Saturday, December 31, 2022

અમદાવાદના પાર્ટી પ્લોટ અને કલબોમાં NEW YEAR સેલિબ્રેશન, DJના તાલે યુવાનોના ઠુમકા; સાન્તાક્લોઝ અને ટેબલો સાથે બાળકોનો ડાન્સ | New Year celebrations in Ahmedabad's party plots and clubs, young people dance on DJ; Children dance with Santa Claus and tables

API Publisher
અમદાવાદ19 મિનિટ પહેલા કૉપી લિંક આજે 31મી ડિસેમ્બર અને નવા વર્ષ 2023ના આગમનની ઉજવણીની શરૂઆત થઈ ગઈ છે. વર્ષ 2023ના શરૂઆતની અમદાવાદીઓ દ્વારા પાર્ટી દ્વારા કરવામાં આવી રહી છે. શહેરના એસજી હાઇવે પર અને સિંધુભવન રોડ પર આવેલા પાર્ટી પ્લોટ તેમજ કલબોમાં NEW YEAR પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોટી સંખ્યામાં યુવક યુવતીઓ ડાન્સ કરી અને નવા વર્ષને મનાવી રહ્યા છે. સિંધુભવન રોડ પર આવેલા લેવિસ ગ્રીન પાર્ટી પ્લોટમાં યોજાયેલી પાર્ટીમાં મોટી સંખ્યામાં યુવક- યુવતીઓ ડીજેના તાલે ડાન્સ કરી નવા વર્ષની ...

BSFના જવાનો દેશની સેવામાં મસ્ત

API Publisher

કિશોર તુવર, બનાસકાંઠા: સમગ્ર દુનિયા નવા વર્ષ-2023ને આવકારવા માટે વ્યસ્ત છે, જ્યારે નડાબેટ ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય બોર્ડર પર BSFના જવાનો નેશન ફર્સ્ટના સેવાધર્મ સાથે દેશની સેવામાં મસ્ત જોવા મળી રહ્યા છે. ઝીરો ડિગ્રી ઠંડી અને વિષમ પરિસ્થિતિમાં BSFના ખડે પગે દેશની સેવા કરી રહ્યા છે. થર્ટી ફર્સ્ટની ઉજવણીમાં લોકો અત્યારે મિત્રો અને પરિવારજનો સાથે વિવિધ જગ્યાએ ઉજવણી માટે જતા હોય છે. જ્યારે નડાબેટ ખાતે પોતાના વતનથી દૂર દેશની સેવામાં તૈનાત જવાનો ઉજવણી છોડીને દેશની સુરક્ષા કરી રહ્યા છે.

જવાનો હંમેશા સરહદો પર ખડે પગે રહે છે

દેશના લોકો સુખચૈનથી પોતાના ઘરોમાં રહીને તહેવારોની ઉજવણી કરી શકે તે માટે સેનાના જવાનો હંમેશા સરહદો પર ખડે પગે જોવા મળે છે. નવા વર્ષની ઉજવણીમાં લોકો મિત્રો અને પરિવારજનો સાથે વિવિધ જગ્યાએ ઉજવણી માટે જતા હોય છે. જ્યારે નડાબેટ ખાતે પોતાના વતનથી દૂર દેશની સેવામાં તૈનાત જવાનોને મળી પ્રવાસીઓએ તેમની રાષ્ટ્ર ફરજને બિરદાવી આત્મિયતાથી વાતો કરી તેમના પ્રત્યે આદર અને આભારની લાગણી વ્યક્ત કરતા નજરે પડે છે.આ પણ વાંચો: આજે ભૂલથી પણ અહીંથી પસાર ન થતા! અમદાવાદ પોલીસ કમિશનરે બહાર પાડ્યું જાહેરનામું

આંતરરાષ્ટ્રીય બોર્ડર પર BSFની બાજ નજર

ગુજરાતની 826 કિ.મી. આંતરરાષ્ટ્રીય બોર્ડર પર BSFની બાજ નજર રહે છે. BSF જવાનો રાજસ્થાન બોર્ડરથી કચ્છ સુધીની 826 કિ.મી. ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય બોર્ડર પર તૈનાત છે. જેમાં મેડીથી જખૌ બંદર સુધીના 85 કિ.મી. દરિયાઈ માર્ગ પર પણ BSF પડકારજનક પરિસ્થિતિમાં પણ ફરજ નિભાવે છે. BSFના જવાનો દરિયાઈ વિસ્તાર, પર્વતો, ઉપરાંત રાજસ્થાનનું થાર રણ, ગુજરાતનું કચ્છનું રણ, કચ્છનો સરક્રિક વિસ્તાર જે 4050 સ્કવેર કિ.મી. પર BSF સુરક્ષા કરે છે.

આ પણ વાંચો: સત્તા સંભાળ્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવ્યા એક્શન મોડમાં

દેશની સુરક્ષા માટે જવાનો હંમેશા તૈનાત

ઉલ્લેખનીય છે કે, દરેક વિસ્તારોમાં પ્રતિકૂળ પરિસ્થિતિ સાથે ઝેરી જીવ જંતુઓથી પણ પોતાની જાતને સુરક્ષિત રાખવી પડે છે. ઝીરો ડિગ્રી ઠંડી અને કાળઝાળ ગરમીની વિષમ પરિસ્થિતિ હોય કે વરસાદ, બરફવર્ષા, તોફાન, ભૂ-સ્ખલન કે કોઈપણ કુદરતી કે માનવ સર્જિત સંજોગો હોય BSF સદૈવ અડગ રહી તેના સૂત્ર “જીવન પર્યંત કર્તવ્ય” અનુસાર દેશની સુરક્ષા કરતા અડીખમ ડ્યુટી નિભાવે છે. દેશની સુરક્ષા માટે જવાનો હંમેશા તૈનાત જોવા મળે છે. અસહ્ય ગરમી હોય કે, પછી કાલીત ઠંડી હોય પરંતુ દેશની સુરક્ષા માટે જવાનો હંમેશા તૈનાત રહેતા હોય છે.

તમારા શહેરમાંથી (બનાસકાંઠા)

બનાસકાંઠા

બનાસકાંઠા

Published by:Vimal Prajapati

First published:

Tags: 31st Party, BSF, India Pakistan Border, ગુજરાત

સુરતમાં યુવક-યુવતી દારૂના નશા અને બોટલ સાથે ઝડપાયા, એન્ટી ડ્રગ્સ ટેસ્ટિંગ મશીન સાથે પોલીસ રસ્તા પર ઉતરી | In Surat, young men and women caught with liquor and bottles, police hit the road with anti-drugs testing machine

API Publisher
સુરત20 મિનિટ પહેલા સુરતમાં યુવતી નશાની હાલતમાં ઝડપાઈ. કોરોનાના બે વર્ષ બાદ આ વર્ષે થર્ટી ફર્સ્ટ મનાવવા મળી છે ત્યારે ગુજરાતમાં પોલીસ દ્વારા પણ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. પોલીસ દ્વારા આ વખતે તમામ જગ્યાએ અને પાર્ટીઓ ઉપર ચાપતી નજર રાખવામાં આવી રહી છે. પોલીસનો મોટો કાફલો રસ્તા પર ઉતરી પોશ વિસ્તારમાં તમામ વાહન ચાલકોનું સઘન ચેકિંગ કરી રહી છે. આ વખતે પ્રથમવાર પોલીસ દ્વારા એન્ટી ડ્રગ ટેસ્ટ મશીનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સુરત પોલીસ દ્વારા ડુમસ રોડ ખાતેના વાય જંકશન પાસે સઘન ચકિંગ કરાઈ રહ્યું ...

રોજગાર હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં

API Publisher

ગાંધીનગર: બેરોજગાર ઉમેદવારો માટે રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલ હેલ્પ લાઇન અને તાલીમ વર્ગ ઉપયોગી બની રહેશે. રાજ્યના શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના નિયામક રોજગાર અને તાલીમની કચેરી દ્વારા રોજગારવાન્છું ઉમેદવારો માટે રોજગાર હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે. આ હેલ્પ લાઇનનો નંબર 6357390390 છે. આ હેલ્પલાઇન નંબર પર ગાંધીનગર જિલ્લાના તમામ રોજગારવાન્છું ઉમેદવારો, શાળા-કોલેજના વિઘાર્થીઓને હેલ્પલાઇનના માધ્યમથી રોજગાર ભરતીમેળા દ્વારા રોજગારને લગતી, સ્વરોજગાર માટે વ્યવસાય માર્ગદર્શન, સંરક્ષણ ભરતી માર્ગદર્શન તથા અભ્યાસ કરતા વિઘાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન પુરું પાડવામાં આવશે.

યુવાનોને ઘરે બેઠા સરળતાથી મળશે માર્ગદર્શન

આ હેલ્પલાઇનના માધ્યમથી જિલ્લાનો કોઇપણ યુવા ઘરે બેઠા સરળતાથી માર્ગદર્શન મેળવી શકે તે હેતું છે. જિલ્લાના તમામ વાલીઓ પણ પોતાના સંતાનના ઉજ્જવળ ભવિષ્યમાં મદદરૂપ થવા હેલ્પલાઇનનો લાભ લઇ શકે છે. આ સિવાય બી.એસ.એફ હેડ ક્વાર્ટર ગાંધીનગર ખાતે નિવાસી તાલીમ વર્ગ શરુ થનાર છે. ગુજરાત સરકારના શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા આગામી સમયમાં બી એસ.એફ ગાંધીનગર ખાતે 30 દિવસીય નિવાસી તાલીમ વર્ગ શરૂ કરવામાં આવનાર છે.આ પણ વાંચો: આજે ભૂલથી પણ અહીંથી પસાર ન થતા! અમદાવાદ પોલીસ કમિશનરે બહાર પાડ્યું જાહેરનામું

30 દિવસ બી.એસ.એફ કેમ્પસમાં મળશે તાલીમ

ઉલ્લેખનીય છે કે, આ તાલીમ વર્ગમાં ભાગ લેવા ઈચ્છુક ઉમેદવારોએ નિયત ફોર્મમાં અરજીઓ કરવાની રહેશે. ઉમેદવારોએ 30 દિવસ બી.એસ.એફ કેમ્પસમાં રહીને તાલીમ લેવાની રહેશે. આ તાલીમમાં રહેવા-જમવાની સુવિધા સાથે શારીરિક અને બૌદ્ધિક કસોટી માટે નિશુલ્ક તૈયાર કરાવવામાં આવશે. ઉમેદવારની હાજરી મુજબ પ્રતિદિન લેખે 100 રૂપિયા સ્ટાઈપેંડ મળવા પાત્ર રહેશે. આ સાથે ઉમેદવારોને શારીકિ તાલીમ પણ આપવામાં આવશે. જેમાં ઉમેદવારને પ્રતિદિન લેખે 100 રૂપિયા પણ આપવામાં આવશે.

આ પણ વાંચો: સત્તા સંભાળ્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવ્યા એક્શન મોડમાં

ઉમેદવારોએ રૂબરૂ જઈને ફોર્મ ભરવાના પડશે

વિગતો પ્રમાણે ગાંધીનગર જિલ્લાના ઉમેદવારો કે જેમણે અગાઉ રોજગારી કચેરી દ્વારા તાલીમ મેળવેલ હોય તે સિવાયના ઉમેદવારોએ જ કચેરી ખાતે રૂબરૂ આવીને ફોર્મ ભરવાના રહેશે. અરજી કરવા માટે જિલ્લા રોજગાર કચેરી, ગાંધીનગર ખાતે રૂબરૂ ફોર્મ મેળવી અરજી જમા કરાવી શકાશે. ફોર્મ ભરવા માટે ઉમેદવારોએ રૂબરૂ જિલ્લા રોજગાર કચેરી ખાતે આવવાનું રહેશે.

તમારા શહેરમાંથી (ગાંધીનગર)

Published by:Vimal Prajapati

First published:

Tags: Gandhinagar News, Helpline number, Unemployed, ગુજરાત

રાણાવાવમાં વાણિજ્યિક હેતુ માટે ઘરગથ્થુ ગેસની બોટલ ઉપયોગ કરવા પ્રતિબંધ ફરમાવ્યો | Ban on use of household gas cylinders for commercial purposes in Ranawav

API Publisher
પોરબંદર40 મિનિટ પહેલા કૉપી લિંક રાણાવાવ મામલતદાર દ્રારા વાણિજ્યિક હેતુ માટે ઘરગથ્થુ વપરાશ માટેના ગેસના બાટલાના ઉપયોગ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. રાણાવાવ મામલતદારની યાદીમાં જણાવવામાં આવ્યુ છે કે, આવશ્યક ચીજવસ્તુ ધારો-1995ની કલમ-7 અને પેટ્રોલીયમ ગેસ પુરવઠા અને વિતરણ નિયમન હુકમ-2000ની કલમ-7ને ધ્યાને લેતા ઘરગથ્થુ ઉપયોગ માટે ઘરગથ્થુ વપરાશ અંગેનો ગેસનો બાટલો વાપરવા પર પ્રતિબંધ કરવામાં આવેલ છે. તથા ઘરગથ્થુ વપરાશ અંગેના બાટલા હોટેલ, રેસ્ટોરન્ટ, ધાબા, ફરસાણની દુકાનો, ફાસ્ટફુડની દુકાનો, ચા-કોફીની ...

પતંગના વેપાર માટે લેવી પડશે મંજુરી

API Publisher

ગાંધીનગર: પતંગ વિતરણનો ધંધો કરવા માટે સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા ગાધીનગરના સેકટર- ૨૨, સેકટર-૧૧ અને સેકટર- ૬ માટે ખુલ્લા પ્લોટ નક્કી કરાયા છે. જયાં ધંધો કરવા વેપારીઓએ હંગામી મંજૂરી લેવાની રહેશે. 2023માં ઉત્તરાયણના તહેવારોને અનુલક્ષીને ગાંઘીનગર શહેરી વિસ્‍તારમાં પતંગ વિતરણની કાર્યવાહી કરવા હંગામી મંજુરી મેળવવા માટેનું ફોર્મ કામકાજના ચાલુ દિવસોએ રજીસ્‍ટ્રરી શાખા, કલેકટર કચેરી, ગાંઘીનગરમાં કચેરી સમય દરમ્યાન રજૂ કરવાનુ રહેશે.

પતંગના વેપાર માટે લેવી પડશે હંગામી મંજૂરી

આ ફોર્મ જરૂરી વિગતો સાથે ભરીને પાંચમી જાન્યુઆરીના સાંજે પાંચ કલાક સુઘીમાં જમા કરાવવાનું રેહશે. કોઇપણ સંજોગોમાં અધુરી વિગતવાળી અરજી વિચારણામાં લેવામાં આવશે નહિ. ગાંઘીનગર શહેરી વિસ્‍તારમાં પતંગ વિતરણની કાર્યવાહી કરવા હંગામી પરવાની અરજી ઉપર રૂા. ૩ની કાર્ટ ફ્રી સ્‍ટેમ્પ લગાડવાની રહેશે. જરૂરી ફી જનસેવા કેન્દ્રમાંથી મંજુર કરાવી સ્‍ટેટ બેંક ઓફ ઇન્ડિયા અથવા બેંક ઓફ બરોડામાં ચલણથી જમા કરાવીને એક નકલ અરજી ફોર્મ સાથે બીડવાની રહેશે. જેથી જે તે સેકટર પુરતી જ પ્લોટ મેળવવા માટે પસંદગી પ્રમાણે અરજી કરવાની રહેશે.આ પણ વાંચો: જોત જોતામાં જ બે યુવાનો બાઈક સાથે ખાડામાં ખાબક્યા

પ્લોટ ફળવાશે તેમાં જ ઘંઘો કરવાનો રહેશે

અરજીમાં પસંદગીના સેકટરની વિગત અવશ્ય લખવાની રહેશે. જે પ્લોટ ફળવાશે તેમાં જ ઘંઘો કરવાનો રહેશે. જેથી પ્‍લોટનું ભરેલ ભાડું રીફંડ મળશે નહિ. પ્‍લોટ ઉપર સ્‍ટોલની વ્યવસ્‍થા, લાઇટની વ્યવસ્‍થા, ફાયર સેફટી સાઘનોની વ્યવસ્‍થા અરજદારે જાતે કરવાની રહેશે. મંજૂરીની શરતો પ્રમાણે આગ-અકસ્‍માત માટેની સાવચેતી પગલા માંગણીદારે લેવાના રહેશે. આમ છતાં કોઇ દુર્ઘટના બનશે તો તેની જવાબદારી અરજદારની રહેશે. જરૂર જણાયે મંજુરી માટેની અરજી કરનારે વિમો પણ લેવાનો રહેશે.

આ પણ વાંચો: આજે ભૂલથી પણ અહીંથી પસાર ન થતા! અમદાવાદ પોલીસ કમિશનરે બહાર પાડ્યું જાહેરનામું

અરજદારે જાતે જ ધંધો કરવો પડશે

આ સાથે જ અરજદારે ઘંઘો જાતે જ કરવાનો રહેશે અન્ય વ્યક્તિને ઘંઘો કરવા અઘિકૃત કરી શકાશે નહિં કે અન્યને વાપરવા પણ આપી શકશે નહિ. અરજદાર એ કોઇ ગુન્હામાં સંડોવાયેલા નથી તેવું પ્રમાણપત્ર તેના રહેણાંકના નજીકના પોલીસ સ્‍ટેશનમાંથી મેળવી અરજીપત્રક સાથે રજૂ કરવાનું રહેશે. સંબંઘિત ફાયર ઓફિસરનો અભિપ્રાય પણ અરજીપત્રક સાથે રજુ કરવાનો રહેશે. નાવેલ કોરોના વાયરસનું સંક્રમણ ઝડપથી ફેલાતું હોઇ દરેક હંગામી પતંગ વિતરણ લાયન્સ ઘારકોએ માસ્ક પહેરુવું ફરજિયાત છે. આ સાથે સાથે  કોવિડ-19ની ગાઇડલાઇન મુજબ નિયમોનું ચૂસ્તુ પાલન કરવાનું રહેશે.

તમારા શહેરમાંથી (ગાંધીનગર)

Published by:Vimal Prajapati

First published:

Tags: Gandhinagar News, Kite Festival, Uttarayan, ગુજરાત

દ્વારકાના સનસેટ પોઇન્ટ પરથી સૂર્યાસ્ત જોવોએ અનેરો લ્હાવો; કુદરતી નજારો કેમેરામાં કેદ | Watch the sunset from Dwarka's Sunset Point; Natural scenery captured on camera

API Publisher
દ્વારકા ખંભાળિયા11 મિનિટ પહેલા આજે 31મી ડીસેમ્બર 2022ના રોજ સાંજે દ્વારકાના સનસેટ પોઇન્ટ પરથી વર્ષનો છેલ્લો સૂર્યાસ્ત જોવોએ અનેરો લ્હાવો છે. દ્વારકામાં આવેલ સનસેટ પોઇન્ટ પરથી ભારત વર્ષેના સૂર્યના અંતિમ કિરણો સૌથી છેલ્લે અહી પડે છે અને તે જોવાનો એક અનેરો લ્હાવો છે. વર્ષના અંતિમ સૂર્યાસ્તની તસવીરોદરિયા કાંઠે આવેલ આ સનસેટ પોઇન્ટને રેખાંશ અક્ષાશ અંશનું ધ્યાન રાખી બનાવવામાં આવેલ છે. ત્યારે આજે ઇતિહાસકારી 2022ના વર્ષનું અંતિમ કિરણ જોવાનો લ્હાવો લેવા અનેક પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા. ગત વર્ષે 2021માં ...

CM ભૂપેન્દ્ર પટેલ પહોચ્યા ઓચિંતી મુલાકાતે

API Publisher

અમદાવાદ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં બીજી વખત મુખ્યમંત્રી તરીકેની સત્તા સંભાળ્યા બાદ હવે એક્શન મોડમાં આવી ગયા છે. જુદા જુદા વિભાગમાં ભ્રષ્ટાચાર મુક્ત છબી ધરાવતા અધિકારીઓની નિમણૂક થઈ રહી છે. આ સાથે જ મંત્રીમંડળના તમામ સભ્યોને પણ પ્રજાહિતના કામ ગતિ પકડે તે માટે સૂચના આપવામાં આવી રહી છે. તે જ રીતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હવે જુદી જુદી સરકારી કચેરીઓમાં પણ સરપ્રાઈઝ વિઝીટ પણ કરી રહ્યા છે.

સરપ્રાઈઝ વિઝિટ પોલીસ મેળામાં પણ ખરબડાટ

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા અમદાવાદ જિલ્લા પોલીસ અધિકારીની કચેરીએ અચાનક વિઝીટ કરી હતી. આ વિઝિટની સાથે જ પોલીસ મેળામાં પણ ખરબડાટ મચી ગઈ હતી. તેવી જ રીતે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે માણસા તાલુકામાં આંગણવાડી અને ગ્રામજનો સાથે અચાનક મુલાકાત કરી જિલ્લા વહીવટી તંત્રને ચોંકાવી દીધું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે માણસા તાલુકાના બાપુપુરા ગામની આંગણવાડી અને પંચાયત ઘરની ઓચિંતી મુલાકાત લીધી હતી. તો આ સાથે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા વિહાર ગામની પણ ઓચિંતી મુલાકાત લેવામાં આવી હતી.આ પણ વાંચો: આજે ભૂલથી પણ અહીંથી પસાર ન થતા! અમદાવાદ પોલીસ કમિશનરે બહાર પાડ્યું જાહેરનામું

ભૂપેન્દ્ર પટેલે લીધી અચાનક સરકારી કચેરીઓની મુલાકાત

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું સ્પષ્ટ માનવું છે કે, હવે જનતાની અપેક્ષા પૂર્ણ કરવાનો સરકારનો નિર્ધાર છે. તે માટે સરકારી વહીવટી તંત્ર વ્યવસ્થિત રીતે ચાલે છે કે નહીં તેની તપાસ કરવી એ ખૂબ જરૂરી છે. તેના જ પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અચાનક જુદી જુદી સરકારી કચેરીઓની મુલાકાત લઈ રહ્યા છે. આ મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે રાજ્યના મુખ્ય સચિવ પંકજકુમાર પણ સાથે જોવા મળ્યા હતા. રાજ્યમાં મુખ્યમંત્રી હવે એકદમ એક્શન મોડમાં આવી ગયા છે. આ સાથે સાથે તેઓ અત્યારે સરપ્રાઈઝ મુલાકાત કરી રહ્યા છે.

આ પણ વાંચો: જોત જોતામાં જ બે યુવાનો બાઈક સાથે ખાડામાં ખાબક્યા

જુદા જુદા વિભાગમાં ઓચિંતી મુલાકાત

આંગણવાડી અને પંચાયત ઘરમાં યોગ્ય વ્યવસ્થા અને નિયમિત કામ થાય તે માટેની સૂચનાઓ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા વહીવટી તંત્રને આપવામાં આવી છે. જે રીતે મુખ્યમંત્રી હવે જુદા જુદા વિભાગમાં ઓચિંતી મુલાકાતે પહોંચી જાય છે. તેને લઈને સરકારી વહીવટી તંત્રમાં પણ સાધુ થઈ ગયું છે. મુખ્યમંત્રીની ઓચિંતી મુલાકાતથી સરકારી કચેરીના અધિકારીઓ પર સર્તક થઈ ગયા છે.

તમારા શહેરમાંથી (ગાંધીનગર)

Published by:Vimal Prajapati

First published:

Tags: CM Bhupendra Patel, Gujarat CM Bhupendra Patel, ગુજરાત

મહેસાણામાં 3 વર્ષ અગાઉ ફરસાણની દુકાનના કારીગરી પર ગેસ સિલિન્ડના ઘા મારી હત્યા કરનાર આરોપીને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી | The court sentenced the accused who killed a worker of a Farsan shop in Mehsana 3 years ago by hitting a gas cylinder to death.

API Publisher
મહેસાણા8 મિનિટ પહેલા કૉપી લિંક મહેસાણા શહેર માં મોઢેરા રોડ પર આવેલી ફરસાણની દુકાનમાં કરવામાં આવેલ હત્યા કેસમા કોર્ટ આરોપી વિજય ઠાકોર ને આજીવન કેદની સજા ફટકારી છે મહેસાણા સેસન્સ કોર્ટ દ્વારા સજા ફટકારવામાં આવી છે. મહેસાણા મોઢેરા રોડ પર આવેલ આસ્વાદ ખમણી નામની દુકાનમાં 20 જાન્યુઆરી 2019ના સમય ગાળા દરમિયાન દુકાનમાં કામ કરતો વડોશન ગામનો ઠાકોર મહેશજી અને ઠાકોર વિજય જી ચંદુજી કામરીગ તરીકે કામ કરતા હતા. તેમજ આજ દુકાનમાં ઉત્તર પ્રદેશ રાજ્યનો રાજુ સુરેશ ચંદ્ર પરચુરણ મજૂરી કામ કરતો હતો. આ ઘટનામાં ...

વન વિભાગે સર્ચ ઓપરેશન હાથ ધર્યું

API Publisher

ગાંધીનગર: રાજ્યના પાટનગર ગાંધીનગરમાં ફરીથી દીપડો દેખાયો હોય તેવા સમાચાર સામે આવી રહ્યા છે. ગાંધીનગરના ઇન્દ્રોડા પાર્કની આસપાસ ગઈ કાલે મોડી રાત્રે પસાર થતાં પોલીસ જવાન દ્વારા પોલીસ વિભાગને આ જાણ કરતા ગાંધીનગરમાં દીપડો પ્રવેશ્યા હોવાના સમાચાર પૂરજોસમાં પાટનગરમાં ફેલાઈ ગયા હતા. આ મામલે વન વિભાગને જાણ થતા ની સાથે જ વન વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓ ઇન્દ્રોડા પાર્ક અને તેની પાસે આવેલા સંસ્કૃતિ કુંજ ખાતે તપાસ હાથ ધરી હતી.

દીપડાના ફૂટ માર્ક્સ શોધવાની તજવીજ હાથ ધરી

ઇન્દ્રોડા પાર્ક અને સંસ્કૃતિ કુંજની પાછળની તરફે નદીની કોતર છે અને નદીનો વિસ્તાર છે. ચાર વર્ષ પહેલા પણ આ વિસ્તારમાં દીપડો દેખાયો હતો ત્યારે આ તમામ વિસ્તારમાં વન વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. આ ડિવિઝનના ડીએફઓ સહિતના અધિકારીઓએ દીપડાના ફૂટ માર્ક્સ શોધવાની તજવીજ હાથ ધરી છે. વન વિભાગના ડીએફો ચંદ્રેશભાઇના જણાવ્યા પ્રમાણે પોલીસ જવાનને દીપડો નજર હબિયાના મેસેજ સામે આવતા વન વિભાગ તપાસ હાથ ધરી છે.આ પણ વાંચો: આજે ભૂલથી પણ અહીંથી પસાર ન થતા! અમદાવાદ પોલીસ કમિશનરે બહાર પાડ્યું જાહેરનામું

દીપડાને શોધવા માટે તમામ પ્રયત્નો હાથ ધરવામાં આવ્યુ

ઇન્દ્રોડા અને સંસ્કૃતિ કુંજની આસપાસના વિસ્તારમાં જંગલ અને કોતર જેવો વિસ્તાર છે. પાછળની તરફ નદીનો વિસ્તાર આવેલો છે આ વિસ્તારમાં દીપડો આવી શકે તેવી શક્યતાઓ છે પરંતુ હાલ દીપડાના ફૂટપ્રિન્ટના કોઈ પુરાવા પ્રાપ્ત થતા નથી. વન વિભાગ પણ આસપાસના 14થી 15 કિલોમીટરના વિસ્તારમાં સર્ચ કરી રહેલું છે. આ સાથે વન વિભાગ દ્વારા દીપડાને શોધવા માટે તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો: જોત જોતામાં જ બે યુવાનો બાઈક સાથે ખાડામાં ખાબક્યા

દીપડો દેખાય તો વન વિભાગને જાણ કરવા માટે વિનંતી

નાગરિકોને પણ અપીલ પણ કરવામાં આવી છે કે, દીપડો આવ્યા હોવાના સમાચારથી વૈભવીત થવાની જરૂર નથી. પરંતુ જો કોઈ વિસ્તારની અંદર દીપડાનું દેખાયાના પુરાવા મળે તો તાત્કાલિક ધોરણે વન વિભાગનો સંપર્ક કરવામાં આવે જેથી કરી વન વિભાગ તે વિસ્તારમાં સર્ચ ઓપરેશન કરી દીપડાને માનવ વસ્તીથી દૂર લઈ જવા માટે પાંજરે કરવામાં આવે. હાલ વન વિભાગ દ્વારા તમામ વિસ્તારોમાં તપાસ કરવામાં આવી રહી છે.

તમારા શહેરમાંથી (ગાંધીનગર)

Published by:Vimal Prajapati

First published:

Tags: Gandhinagar News, Leopard, ગુજરાત

આણંદના મલાતજની સેન્ટ્રલ બેન્કના મેનેજર અને પટ્ટાવાળાએ રૂ.1.61 કરોડનું કૌભાંડ આચર્યું, 1 મહિના પહેલા રૂ.50 લાખની ઉચાપતની તપાસ કરતાં મોટી રકમ બહાર આવી | Anandana Malataj's central bank manager and pattawala scam of Rs 1.61 crore, 1 month ago probe into embezzlement of Rs 50 lakh reveals huge amount

API Publisher
Gujarati News Local Gujarat Anand Anandana Malataj’s Central Bank Manager And Pattawala Scam Of Rs 1.61 Crore, 1 Month Ago Probe Into Embezzlement Of Rs 50 Lakh Reveals Huge Amount આણંદ25 મિનિટ પહેલા કૉપી લિંક સોજિત્રા તાલુકાના મલાતજ ગામે આવેલી સેન્ટ્રલ બેન્કના મેનેજર અને પટાવાળાએ મિલિભગત કરી રૂ.1.61નું કૌભાંડ આચર્યું હોવાનો ઘટસ્ફોટ થયો છે. એક મહિના પહેલા રૂ.50 લાખની એફડી ઉપાડી લેવાના મુદ્દે થયેલા હોબાળા બાદ ઉચ્ચ કક્ષાએ તપાસ કરતાં મસમોટું કૌભાંડ બહાર આવ્યું છે. જેમાં ખાતેદારોની જાણ ...

પોલીસ કમિશનર બહાર પાડ્યું જાહેરનામું

API Publisher

અમદાવાદ: આજે થર્ટી ફસ્ટને લઈને શહેરમાં લોકો 12 વાગે પાર્ટીઓ કરતા જોવા મળશે. પરંતુ અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. અમદાવાદ શહેરમાં નવા વર્ષની ઉજવણી અંતર્ગત જાહેર વ્યવસ્થા જાળવવા માટે અને ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે ખાસ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જાહેરનામા પ્રમાણે સી.જી રોડના સ્ટેડીયમ સર્કલથી પંચવટી સુધી સાંજે 6 વાગ્યાથી કોઈ ખાસ કારણો સિવાય વાહનો પાર્ક કરવા પર પ્રતિબંધ કરવામાં આવ્યો છે.

આઠ વાગ્યા પછી તમામ વાહન વ્યવહાર બંધ!

જાહેરનામા પ્રમાણે સમથેશ્વર મહાદેવથી બોડીલાઇન ચાર રસ્તા, ગુલબાઇ ટેકરાથી બોડીલાઇન ચાર રસ્તા થઇ સમથેશ્વર મહાદેવ તરફ આમને સામને બંને બાજુ રોડ ચાલુ રાખીને સી.જી.રોડ ક્રોસ કરી શકશે. પરંતુ સી.જી.રોડ ઉપર વાહન હંકારી શકાશે નહી અને આઠ વાગ્યા પછી તમામ વાહન વ્યવહાર બંધ કરવામાં આવશે. મીઠાખળી સર્કલથી ગીરીશ કોલ્ડ્રીક્સ ચાર રસ્તા થઇ સેન્ટ ઝેવિયર્સ રોડ તથા નવરંગપુરા બસ સ્ટેન્ડથી સ્વસ્તીક ચાર રસ્તા થઇ કોમર્સ છ રસ્તા આમને સામને બન્ને બાજુ રોડ ચાલુ રાખીને સી.જી.રોડ ક્રોસ કરવાનો રહેશે.આ પણ વાંચો: જોત જોતામાં જ બે યુવાનો બાઈક સાથે ખાડામાં ખાબક્યા

પેસેન્જર વાહનોની અવર-જવર ઉપર પ્રતિબંધ

પોલીસ કમિશનર દ્વારા અમદાવાદ શહેરમાં રાત્રે 11 વાગ્યા સુધી ભારે તથા મધ્યમ પ્રકારના માલવાહક અને પેસેન્જર વાહનોની અવર-જવર ઉપર પ્રતિબંધ લગાવામાં આવ્યો છે. તેવા તમામ પ્રકારના વાહનો એસ.જી.હાઇવે એટલે કે સરખેજ ગાંધીનગર હાઇવે આજે સાંજે કલાક ૨૦.૦૦ વાગ્યાથી તારીખ 01/01/2023ના રાત્રિના 03:00 વાગ્યા સુધી અવર-જવર કરી શકશે નહી. આ દરમિયાન વાહન ચાલકોએ પ્રતિબંધિત વિસ્તાર સિવાયના સરદાર પટેલ રીંગ રોડનો ઉપયોગ કરવાનો રહેશે.

આ પણ વાંચો: અસ્ટોલ પાણી પુરવઠા યોજનાની મુખ્ય પાઈપ લાઇનમાં ભંગાણ

આદેશોનું ઉલ્લંઘન કરનાર ઇસમ સામે કાર્યવાહી

આ જાહેરનામાના આદેશોનું ઉલ્લંઘન કરનાર ઇસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. અને તે ગુજરાત પોલીસ અધિનિયમ કલમ 131 મુજબ શિક્ષાને પાત્ર થશે. શહેરના આ વિસ્તારોમાં વાહનો પાર્કિંગ કરવા પર અને ભારે વાહનો પર પ્રતિબંધ કરવામાં આવ્યો છે.

તમારા શહેરમાંથી (અમદાવાદ)

Published by:Vimal Prajapati

First published:

Tags: 31st Dec Party, 31st december, 31st Party, Ahmadabad Police, CG Road, SG Highway

અમૂલ ડેરીની વાત:ચાલુ વરસે દૂધની આવકમાં 9 ટકા જેટલો ઘટાડો જોવા મળ્યો, દૂધની ખરીદીના ભાવમાં રૂ.20નો વધારો કરાયો

API Publisher
અમૂલ ડેરીની વાત:ચાલુ વરસે દૂધની આવકમાં 9 ટકા જેટલો ઘટાડો જોવા મળ્યો, દૂધની ખરીદીના ભાવમાં રૂ.20નો વધારો કરાયો ...

In the drought of 1987, Pramukh Swami did Mute-Inarticulate concern for animals and birds AGP – News18 Gujarati

API Publisher

Parth Patel, Ahmedabad: અમદાવાદમાં ઉજવાઈ રહેલા પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ અંતર્ગત ડો. સાધુ જ્ઞાનાનંદદાસે 1987 ના દુષ્કાળમાં પ્રમુખસ્વામીએ મૂક-અબોલ પશુ-પંખીઓની ચિંતા કરી તેમને ખાવા માટે ચીકુ અને પીવા માટે પાણીના કુંડાની વ્યવસ્થા કેવી રીતે કરાવી તેનો એક પ્રસંગ રજૂ કર્યો છે.

ભગવાને રચેલી આ સૃષ્ટિમાં વિચારો અને લાગણીઓ સંવેદનાઓની જુગલબંધી એકમાત્ર મનુષ્યમાં જ દેખાય છે. વિચારો એ બુદ્ધિની નિપજ છે. જ્યારે સંવેદના એ હૃદયની. અવનવા, અચરજકારી અને સર્જનાત્મક વિચારોથી એક પ્રભાવ જરૂર ઊભો થાય છે. પણ તે ક્ષણિક હોય છે. જ્યારે અન્ય માટેની ઉચ્ચ અને ઉમદા ભાવના સંવેદનાથી સદ્ભાવ ઊભો થાય છે. જે અન્યના હૃદયમાં કાયમી સ્થાન જમાવે છે.

બુદ્ધિ સુખ સુવિધાનો અને હૃદયની સંવેદના અન્યની વેદના અને પીડાને સમજે છે

બુદ્ધિ બહુધા અંગત સુખ સુવિધાનો જ વિચાર કરે છે. જ્યારે હૃદયની સંવેદના અન્યની વેદના અને પીડાને સમજી તેના નિવારણ તરફ આગળ વધે છે. આપણા પૂર્વ રાષ્ટ્રપતિ ભારતરત્ન ડૉ. એ. પી. જે. અબ્દુલ કલામ સાહેબ કહેતા કે હું કોઈ હેન્ડસમ વ્યક્તિ નથી. પણ જેને મદદની જરૂર હોય એવા કોઈકને હું મારો હાથ આપી શકું છું.

અન્યના હિતનું સાતત્ય એ હકિકતે તો સંતત્વનો જ પરિચય છે. પરોપકાર એ સંત હૃદયનો સહજ ધબકાર છે. અને તેમાંય કોઈપણ અપેક્ષા વિનાનો પરોપકાર તે સંતત્વની શ્રેષ્ઠ ઊંચાઈની ઓળખ આપે છે. રામચરિતમાનસના ઉત્તરકાંડમાં ગોસ્વામી તુલસીદાસજી લખે છે કે परहित सरिस धर्म नहीं भाई. એટલે કે અન્યનું હિત કરવાથી મોટું કોઈ કર્તવ્ય નથી.

ભારતીય સંત પરંપરામાં આ સિદ્ધાંતો મૂર્તિમાન જોવા મળે છે. ગુરુ નાનક જ્યારે કિશોરવયના હતા ત્યારે એકવાર કેટલાક સાધુ-મહાત્માઓને ભૂખ્યા જોયા. તેઓનું હૃદય ભાવાર્દ્ર થઈ ગયું.

તેમણે એક વરિષ્ઠ સાધુને કહ્યું કે મારી પાસે પૈસા છે તે તમને આપું છું. તમે ભોજનની વ્યવસ્થા કરી લેજો.

તે વરિષ્ઠ સંતે પૂછ્યું કે બેટા, આ પૈસા ક્યાંથી લાવ્યો? ગુરુ નાનકે કહ્યું કે પિતાજીએ મોટા શહેરમાં જઈ વેપાર કરવા માટે આપ્યા છે.તે સાધુએ કહ્યું કે તો પછી વેપાર માટે જ વાપરને અમને કેમ આપે છે? ત્યારે ગુરુ નાનક સહસા બોલી ઊઠ્યા કે હું પિતાની આજ્ઞા મુજબ જ કરી રહ્યો છું. આપ જેવા સાધુઓને જમાડવા કરતાં વધુ સારો વેપાર કયો?

મેઘરાજાની રીસ અને ઠેર-ઠેર પાણી માટે ચીસ ગુજરાતના દુષ્કાળનું રેખાચિત્ર હતું

આપણી મહાન સંત પરંપરાએ તો આપણને કેવળ મનુષ્યોની જ નહીં પરંતુ મૂક-અબોલ પશુ-પંખીની પણ ચિંતા કરવાનું શીખવ્યું છે. સૌનું હિત કરવાની આ ઊંડી સંવેદના એ વસુધૈવ કુટુમ્બકમ્ ની આપણી સનાતન ભારતીય સંસ્કૃતિનો પર્યાય છે. ઈ.સ. 1987 ના વર્ષમાં ગુજરાત કારમા દુષ્કાળની ભીંસમાં આવી ગયેલું. મેઘરાજાની રીસ અને ઠેર-ઠેર પાણી માટે ચીસ. સમગ્ર ગુજરાતનું તે સમયનું આ રેખાચિત્ર હતું.

પ. પૂ. પ્રમુખસ્વામી મહારાજે આ અરસામાં ગુજરાતનું પશુધન બચાવવા કેટલ કેમ્પો શરૂ કરાવેલા. સાથે સાથે અન્ય પાંજરાપોળો તથા ગૌશાળામાં પણ બનતી મદદ શરૂ કરી હતી. પશુ કલ્યાણ કેન્દ્રના નામથી આયોજનબદ્ધ રીતે શરૂ કરવામાં આવેલા આ કેટલ કેમ્પોના સેવાકાર્યને સરકારશ્રીએ પણ ખૂબ નોંધનીય અને ઉલ્લેખનીય બતાવેલું.

સાથે સાથે આ રાહતકાર્યમાં પ્રમુખસ્વામી મહારાજે કોઈપણ નાત-જાત કે ધર્મની ભેદરેખા રાખી નહોતી. જેની નોંધ આજે પણ એ ખેડૂતોના માનસપટ ઉપર શિલાલેખ સમાન કોતરાયેલી છે. દુષ્કાળના એ દિવસો દરમ્યાન પ્રમુખસ્વામી મહારાજ તીર્થધામ સારંગપુર (જી. બોટાદ) ખાતે રોકાયા હતા. પોતાના નિત્યક્રમ મુજબ તેઓ રોજ સાંજે મંદિરની ચીકુવાડીમાં ભ્રમણ માટે પધારતા.

એકવાર તેઓએ ભ્રમણ દરમ્યાન અચાનક ચીકુવાડીની દેખરેખ રાખનાર સંતને બોલાવ્યા. દેખરેખ અંગેની કોઈ ભૂલ માટે અથવા કોઈ વિશેષ સૂચનનું અનુમાન કરીને તે જવાબદાર સંત હાથ જોડીને હાજર થયા.

પ્રમુખસ્વામી મહારાજે પૂછ્યું કે આ વર્ષે ચીકુ ખૂબ આવ્યા છે. આ ચીકુનું શું કરો છો?

વાડી સંભાળનાર સંતે કહ્યું કે ઠાકોરજીના થાળ માટે તથા સંતો-ભક્તો માટે જરૂરિયાત પૂરતા રાખીને બીજા બજારમાં મોકલી આપીશું.કોઈકનું પડાવી લઈ ખાવું તે વિકૃતિ, એકલા-એકલા ખાવું તે પ્રકૃતિ અને અન્યનો વિચાર કરી ખાવું તે સંસ્કૃતિ

દુષ્કાળની એ ભીંસણ પરિસ્થિતિમાં મૂક-અબોલ અને નિર્દોષ પંખીઓ પ્રત્યેની સંવેદના સાથે પ્રમુખસ્વામી મહારાજે તે સંતને કહ્યું કે સાંભળો. બધા ચીકુ ઊતારી લેવાના નહીં. દુષ્કાળનું વર્ષ છે. પાણીના અભાવે ખેડૂતોએ વાવેતર કર્યું ન હોય. તેથી બિચારા પક્ષીઓ ખાવા ક્યાં જાય? પક્ષીઓ માટે ચીકુ અનામત રાખવા. ઉતારવા નહીં અને પાણી ભરેલા કુંડા પણ રાખવા. જેથી પક્ષીઓને પાણી પણ મળી રહે.

કોઈ ચિંતકે કહ્યું છે કે કોઈકના ભાણાનું પડાવી લઈ ખાવું તે વિકૃતિ, એકલા-એકલા ખાવું તે પ્રકૃતિ અને અન્યનો વિચાર કરી ખાવું તે સંસ્કૃતિ.

ઉપનિષદ્ કહે છે કે तेन त्यक्तेन भुञ्जिथाः। એટલે કે અન્ય માટે ત્યાગ કરીને ભોગવો.

આપણા શાસ્ત્રોમાં સમાયેલી આ વિરલ અને વિશિષ્ટ સંવેદનાઓ આપણા મહાન સંતોના જીવનમાં અક્ષરશઃ ચરિતાર્થ છે. તેઓની જીવનશૈલી છે. આવો પ્રમુખસ્વામીના પગલે લોકહિતની આવી ભાવના અને સંવેદનાને આપણા જીવનમાં સાકાર કરીએ.

તમારા શહેરમાંથી (અમદાવાદ)

Published by:Santosh Kanojiya

First published:

Tags: Ahmedabad news, Local 18, Pramukh Swami Maharaj Shatabdi Mahotsav

See an exhibition of over 100 paintings, including art and craft items vnd – News18 Gujarati

API Publisher
Nidhi Dave, Vadodara: વડોદરા શહેર કલાનગરી તરીકે જાણીતું છે. જેમાં અવારનવાર કલાના પ્રદર્શનો આયોજિત થતા હોય છે. ખાસ કરીને અનુભવી કલાકારોના આર્ટવર્ક પ્રદર્શિત થતા હોય છે, પરંતુ આ વખતે નાના બાળકોએ કરેલા આર્ટવર્કનું પ્રદર્શન યોજાયું છે.. 11 વિદ્યાર્થીઓએ ભાગ લીધો વડોદરા શહેરના કિર્તિ મંદિર પરિસરમાં આવેલા આકૃતિ આર્ટ ગેલેરીમાં શ્રીજી આર્ટસના પ્રજેશ શાહ અને એમના વિદ્યાર્થીઓનું પેન્ટિંગ પ્રદર્શન આયોજિત કરવામાં આવ્યું છે. જે શહેરીજનો 2જી તારીખ સુધી નિહાળી શકશે. આ પ્રદર્શનમાં કુલ 11 વિદ્યાર્થીઓએ ભાગ લીધો ...

કેશોદના એક ગામમાં 16 વર્ષની સગીરા પર દુષ્કર્મ ગુજારી માતા બનાવનાર નરાધમ ઝડપાયો | Naradham, who raped a 16-year-old girl in a village of Keshod, was arrested.

API Publisher
જૂનાગઢ12 મિનિટ પહેલા કેશોદ તાલુકાના એક ગામમાં ઘર જમાઈ તરીકે રહેતા 55 વર્ષના નરાધમે એક વર્ષ સુધી દુષ્કર્મ આચરી સગીરાને માતા બનાવાની ઘટના સામે આવી હતી. પરિવારજનોને આ ઘટનાની જણ થતાં સગીરાના પિતાએ કેશોદ પોલીસ સ્ટેશનમાં નરાધમ આધેડ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પૂછપરછ હાથ ધરવામાં આવીપોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. બળાત્કારી નરાધમને પકડવા અલગ-અલગ ટીમો બનાવી હતી. ગુનાની ગંભીરતાને ધ્યાને લઇ જૂનાગઢ એસ.પી રવીતેજા વાસમ શેટ્ટીની સૂચનાથી જૂનાગઢ એલસીબી અને કેશોદ પોલીસે આરોપીને પકડી ...

નશો કરવા ડ્રગ્સ કે કફ સીરપ લીધું તો ગયા સમજજો, તપાસ માટે SOGએ સ્પેશિયલ કીટ ખરીદી

API Publisher

અમદાવાદઃ એસઓજી ક્રાઇમ બ્રાન્ચે ડ્રગ્સ એનાલિટિક ટેસ્ટની ખાસ પ્રકારની કીટ વસાવી છે. તેને આધારે ડ્રગ્સ લીધેલા વ્યક્તિનો ટેસ્ટ કરી માત્ર 10 જ મિનિટમાં ડ્રગ્સ લીધું છે કે નહીં તેની માહિતી મેળવી શકાશે. આ ઉપરાંત કયા પ્રકારનું ડ્રગ્સ લીધું છે તેની પણ માહિતી મેળવી શકાશે. અત્યાર સુધીમાં આલ્કોહોલિક ટેસ્ટ માટેની કીટ શહેર પોલીસ પાસે હતી પરંતુ હવે ડ્રગ્સ કીટ પણ આવી જતા 31 ફર્સ્ટની રાતે તેનો ભરપૂર ઉપયોગ કરીને કડક ચેકિંગ હાથ ધરવામાં આવશે.

10 મિનિટમાં જ ખબર પડી જશે

અમદાવાદ એસઓજી ડીસીપી જયરાજસિંહ વાળાએ આ મામલે માહિતી આપતા જણાવ્યુ હતુ કે, ‘અમદાવાદ એસઓજી ક્રાઇમ બ્રાન્ચે ડ્રગ્સના ટેસ્ટ માટેની કીટ વસાવી લીધી છે. ગત રથયાત્રામાં ઘણાં ખરા વિસ્તારોમાં આ ડ્રગ્સ ટેસ્ટિંગ કીટ વડે ડ્રગ્સ લીધેલા હોવાની શંકાને આધારે વ્યક્તિઓની ચકાસણી કરવામાં આવી હતી. માત્ર 10 જ મિનિટમાં આ કીટ વડે ખ્યાલ આવી જાય છે કે, વ્યક્તિએ ડ્રગ્સ લીધેલું છે કે નહીં અને બાદમાં આ કીટ વડે લીધેલા સેમ્પલને એફ.એસ.એલમાં મોકલી આપવામાં આવે છે. આ કીટની જો કિંમત વિશે વાત કરવામાં આવે તો તેનો ભાવ રૂપિયા 15 લાખ છે અને તેના ટેસ્ટિંગની વસ્તુઓની કિંમત બે હજાર છે. જેને એક જ વખત ઉપયોગમાં લઇ શકાય છે. આ કિટ હાલ ચારેય શહેરોને આપવામાં આવી છે.’આ પણ વાંચોઃ મહિલા સુરક્ષા વ્યવસ્થા માટે પોલીસે કરી ખાસ વ્યવસ્થા

શંકાસ્પદ વ્યક્તિઓનું ટેસ્ટિંગ કરવામાં આવશે

એસીપી બી.સી. સોલંકીએ આ મામલે માહિતી આપતા કહ્યુ હતુ કે, ‘અમદાવાદ શહેર એસઓજી ક્રાઇમે વસાવેલી આ કીટ દ્વારા ડ્રગ્સનો નશો કરનારા લોકો પર અંકુશ મેળવવામાં આવશે. તાજેતરમાં રથયાત્રાના રૂટ પર પ્રાયોગિક ધોરણે ડ્રગ્સ ચેક કરવાની કીટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ શહેરના ડ્રગ્સના હોટસ્પોટ એરિયામાં આ કીટ દ્વારા શંકાસ્પદ વ્યક્તિઓનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. ત્યારે આજે ફરીવાર આ કીટનો ઉપયોગ કરવામાં આવશે. આ ટેસ્ટિંગ કીટથી પોલીસને જો કોઈ વ્યક્તિ નશો કરેલી હાલતમાં જોવા મળશે તો સૌપ્રથમ તેનું કાઉન્સેલિંગ કરવામાં આવશે. ત્યારબાદ ડ્રગ્સનો જથ્થો કોની પાસેથી લેવામાં આવ્યો અને ક્યાંથી લેવામાં આવ્યો છે તે અંગેની માહિતી મેળવવામાં આવશે.’

30 હજાર કિલો જેટલું ડ્રગ્સ પકડાયું

વર્ષ 2022માં ગુજરાત પોલીસે ડ્રગ્સના 471 કેસ કરી 720 આરોપીઓની ધરપકડ કરી હતી. આ ઉપરાંત 30 હજાર કિલોથી વધુ ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું. જ્યારે એસઓજીએ ગયા પાંચ વર્ષમાં થયેલા કેસોની સામે આ જ વર્ષમાં સંલગ્ન કેસ કરી પેડલરોની કમર તોડી નાંખી છે. માત્ર એક જ વર્ષમાં અમદાવાદ એસઓજીએ 37 કેસ કરી 1.60 કરોડનું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. ત્યારે હવે બાતમીદારોની સાથે સાથે સાયન્ટિફિક સચોટ પરિણામ મળે તેવા મશીન આવી ગયા બાદ ડ્રગ્સની બદી નાબૂદ કરવા માટે પોલીસ એક્ટિવ થઈ ગઈ છે.

આ પણ વાંચોઃ 31stની પાર્ટીમાં ઢીંગલી ન થઈ જતાં! જાણી લો નિયમો અને સજા

કેવી રીતે ટેસ્ટિંગ કરવામાં આવશે?

ડ્રગ્સનો નશો કરનાર લોકોની લાળ અને યુરિનના સેમ્પલ લેવામાં આવશે. ત્યારબાદ છેલ્લા 48 કલાકમાં જે પણ ડ્રગ્સ લીધું હોય તેની માહિતી મળે છે. પાંચ મિનિટ માટે મોઢામાં નોઝલ રાખવામાં આવે છે. મોંઢામાં લાળનું સેમ્પલ લેવાય છે. સેમ્પલ લીધા બાદ તે નોઝલને મશીનમાં મૂકવામાં આવે છે. મશીનમાં મૂકાયા બાદ પાંચેક મિનિટનો સમય લાગે છે. પાંચ મિનિટ બાદ તે મશીનમાં રિઝલ્ટ બતાવે છે. ડ્રગ્સનું સેવન કર્યું છે કે નહીં તેનો રિપોર્ટ આવે છે. આ રિપોર્ટની પ્રિન્ટ પણ નીકળે છે. ડ્રગ્સ લીધું હોવાનું પોઝિટિવ આવે તો તેને રિહેબ સેન્ટરમાં મોકલાય છે. ત્યારબાદ ડ્રગ્સ ક્યાંથી લાવવામાં આવ્યું, ક્યાં સેવન કર્યું જેવા અલગ અલગ મુદ્દા પર તપાસ કરવામાં આવે છે.

તમારા શહેરમાંથી (અમદાવાદ)

Published by:Vivek Chudasma

First published:

Tags: 31st Dec Party, 31st december, 31st Party, Ahmedabad news, Crime news, Rajkot News, Surat news, Vadodara

Precautionary measures to be taken for blight disease in chickpea crop aga – News18 Gujarati

API Publisher

Abhishek Gondaliya. Amreli: દક્ષિણ સૌરાષ્ટ્રમાં ચણાના પાકનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર કરવામાં આવ્યું છે. અમરેલી, ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં ચણાનું વાવેતર કરાયું છે. પરંતુ હાલ ચણાના પાકમાં સુકારો આવતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે.

વિષય નિષ્ણાંત રમેશભાઈ રાઠોદે જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યમાં કઠોળ વર્ગમાં ચણાના પાકનું ખૂબ જ મહત્વ છે અને રાજ્યમાં મોટા વિસ્તારમાં ચણાનું વાવેતર કરવામાં આવે છે. પરંતુ હાલ ચણાના પાકમાં સુકારા નામનો રોગ આવ્યો છે. સુકારા નામનો રોગ બીજ અને જમીનજન્ય ફૂગ મારફતે ફેલાય છે. આ રોગના કારણે પાક કોઈપણ અવસ્થામાં સુકાવા લાગે છે. મૂળમાં કાળી લીટી જોવા મળે છે. આ પ્રકારના લક્ષણો જોવા મળે તો સમજવું કે. સુકારા નામનો રોગ છે.

રોગને અટકાવવા શું કરવું જોઈએ

ચણાની જાતમાં પાંચ નંબર અથવા છ નંબરની જાતનું વાવેતર કરવાથી સુકારા નામનો રોગ ઓછો જોવા મળે છે. બીજનું વાવેતર કરવા પહેલા ફૂગનાશક દવાનો પટ આપવો જોઈએ. અથવાફૂગ નાશક દવાનો છંટકાવ કરવો જોઈએ. પાકની ફેરબદલી કરવી એ અગત્યનો ભાગ ભજવે છે. ચણાનો પાક લીધા બાદ બાજરી અથવા જુવારનું વાવેતર કરવું જોઈએ. જેથી ફૂગ આવવાનું પ્રમાણ ઘટે છે, જેથી સુકારો રોગ આવતો નથી.

તમારા શહેરમાંથી (અમરેલી)

Published by:Santosh Kanojiya

First published:

Tags: Amreli News, Crop, Disease, Local 18

પાટણની વી એમ દવે શાળાના વિદ્યાર્થીઓએ તુલસી પૂજન કરી નવા વર્ષના સ્વાગતની ઉજવણી કરી | Students of Patan's V M Dave School celebrated the New Year by performing Tulsi Poojan

API Publisher
પાટણ24 મિનિટ પહેલા કૉપી લિંક પાટણ શહેરની વી એમ દવે શાળામાં વિદ્યાર્થીઓ દ્વારા તુલસી પૂજન કરીને નવા વર્ષ 2023નાં સ્વાગતની ઉજવણી કરવામાં આવી. નિબંધ સ્પર્ધાનું પણ આયોજન કરાયુંહિન્દુ સંસ્કૃતિમાં તુલસીનો પૂજન પવિત્ર ગણવામાં આવે છે, ત્યારે વર્ષના અંતિમ દિવસે કંકુ પૂજન કરી ગાયત્રી મંત્ર બોલી પુષ્પોથી વધાવીને તુલસી પૂજન વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારબાદ બાળકો શાળામાં આજે ફેન્સી ડ્રેસ જેવા કે પોલીસ સૈનિક, ડૉક્ટર, શિક્ષક, વકીલ જેવા વિવિધ પ્રકારના પોશાકો પહેરીને આવ્યા હતા. નાના-નાના ...

600 વર્ષમાં રાજીનામું આપનાર પ્રથમ પૂર્વ પોપ બેનેડીક્ટનું 95 વર્ષની ઉંમરે વેટિકનમાં નિધન

API Publisher

Pope Benedict Passed Away: ભૂતપૂર્વ પોપ બેનેડિક્ટનું દેહાવસાન થયાના દુઃખદ સમાચાર સામે આવ્યા છે. આજે  શનિવાર, 31 ડિસેમ્બરના રોજ વેટિકન સિટીમાં તેઓ મૃત્યુ પામ્યા છે. તેમની ઉંમર 95 વર્ષની હતી. તેમણે 2005 થી 2013 સુધી એપોસ્ટોલિક સીનું આયોજન કર્યું હતું.

Published by:Mayur Solanki

First published:

Tags: 2022, Christian, New year


Sonaliben of Savarkundla will accept initiation aga – News18 Gujarati

API Publisher
Abhishek Gondaliya, Amreli: સાવરકુંડલા શહેરના 25 વર્ષીય સોનાલીબેન દીક્ષા અંગિકાર કરશે. શ્રીમદ વિજય પુણ્યપાલ સુરેશ્વરજી મહારાજની નિશ્રામાં દીક્ષા અંગીકાર કરશે. શરીરને નહીં પરંતુ આત્માને રંગ આપવાનો દીક્ષાનો અવસર છે. સોનાલીબેનના દીક્ષા પ્રસંગે સાવરકુંડલામાં મહોત્સવનું આયોજન કરાયું છે. જેમાં ભવ્ય વર્ષીદાનનો વરઘોડો શહેરના માર્ગો પર ફર્યો હતો. જૈન દેરાસરમાં મહાપૂજાનું ભવ્ય આયોજન કરાયું હતું. સિદ્ધચક્ર પૂજન અને રાત્રિના વિદાય સમારોહ હતો. એક જ દિવસે એક જ માંડવે 16 દીક્ષાઓમાં ચાર બાલ દીક્ષા,આઠ યુવા ...

નખત્રાણાના યુવાને કોઇજ પ્રકારના ટ્યુશન વગર ચોક્કસ આયોજન બનાવીને દિવસના બે ત્રણ કલાક વાંચન કરીને સિવિલ જજની પરીક્ષા પાસ કરી | A young man from Nakhtrana passed the civil judge exam without any kind of tuition by studying for two to three hours a day after making a specific plan.

API Publisher
Gujarati News Local Gujarat Kutch A Young Man From Nakhtrana Passed The Civil Judge Exam Without Any Kind Of Tuition By Studying For Two To Three Hours A Day After Making A Specific Plan. કચ્છ (ભુજ )9 મિનિટ પહેલા કૉપી લિંક સ્પર્ધાત્મક પરીક્ષા માટે મોંઘાઘાટ ટ્યુશન ક્લાસીસની જરૂર નથી, પરંતુ આત્મવિશ્વાસ અને કઠોર મહેનત સફળ પરિણામ લાવી આપે છે. જેનું જીવંત ઉદાહરણ નખત્રાણાના સારસ્વત બ્રાહ્મણ પરિવારના જિતેનભાઇ સુભાષભાઈ જોશીએ પૂરું પાડ્યું છે. આ યુવાને ઘેર બેઠા અભ્યાસ કરીને ગુજરાત હાઇકોર્ટ દ્વારા ...

850 students set up stalls at the children's fair in Disa nrb – News18 Gujarati

API Publisher
Nilesh Rana, Banaskantha: બનાસકાંઠાના ડીસાની અર્બુદા સ્કૂલમાં આજે બાળકોનો શિક્ષણ સાથે આંતરિક શક્તિઓ વિકસિત થાય તેમજ શિક્ષણ સાથે સામાજિક અને જાહેર જીવનમાં ઉપયોગી પ્રવુતિઓ માટેનો બાળ મેળો યોજાયો હતો. જેમાં વિવિધ શાળાના 850 થી વધુ બાળકોએ વિવિધ ખાણી પીણીના અને રમત ગમતના સ્ટોર ઉભા કર્યા હતા.વિવિધ વાનગીઓ બનાવી તેનું વેચાણ પણ કર્યું હતું. બનાસકાંઠાના ડીસામાં આવેલી અર્બુદા વિદ્યાલયમાં ધોરણ 5 થી લઈને ધોરણ 12 સુધીના બાળકોમાં રહેલી શક્તિ તેમજ કલાને બહાર નીકળવા માટે એક બાળ મેળાનું આયોજન કરાયું હતું. જેમાં ...
Pages (35)1234567 »