્હાર સહિત એક સગીરનો સમાવેશ થાય છે. રોહિતે તેને સીકરમાં તેના માણસ મનીષ જાટ પાસે મોકલ્યા હતા.

આ રીતે આરોપીઓની ટ્રેનિંગ થઈ

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, મનીષે જ ત્રણેય શૂટરોને સીકરની એક કોચિંગ સંસ્થામાં દાખલ કરાવ્યા હતા. આ પછી પૈસા ભરીને પીજી હોસ્ટેલમાં રાખ્યા હતા. હત્યા પહેલા રોહિતે આયોજનબદ્ધ રીતે મનીષને હથિયારો પહોંચાડ્યા હતા. તેણે રાજુ ઠેહટના શૂટિંગની સમગ્ર જવાબદારી મનીષ જાટને સોંપી હતી. રાજુ ઠેહટની હત્યાના 5 દિવસ પહેલા શૂટર વિક્રમે સીકરના બમરદા ખાતેના ફાર્મ હાઉસમાં ત્રણ શૂટર્સને હથિયાર ચલાવવાની ટ્રેનિંગ આપી હતી.

આ પણ વાંચો: પોલીસે બિશ્નોઈ ગેંગના નજીકના માણસને પકડ્યો, સગીરને સલમાન ખાનને મારવાનો ટાસ્ક સોંપાયો હતો

ઘરમાં આપ્યો હત્યાને અંજામ

આ માટે રાજુએ ઠેહટનું નકલી પુતળું બનાવીને 5-5 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. શૂટર્સને મેગેઝિન લોડ કરવા, ફાયર બર્સ્ટ કરવા અને સેફ્ટી બટનનો ઉપયોગ કરવાની તાલીમ આપવામાં આવી હતી. આ ત્રણ શૂટર્સ સોશિયલ મીડિયા દ્વારા રોહિતના સંપર્કમાં આવ્યા હતા. ત્યારપછી મનીષ જાટે શૂટરો સાથે મળીને રાજુ ઠેહટને તેના ઘરમાં આયોજનબદ્ધ રીતે ગોળીઓ મારીને ભાગી ગયો હતો. પરંતુ આ ગેંગ વોરની ઘટનાના 24 કલાકમાં જ તે પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો.

તમારા શહેરમાંથી (અમદાવાદ)

Published by:Samrat Bauddh

First published:

Tags: Gujarat ATS, Lawrence Bishnoi, Murder case

નેચર ફર્સ્ટ ગ્રુપ દ્વારા જંગલમાં 64મું સપ્તાહ પ્લાસ્ટિક મુક્ત ગીરનાર જંગલ અભિયાન યોજવામાં આવ્યું | The 64th Week in the Jungle Plastic Free Girnar Jungle Campaign was organized by Nature First Group

જુનાગઢ10 મિનિટ પહેલા

  • કૉપી લિંક

પ્રકૃતિની સેવા માટે કામ કરતી નેચર ફર્સ્ટ સંસ્થા “પર્યાવરણ બચાવો” અંતર્ગત છેલ્લા 64 સપ્તાહથી દર રવિવારે ગિરનારના જંગલમાં પ્લાસ્ટિક મુક્ત જંગલ અભિયાન ચલાવવામાં આવે છે. જેના અનુસંધાને આજરોજ નેચર ફર્સ્ટની ટીમ સાથે હ્યુમાનિટી ફર્સ્ટ ગૃપના મિત્રો દ્વારા ગિરનારના જંગલ વિસ્તારમાં 64મું સપ્તાહ પ્લાસ્ટિક મુક્ત ગિરનાર જંગલ અભિયાન યોજવામાં આવ્યું હતું. જેમાં અત્યાર સુધીમાં આશરે 15 ટન જેટલું પ્લાસ્ટીક એકત્રિત કરી તેનો નાશ કરવામાં આવ્યો હતો.

મિશન પ્લાસ્ટિક ફ્રી જૂનાગઢ યાત્રાધામ, સ્વચ્છ જૂનાગઢ, સ્વચ્છ ગિરનારને સાર્થક કરવા માટે નેચર ફર્સ્ટ ગ્રુપની ટીમ છેલ્લા દોઢ વર્ષથી જૂનાગઢમાં પ્લાસ્ટિક મુક્ત અભિયાન ચલાવી રહી છે. જેમાં આજે હ્યુમિનિટી ફર્સ્ટ ગૃપના મિત્રોએ નેચર ફર્સ્ટ ગ્રુપ સાથે સવારા મંડપની સીડી આસપાસના જંગલ વિસ્તારમાં નેચર ફર્સ્ટ સંસ્થાના 64 માં પ્લાસ્ટિક મુક્ત ગિરનાર જંગલ અભિયાનમાં ભાગ લીધો હતો. અને આશરે 45 કિલો પ્લાસ્ટિક એકત્ર કરીને તેનો નાશ કરવામાં આવ્યો છે.

સ્થાનિક એનજીઓ અને એસએચજીની મદદથી જૂનાગઢને સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત પ્રવાસન બનાવવા જિલ્લા વહીવટી તંત્ર ઉત્સુકતા સાથે આગળ આવે તેવી પ્રબળ માંગ પ્રકૃતિ પ્રેમીઓમાં ઊઠી રહી છે.જૂનાગઢની ઘણી બધી સેવાભાવી સંસ્થાઓ નિશુલ્ક માણસો પ્રકૃતિ અને પ્રાણીઓ માટે સેવા કરી દ્રષ્ટાંત પૂરું પાડી રહી છે, ત્યારે આવી જ રીતે આવી કામગીરીની નકલ કરી કેટલાક સંગઠનોએ લોકોની અને પ્રકૃતિ સાથે પ્રાણીઓની સેવા કરવાની વાત જે લોકોની લાગણી સાથે સંકળાયેલ છે, તેનો લાભ લઈ ઉઘરાણા પણ શરૂ કર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે આવા લોકોથી સાવચેત રહેવા લોકોને પ્રકૃતિ પ્રેમીઓ જણાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે…

Attempted abduction of a woman sitting in a car on a sunny day, the whole incident was caught on CCTV

યમુના નગર : હરિયાણાના યમુના નગરમાંથી ચોંકાવનારા સમાચાર આવ્યા છે. અહીંયાના બદમાશોએ ધોળા દિવસે જ એક મહિલાનું અપહરણ કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ, તેનો પ્રયાસ નિષ્ફળ ગયો જોકે, મહિલાએ અવાજ કરવાનું શરૂ કરતા બદમાશો ડરીને ભાગી ગયા હતા. પોલીસે આ મામલે એફઆઈઆર નોંધીને એક વ્યક્તિની અટકાયત કરી છે. સમગ્ર ઘટનામાં આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

મળતી માહિતી મુજબ પીડિત મહિલા 31 ડિસેમ્બરે જીમમાં ગયા બાદ ઘરે પરત ફરી રહી હતી. તે પોતાની કારમાં બેઠી કે તરત જ અચાનક હુમલો કરીને બેઠેલા બદમાશો પણ બળપૂર્વક તેની કારમાં બેસી ગયા. જેમાં બે બદમાશ ડાબી બાજુથી કારમાં દરવાજો ખોલીને બેસી ગયા હતા. જોકે, જ્યારે આ બદમાશો ગાડીમાં બેઠા ત્યારે તરત જ મહિલા ગભરાયા વગર અવાજ કરવા લાગી.

આ પછી લોકોને પોતાની તરફ આવતા જોઈને બદમાશો કારમાંથી નીચે ઉતરીને ભાગી ગયા હતા. બીજી તરફ પોલીસ અધિકારીઓને આ અંગેની જાણ થતાં જ તેઓ પણ એક્શનમાં આવી ગયા હતા. ડીએસપી કંવલજીત સિંહ ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

Published by:Sachin Solanki

First published:

Tags: Big Crime, CCTV footage, Latest viral video